BJP’s Foundation Day Live Updates : સ્થાપના દિવસ પર PM મોદીએ કહ્યું ‘આજે પરિવારવાદી પાર્ટી લોકતંત્રની સૌથી મોટી દુશ્મન’

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 06, 2022 | 11:47 AM

ભારતીય જનતા પાર્ટી (BJP) આજે તેનો 42મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. આ અવસર પર પાર્ટી દ્વારા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભાજપના કાર્યકરો, મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યોને સંબોધિત કરશે.

BJP’s Foundation Day Live Updates : સ્થાપના દિવસ પર PM મોદીએ કહ્યું 'આજે પરિવારવાદી પાર્ટી લોકતંત્રની સૌથી મોટી દુશ્મન'
BJP Foundation day Live Updates

BJP’ s 42th Foundation Day Live Updates: ભારતીય જનતા પાર્ટી (BJP) આજે તેનો 42મો સ્થાપના દિવસ (42th foundation day) ઉજવી રહી છે અને આ અવસર પર પાર્ટી દ્વારા મોટા પાયે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે ભાજપના કાર્યકરો, મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યોને સંબોધિત કરશે. તેમજ આ ખાસ દિવસે પીએમ મોદી (PM Modi) સહિત પાર્ટીના તમામ સાંસદ કમળના ફૂલના પ્રતીકવાળી ભગવી ટોપી પહેરીને સંસદ પહોંચશે. આ પ્રસંગે અમિત શાહ (Amit Shah) અને રાજનાથ સિંહે પાર્ટી કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 06 Apr 2022 10:57 AM (IST)

    આજે પરિવારવાદી પાર્ટી લોકતંત્રની સૌથી મોટી દુશ્મન

    PM મોદીએ કહ્યું કે, દેશના યુવાનો હવે સમજવા લાગ્યા છે કે કેવી રીતે પરિવારના સભ્યો લોકશાહીના સૌથી મોટા દુશ્મન છે. લોકશાહી સાથે રમત રમી રહેલા આ પક્ષો બંધારણ અને બંધારણીય વ્યવસ્થાને પણ સમજતા નથી. આજે પણ આવા પક્ષોના આપણા કાર્યકરો લોકતાંત્રિક મૂલ્યો સાથે અન્યાય, અત્યાચાર અને હિંસા સામે લડી રહ્યા છે.

  • 06 Apr 2022 10:55 AM (IST)

    કેટલાક રાજકીય પક્ષોએ વોટબેંકનું રાજકારણ કર્યુંઃ PM મોદી

    BJP પાર્ટીના સ્થાપના દિવસ પર કોંગ્રેસ પર પ્રહાર કરતા PM મોદીએ કહ્યું કે, આપણા દેશમાં દાયકાઓથી કેટલાક રાજકીય પક્ષોએ માત્ર વોટ બેંકની રાજનીતિ કરી છે. ભેદભાવ-ભ્રષ્ટાચાર આ બધું વોટબેંકના રાજકારણની આડ અસર હતી, પરંતુ આજે ભાજપે માત્ર આ વોટબેંકની રાજનીતિને ટક્કર આપી નથી, પરંતુ તેના ગેરફાયદા સમજાવવામાં પણ સફળતા મેળવી છે.

  • 06 Apr 2022 10:44 AM (IST)

    સરકાર ગરીબો માટે 3.5 લાખ કરોડ ખર્ચે છે

    PM મોદીએ કહ્યું કે 'સબકા સાથ, સબકા વિકાસ'ના મંત્ર સાથે અમે દરેકનો વિશ્વાસ મેળવી રહ્યા છીએ. અમે દેશના વિકાસ માટે દિવસ-રાત કામ કરી રહ્યા છીએ.વધુમાં તેમણે કહ્યું કે આજે આખી દુનિયા જોઈ રહી છે કે ભારત આવા મુશ્કેલ સમયમાં 80 કરોડ ગરીબો અને વંચિતોને મફત રાશન આપી રહ્યું છે. 100 વર્ષના આ સૌથી મોટા સંકટમાં કેન્દ્ર સરકાર ગરીબોને માટે લગભગ 3.5 લાખ કરોડ રૂપિયા ખર્ચી રહી છે.

  • 06 Apr 2022 10:40 AM (IST)

    આજે ભારત તેના હિત માટે અડગ : PM મોદી

    PM મોદીએ કહ્યું કે, આજે દુનિયાની સામે એક ભારત છે જે કોઈપણ ડર કે દબાણ વગર પોતાના હિત માટે અડગ છે. જ્યારે આખું વિશ્વ બે વિરોધી ભાગમાં વહેંચાયેલું છે, ત્યારે ભારતને એક એવા દેશ તરીકે જોવામાં આવે છે જે માનવતાની મક્કમતાથી વાત કરી શકે છે. તેમણે કહ્યું કે, અમારી સરકાર રાષ્ટ્રીય હિતોને સર્વોપરી રાખીને કામ કરી રહી છે. આજે દેશની નીતિઓ છે, તે પણ નિશ્ચિત છે. આજે દેશ પાસે નિર્ણય શક્તિની સાથે સાથે સંકલ્પ શક્તિ પણ છે. તેથી આજે આપણે લક્ષ્યો નક્કી કરી રહ્યા છીએ, અને તેને પૂરા પણ કરી રહ્યા છીએ.

  • 06 Apr 2022 10:37 AM (IST)

    દરેક કાર્યકરની જવાબદારી સતત વધી રહી છેઃ PM મોદી

    સ્થાપના દિવસ પર વર્ચ્યુઅલ રીતે સંબોધિત કરતા PM મોદીએ કહ્યું, 'વૈશ્વિક દૃષ્ટિકોણથી જુઓ કે રાષ્ટ્રીય દૃષ્ટિકોણથી જુઓ, ભાજપની અને ભાજપના દરેક કાર્યકર્તાની જવાબદારી સતત વધી રહી છે. તેથી જ ભાજપનો દરેક કાર્યકર દેશના દેશના સંકલ્પોનો પ્રતિનિધિ છે.

  • 06 Apr 2022 10:29 AM (IST)

    સ્થાપના દિવસ 3 કારણોસર મહત્વપૂર્ણ: PM મોદી

    આ ઉપરાંત પીએમ મોદીએ કહ્યું, 'આ વર્ષનો સ્થાપના દિવસ 3 કારણોસર મહત્વપૂર્ણ બન્યો છે. પહેલું કારણ એ છે કે આ સમયે આપણે દેશની આઝાદીના 75 વર્ષ, આઝાદીના અમૃત ઉત્સવની ઉજવણી કરી રહ્યા છીએ. બીજું કારણ ઝડપથી બદલાતી વૈશ્વિક પરિસ્થિતિઓ અને બદલાતી વૈશ્વિક વ્યવસ્થા છે. જેના કારણે ભારત માટે સતત નવી સંભાવનાઓ ઊભી થઈ રહી છે. ત્રીજું કારણ પણ એટલું જ મહત્વનું છે. થોડા અઠવાડિયા પહેલા ચાર રાજ્યોમાં BJPની ડબલ એન્જિન સરકારો પરત આવી છે. ત્રણ દાયકા બાદ રાજ્યસભામાં પાર્ટીના સભ્યોની સંખ્યા 100 પર પહોંચી ગઈ છે.'

  • 06 Apr 2022 10:27 AM (IST)

    માતા સ્કંદમાતાના આશીર્વાદ તમામ દેશવાસીઓ પર રહેઃ PM મોદી

    ભાજપના સ્થાપના દિવસ પર PM મોદીએ કહ્યું, 'મારી પ્રાર્થના છે કે માતા સ્કંદમાતાના આશીર્વાદ દેશવાસીઓ પર, દરેક મહેનતુ કાર્યકર અને ભાજપના દરેક સભ્ય પર હંમેશા રહે.' વધુમાં તેમણે કહ્યું, આજે પાંચમુ નોરતુ છે. આ દિવસે આપણે બધા માતા સ્કંદમાતાની પૂજા કરીએ છીએ. આપણે બધાએ જોયું છે કે માતા સ્કંદમાતા પણ કમળના આસન પર બિરાજમાન છે અને તેમના બંને હાથમાં કમળનું ફૂલ છે.

  • 06 Apr 2022 10:24 AM (IST)

    'એક ભારત શ્રેષ્ઠ ભારત'ને સાર્થક કરી રહ્યું છે ભાજપ

    BJP ના સ્થાપના દિવસ પર PM  મોદીએ પાર્ટીના કાર્યકરોને સંબોધતા પહેલા વર્ચ્યુઅલ રીતે 'ભારત માતા કી જય'ના ​​નારા લગાવ્યા હતા. આ પછી તેણે જણાવ્યું કે, ભાજપ 'એક ભારત શ્રેષ્ઠ ભારત' ને સાર્થક કરી રહ્યું છે.

  • 06 Apr 2022 10:21 AM (IST)

    ભાજપ પાર્ટીના શાસનથી રાષ્ટ્રીય હિત જળવાઈ રહ્યું : PM મોદી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, એક સમયે ભારત નિરાશામાં ધકેલાઈ ગયુ હતુ.પરંતુ આજે ભાજપ પાર્ટીના શાસનથી રાષ્ટ્રીય હિત જળવાઈ રહ્યું છે.

  • 06 Apr 2022 10:16 AM (IST)

    ભાજપની યાત્રા રાજકીય વિશ્લેષકો માટે આશ્ચર્યજનક બાબતઃ CM યોગી

    લખનૌમાં BJP હેડક્વાર્ટર ખાતે ભાજપના 'સ્થાપના દિવસ' નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે ભાજપની આ યાત્રા દેશ અને દુનિયાના રાજકીય વિશ્લેષકો માટે આશ્ચર્યજનક બાબત છે. ઉપરાંત તેમણે કહ્યું કે ભારતીય જનસંઘની સ્થાપનાનો ઉદ્દેશ્ય એ હતો કે આપણી પાસે સત્તાની રાજનીતિ નથી, આપણે એક રાજકીય પક્ષ તરીકે ભારત માટે સમર્પણની ભાવના પેદા કરનારા લોકોને આગળ વધારવાનું કામ કરવાનું છે.

  • 06 Apr 2022 10:05 AM (IST)

    CM યોગીએ લખનૌમાં પાર્ટીનો ઝંડો ફરકાવ્યો

    ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ ભાજપના 42માં સ્થાપના દિવસે લખનૌ પાર્ટી કાર્યાલયમાં પાર્ટીનો ધ્વજ ફરકાવ્યો.

  • 06 Apr 2022 09:52 AM (IST)

    તમામ કાર્યકરોને સ્થાપના દિવસની શુભકામનાઃ અમિત શાહ

    અમિત શાહે BJP પાર્ટીના સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવતા કહ્યું કે, ભાજપના 42માં સ્થાપના દિવસ નિમિતે પોતાની જાતને ગુમાવીને ભાજપને વટવૃક્ષ બનાવનાર તમામ મહાપુરુષોને વંદન. હું તમામ કાર્યકરોને સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવું છું.

  • 06 Apr 2022 09:49 AM (IST)

    20 એપ્રિલ સુધી ભાજપ અનેક કાર્યક્રમો કરશે

    BJPના મહાસચિવ અરુણ સિંહે મંગળવારે બીજેપી હેડક્વાર્ટરમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કહ્યું હતુ કે, પાર્ટી 7 એપ્રિલથી 20 એપ્રિલ સુધી દેશભરમાં સામાજિક મુદ્દા પર કાર્યક્રમોનું આયોજન કરશે. વધુમાં તેમણે કહ્યું કે આ અભિયાન દરમિયાન પાર્ટીના કાર્યકરો મોદી સરકારની જન કલ્યાણકારી યોજનાઓ વિશે જાગૃતિ ફેલાવશે.

  • 06 Apr 2022 09:47 AM (IST)

    જેપી નડ્ડા પ્રથમ વખત વિદેશી રાજદૂતોના સમૂહ સાથે વાતચીત કરશે

    BJP અધ્યક્ષ જેપી નડ્ડા આજે પાર્ટીના સ્થાપના દિવસે પ્રથમ વખત વિદેશી રાજદૂતોના સમુહ સાથે વાતચીત કરશે અને તેમને તેની વિચારધારા, સંસ્કૃતિ અને કાર્યપદ્ધતિથી માહિતગાર કરશે.

Published On - Apr 06,2022 9:41 AM

Follow Us:
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">