Assam Flood: બ્રહ્મપુત્રા સહિત ઘણી નદીઓના જળસ્તરમાં વધારો થવાથી આસામમાં પૂરની સ્થિતિ વણસી, 2,25,501 લોકો થયા પ્રભાવિત

શનિવારે આસામમાં પૂરની સ્થિતિ વધુ વણસી હતી કારણ કે, બ્રહ્મપુત્રા નદી અને તેની સહાયક નદીઓએ 15 જિલ્લાઓમાં વ્યાપકપણે વિસ્તારોને જળમગ્ન બનાવી દીધા છે.

Assam Flood: બ્રહ્મપુત્રા સહિત ઘણી નદીઓના જળસ્તરમાં વધારો થવાથી આસામમાં પૂરની સ્થિતિ વણસી, 2,25,501 લોકો થયા પ્રભાવિત
ફાઈલ ફોટો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 28, 2021 | 9:46 PM

આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સી (એએસડીએમએ) દ્વારા જારી કરાયેલા દૈનિક બુલેટિન મુજબ, શનિવારે આસામમાં પૂરની સ્થિતિ વધુ વણસી હતી કારણ કે, બ્રહ્મપુત્રા નદી અને તેની સહાયક નદીઓએ 15 જિલ્લાઓમાં વ્યાપકપણે વિસ્તારોને જળમગ્ન બનાવી દીધા છે. જેના કારણે રાજ્યમાં 2,25,501 લોકો પ્રભાવિત થયા હતા. બુલેટિનમાં એવું કહેવામાં આવ્યું છે કે, હજુ સુધી કોઈ માનવી કે પ્રાણીનું મૃત્યુ થયું નથી.

કેચમેન્ટ વિસ્તારમાં સતત ભારે વરસાદને કારણે બકસા, બારપેટા, વિશ્વનાથ, બોંગાઇગાંવ, ચિરાંગ, ધેમાજી, ડિબ્રુગઢ, ગોલાઘાટ, જોરહાટ, લખીમપુર, માજુલી, મોરીગાંવ, શિવસાગર, સોનિતપુર અને તિનસુકિયા જિલ્લાઓ પ્રભાવિત થયા છે. 34 મહેસૂલ વિભાગો હેઠળ 512 ગામો પ્રભાવિત થયા છે.

અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી વહેતી નદીઓના જળ સ્તરમાં સતત વધારો

એક અધિકારીએ જણાવ્યું હતું કે, મોટાભાગના અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી વહેતી નદીઓનું પાણીનું સ્તર વધી રહ્યું છે. સાથે જ ઘણી જગ્યાએ ભયજનક સપાટીથી ઉપર વહી રહ્યું છે. અધિકારીએ જણાવ્યું હતું કે, અરુણાચલ પ્રદેશના ઉપલા વિસ્તારોમાં સતત વરસાદને કારણે બ્રહ્મપુત્રા નદીના જળસ્તરમાં વધારો થયો છે. જેના કારણે રાજ્યમાં પૂર આવ્યું છે. લખીમપુરમાં મહત્તમ 91,437 લોકોને અસર થઈ છે, ત્યારબાદ માજુલીમાં 47,752 અને ધેમાજીમાં 31,839 લોકો પ્રભાવિત થયા છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

અધિકારીએ જણાવ્યું કે, બોંગાઇગાંવ, ચિરાંગ, ધેમાજી અને માજુલીના જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્થાપિત 62 રાહત શિબિરોમાં કુલ 6898 લોકોએ આશ્રય લીધો છે, જ્યારે બકસા, ડિબ્રુઢ અને જોરહાટમાં રાહત કેન્દ્રો તૈયાર રાખવામાં આવ્યા છે. આ દરમિયાન શનિવારે બોટ દ્વારા 20 લોકો અને 40 પ્રાણીઓને સુરક્ષિત રીતે બહાર કાવામાં આવ્યા હતા અને અત્યાર સુધીમાં છ મેડિકલ ટીમો તૈનાત કરવામાં આવી છે.

બક્સા અને બોંગાઇગાંવ જિલ્લામાં 41 મકાનોને નુકસાન થયાના અહેવાલ છે. ચિરાંગ અને સોનીતપુરમાં એક-એક પુલ અને બોંગાઇગાંવ, ચિરાંગ, ગોલાઘાટ, માજુલી અને શિવસાગરના 27 રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા છે, જો કે અત્યાર સુધી કોઇ પાળા તૂટી નથી.

આ પણ વાંચો: Maharashtra : નારાયણ રાણેએ ઉદ્ધવ ઠાકરે પર કર્યા પ્રહાર, કહ્યુ “હું શિવસેના વિશે ઘણું જાણું છું, ધીમે ધીમે પોલ ખોલીશ”

આ પણ વાંચો: Tokyo Paralympics 2020: PM મોદીએ ભાવિના પટેલની સફળતાને કરી સલામ, ટ્વીટ કરીને કહ્યુ સમગ્ર રાષ્ટ્રને તમારા પર ગર્વ છે

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">