રાજ્યની રાજધાની બદલવાની થઈ જાહેરાત, આ જૂનું શહેર બનશે નવી રાજધાની, મુખ્યમંત્રીએ કરી જાહેરાત

આ રાજ્યના લોકો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા હતા. રાજ્યના મુખ્યમંત્રીએ આજે રાજ્યની નવી રાજધાનીની જાહેરાત કરી છે. એક જૂનું શહેર હવે રાજ્યની નવી રાજધાની બનવા જઈ રહી છે.

રાજ્યની રાજધાની બદલવાની થઈ જાહેરાત, આ જૂનું શહેર બનશે નવી રાજધાની, મુખ્યમંત્રીએ કરી જાહેરાત
રાજ્યની રાજધાની બદલવાની થઈ જાહેરાતImage Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 31, 2023 | 8:41 PM

આ રાજ્યના લોકો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. આ સામાચાર જાણી રાજ્ય સહિત આખા દેશના લોકોમાં ચર્ચા થઈ રહી છે. રાજ્યના મુખ્યમંત્રીએ આજે રાજ્યની નવી રાજધાનીની જાહેરાત કરી છે. એક જૂનું શહેર હવે રાજ્યની નવી રાજધાની બનવા જઈ રહી છે. આ વાત આંધ્રપ્રદેશ રાજયની છે. આજે મંગળવારે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ ઘોષણા કરી છે કે, આંધ્રપ્રદેશની રાજધાની હવે વિશાખાપટ્ટનમ હશે.

આંધ્રપ્રદેશથી તેલંગણા રાજ્ય અલગ થયા બાદ આંધ્રપ્રદેશની નવી રાજધાની જાહેરાત કરવાની માગ થઈ રહી હતી. વિશાખાપટ્ટનમ સિવાય કુરનૂલ અને અમરાવતી પણ રાજધાની બનવાની રેસમાં હતી. પણ રાજધાની તરીકે આજે આંધ્રપ્રદેશના સૌથી મોટા શહેરને પસંદ કરવામાં આવી છે

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

અમરાવતી બનવાની હતી આંધ્રપ્રદેશની નવી રાજધાની

આ શહેરનો પાયો 22 ઓક્ટોબર 2015ના રોજ ઉદ્દદારયુનીપાલેમ ખાતે નાખવામાં આવ્યો હતો. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આંધ્ર પ્રદેશના મુખ્યપ્રધાન એન. ચંદ્રબાબુ નાયડુ, ભારતના ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ મુપ્પાવરાપુ વેંકૈયા નાયડુ, રાજ્યપાલ E. S. L. નરસિમ્હન, અર્થતંત્ર વેપાર અને ઉદ્યોગ માટે જાપાનીઝ પ્રધાન, યોસુકે તાકાગી અને સિંગાપોરના વેપાર અને ઉદ્યોગ મંત્રી એસ. ઇશ્વરાએ શહેરનો પાયો નાખ્યો હતો.

તેલંગાણાના અલગ થયા બાદ તત્કાલીન સીએમ અને ટીડીપી નેતા ચંદ્રબાબુ નાયડુએ અમરાવતીને રાજ્યની ગ્રીનફિલ્ડ રાજધાની બનાવવાની જાહેરાત કરી હતી. જ્યારે આ અંગે વિવાદ થયો ત્યારે રાજધાનીની ઓળખ માટે શિવરામકૃષ્ણન સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિએ સ્પષ્ટ કહ્યું હતું કે વિજયવાડા અને ગુંટુરની વચ્ચે સ્થિત આ શહેર રાજ્યની રાજધાની ન હોવી જોઈએ.

સમિતિના અહેવાલને અવગણીને નાયડુએ અમરાવતીને સિંગાપોરની તર્જ પર બાંધવામાં આવશે તેવી જાહેરાત કરીને જમીન સંપાદનની તૈયારી શરૂ કરી દીધી. જો કે, સરકાર અધવચ્ચે જ નીકળી ગઈ અને જગન મોહન રેડ્ડીએ સીએમ બન્યા પછી આ નિર્ણયને પલટી નાખ્યો.

મુખ્યમંત્રીએ નવી રાજધાનીની કરી જાહેરાત

આંધ્રપ્રદેશની વિત્તીય રાજધાની તરીકે વિશાખાપટ્ટનમને ઓળખવામાં આવે છે. ખાસ કરીને આ શહેરને ‘ભાગ્યનું શહેર’ અને પૂર્વી તટના ઘરેણા તરીકે ઓળખવામાં આવે છે. વિશાખાપટ્ટમ આંધ્રપ્રદેશનું સૌથી મોટું શહેર છે અને તે રોકાણનું સૌથી મોટું કેન્દ્ર પણ બની શકે છે આ શહેર હાઈવે, હવાઈ, રેલ અને જળમાર્ગથી જોડાયેલું છે.

કનેક્ટિવિટી સારી હોવાને કારણે આ શહેરમાં આર્થિક ક્ષમતા વધારે છે. અહીં સંપન્ન બંદરો અને આઈટી ઉદ્યોગનું એક પ્રમુખ આર્થિક કેન્દ્ર પણ છે. આ શહેર તેની પ્રાકૃતિક સુંદરતા માટે પણ જાણીતું છે. આ શહેર દેશના પ્રમુખ પર્યટન સ્થળોમાંથી એક છે.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">