સંસદના ચોમાસુ સત્ર પહેલા મળેલી સર્વપક્ષિય બેઠકમાં 36 પાર્ટીએ લીધો ભાગ, વિપક્ષે કેન્દ્ર સરકાર સામે રાખ્યા 13 મુદ્દા

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સદનના સદસ્યોને સૂચિત કર્યા કે સત્ર કે દરમિયાન 18 બેઠકો થશે જેમા કુલ 108 કલાક રહેશે, જેમા 62 કલાક સરકારી કામકાજ માટે રહેશે અને બાકીના કલાકો પ્રશ્નોત્તરીકાળ, ઝીરો અવર, અને બિન-સરકારી કામકાજ માટે ફાળવાશે.

સંસદના ચોમાસુ સત્ર પહેલા મળેલી સર્વપક્ષિય બેઠકમાં 36 પાર્ટીએ લીધો ભાગ, વિપક્ષે કેન્દ્ર સરકાર સામે રાખ્યા 13 મુદ્દા
ચોમાસુ સત્ર પહેલા મળી સર્વપક્ષીય બેઠકImage Credit source: Twitter (@Kharge)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 17, 2022 | 4:01 PM

સંસદના (Parliament) ચોમાસુ સત્ર પહેલા કેન્દ્ર સરકારે રવિવારે સર્વપક્ષીય બેઠક (All Party Meeting) બોલાઈ. આ બેઠક સંસદની જૂની ઈમારત ખાતે મળી હતી. સંસદનું ચોમાસુ સત્ર (Parliament Monsoon Session) 18 જુલાઈથી એટલે કે આવતીકાલથી શરૂ થઈ રહ્યું છે. આ બેઠક લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ સંસદના મોનસુન સત્રના એક દિવસ પહેલા બોલાવી હતી. જેથી સંસદની કાર્યવાહીનું સંચાલન સુચારુ ઢબે થઈ શકે. . આ સર્વપક્ષીય બેઠકમાં તૃણમૂલ સાંસદ સુદીપ બંદોપાધ્યાય, કોંગ્રેસ સાંસદ મલ્લીકાર્જુન ખડગે, ભાજપના સાંસદ અર્જુન રામ મેઘવાલ અને અપના દળની સાંસદ સુપ્રિયા પટેલ સહિત અનેક નેતા હાજર રહ્યા હતા.

આ બેઠક બાદ કોંગ્રેસના નેતા મલ્લ્કાર્જુન ખડગેએ જણાવ્યુ કે ‘આ સર્વપક્ષીય બેઠકમાં અનેક મુદ્દા પર ચર્ચા થઈ અને અમે ઓછામાં ઓછા 13 મુદ્દાઓ સરકાર સામે રાખ્યા છે. 20 જેટલા મુદ્દાઓ બેઠક દરમિયાન સામે આવ્યા છે. જો કે એવુ પણ જણાવાયુ છે કે 32 બિલ છે જે પૈકી ફક્ત 14 બિલ તૈયાર છે. જોકે આ 14 બિલ ક્યા છે તે મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યુ ન હતુ. ખડગેએ વધુમાં જણાવ્યું હતું કે, ‘સત્રમાં વિદેશ નીતિ, ચીની ઘુસણખોરી, વન મંત્રણા અધિનિયમમાં ફેરફાર તેમજ કશ્મીર અને કશ્મીરી પંડિતોને સંબંધિત મુદ્દાઓ, કોંગ્રેસ નેતાઓ પરના હુમલા સહિતના અનેક મુદ્દે ચર્ચા થવી જોઈએ.’

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

સત્રમાં વિપક્ષ ઉઠાવશે અનેક મુદ્દા

આ અગાઉ શનિવારે પણ સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઓમ બિરલાએ તમામ દળોને આહ્વાન કર્યું હતું કે  સદનને શાલીનતા, ગરીમા અને શિસ્ત સાથે સુચારૂ ઢબે ચલાવવામાં સહયોગ કરો. શનિવારે મળેલી બેઠકમાં બિરલાએ તમામ દળોના નેતાઓને સત્રની તૈયારીઓ અંગે જાણકારી આપી હતી. આ દરમિયાન તમામ દળોના નેતાઓએ સદનને ગરીમા સાથે ચલાવવામાં સહયોગ કરવાની ખાતરી આપી હતી. જોકે વિપક્ષી દળોએ એવુ પણ જણાવ્યુ કે આ સત્રમાં તેઓ અગ્નિપથ યોજના, બેરોજગારી, અને ખેડૂતોને લગતા મુદ્દાઓ ઉઠાવશે.

સત્ર દરમિયાન 18 બેઠકો થશે

સર્વપક્ષીય બેઠકમાં ચોમાસુ સત્રમાં આવનારા મુદ્દા અને વિવિધ વિધેયકો પર ચર્ચા માટે સમયની ફાળવણી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. બિરલાએ સભ્યોને જણાવ્યુ કે સત્ર દરમિયાન 18 બેઠકો થશે અને કુલ 108 કલાકનો સમય રહેશે. જેમાં લગભગ 62 કલાક સરકારી કામકાજ માટે રહેશે. બાકીનો સમય પ્રશ્નકાળ, શૂન્ય કાળ અને બિન-સરકારી કામકાજ માટે ફાળવવામાં આવશે.

બિનસંસદીય શબ્દોનો ઉપયોગ નહીં

આ બેઠકમાં બિનસંસદીય શબ્દોની યાદીને લગતો મુદ્દો પણ ઉઠ્યો હતો. બિરલાએ કહ્યું કે કોઈપણ પાર્ટી સત્ર દરમિયાન બિનસંસદીય શબ્દોનો ઉપયોગ કરશે નહીં. આ બેઠકમાં સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશી અને રાજ્ય મંત્રી અર્જુન રામ મેઘવાલે સરકારનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જોશીએ સરકારી કામકાજની યાદી રાખી હતી જેમા 14 પેન્ડિંગ બિલ અને 24 નવા બિલનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે લોકસભાના અધ્યક્ષ સંસદના દરેક સત્રની શરૂઆત પહેલા સર્વપક્ષીય બેઠક યોજે છે. સંસદનું ચોમાસુ સત્ર 18 જુલાઈ એટલે કે સોમવારથી શરૂ થઈ રહ્યું છે.

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">