અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના આત્મહત્યા કેસ મામલે ઘરના નોકરે કર્યો આ મોટો ખુલાસો
બોલિવુડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા મામલે સતત નવા ખુલાસા થઈ રહ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સુશાંતના નોકરે બિહાર પોલીસને પૂછતાછ દરમિયાન જણાવ્યું કે આત્મહત્યા પહેલાની રાત્રે સુશાંતના ઘરે કોઈ પાર્ટી થઈ નહતી. Web Stories View more SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે? ગરમીમાં કોલ્ડ […]
બોલિવુડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા મામલે સતત નવા ખુલાસા થઈ રહ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સુશાંતના નોકરે બિહાર પોલીસને પૂછતાછ દરમિયાન જણાવ્યું કે આત્મહત્યા પહેલાની રાત્રે સુશાંતના ઘરે કોઈ પાર્ટી થઈ નહતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
સુશાંતના નોકરે બિહાર પોલીસને જણાવ્યું કે 13 જૂનની રાત્રે જમ્યા પછી સુશાંત તેમના બેડરૂમમાં જ હતો. 14 જૂને પણ સુશાંત રોજની જેમ સવારે જલ્દી ઉઠી ગયા હતા. તે રાત્રે સુશાંત બહાર નહતા ગયા અને ઘર પર કોઈ પાર્ટી પણ થઈ નહતી.
ઉલ્લેખનીય છે કે આ પહેલા મુંબઈ પોલીસે પણ અધિકૃત રીતે પાર્ટી હોવાની વાતોને ફગાવી દીધી હતી. સુશાંતની કોલ ડિટેલથી મળતી જાણકારી મુજબ સુશાંતે મોડી રાત્રે લગભગ 2 વાગ્યે બે ફોન કોલ કર્યા હતા. આ ફોન કોલ રિયા ચક્રવર્તી અને તેમના મિત્ર મહેશ શેટ્ટીને કરવામાં આવ્યા હતા પણ બંને સાથે તેમની વાત થઈ શકી નહતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો