શિવસેના પર મહારાષ્ટ્રમાં લડાઈ આરપાર, સુપ્રીમમાં 8 ઓગસ્ટે સુનાવણી મૂલતવી થવાના એંધાણ

|

Aug 07, 2022 | 9:40 AM

સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) શિવસેનાના શિંદે અને ઠાકરે જૂથની અરજીઓ પર સુનાવણી હવે 8 ઓગસ્ટના બદલે 12 ઓગસ્ટે થશે એટલે કે કેબિનેટનું વિસ્તરણ પણ હવે અટકી જશે.

શિવસેના પર મહારાષ્ટ્રમાં લડાઈ આરપાર, સુપ્રીમમાં 8 ઓગસ્ટે સુનાવણી મૂલતવી થવાના એંધાણ
Shivsena controversy

Follow us on

મહારાષ્ટ્રમાં CM એકનાથ શિંદે (CM Eknath Shinde) અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસના (Dy CM Devendra Fadanvis)  શપથ લીધાને 37 દિવસ વીતી ગયા છે, પરંતુ હજુ સુધી કેબિનેટનું વિસ્તરણ થયું નથી. આના પર વિપક્ષ સતત એવો કટાક્ષ કરી રહ્યો છે કે સુપ્રીમ કોર્ટના (Supreme Court)  નિર્ણયમાં શિંદે જૂથના 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા અને જો તે ધારાસભ્યોને કેબિનેટ વિસ્તરણમાં મંત્રી બનાવવામાં આવશે તો શિંદે સરકાર માટે મુશ્કેલી ઊભી થશે. તેથી જ શિંદે જૂથ સુપ્રીમ કોર્ટના નિર્ણયની રાહ જોઈ રહ્યો છે.

12 ઓગસ્ટે સુનાવણી થવાની શક્યતા

સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે 8 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટ સમક્ષ ઘણા વધુ મહત્વના કેસોની સુનાવણી છે. આવી સ્થિતિમાં શિવસેનાના (Shiv sena) ચૂંટણી ચિન્હ પર કોનો અધિકાર, આ પ્રશ્ન અને શિવસેનાની બાકીની ચાર અરજીઓ અને શિંદે જૂથની અરજી પર હવે 8 ઓગસ્ટના બદલે 12 ઓગસ્ટે સુનાવણી થાય તેવી શક્યતા વધુ છે.

સુપ્રીમ કોર્ટમાં ઉદ્ધવ જૂથનો દાવો

ઉદ્ધવ જૂથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે કે શિંદે જૂથમાં ગયેલા 16 ધારાસભ્યોએ પક્ષના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. તેથી તેમની વિધાનસભા રદ્દ કરવી જોઈએ. શિવસેનાની દલીલ છે કે પાર્ટીની અંદર કોઈ પણ જૂથ અચાનક અલગ થઈ શકે નહીં અને નક્કી કરી શકે કે તે કોની પાર્ટીનો છે. શિવસેના પર હવે તેમનો કોઈ અધિકાર નથી. તેમના માટે એકમાત્ર રસ્તો એ છે કે તેઓ તેમના જૂથને અન્ય પક્ષમાં વિલીન કરે. તેમજ શિવસેનાને પકડવાની કોશિશ ન કરો.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

તો બીજી તરફ શિંદે જૂથનો દાવો છે કે તેઓ શિવસેનાથી અલગ થયા નથી. તેઓ બાળાસાહેબના (Balasaheb) વિચારોને અનુસરનારા લોકો છે. ઊલટાનું, ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસ (Congress) અને NCP સાથે હાથ મિલાવીને હિન્દુત્વ છોડી દીધું અને બાળાસાહેબના વિચારો છોડી દીધા. શિંદે જૂથનો દાવો છે કે તેમણે શિવસેનામાં રહીને બસ નેતૃત્વને પડકાર ફેંક્યો છે. તેમની પાસે ધારાસભ્યો અને સાંસદોની બહુમતી છે. અને જેની પાસે બહુમતી હોય તે નેતૃત્વ સંભાળી શકે છે.

Published On - 9:39 am, Sun, 7 August 22

Next Article