Loudspeaker Row : રાજ ઠાકરેની અપીલ, અજાન સામે લાઉડસ્પીકરમાં હનુમાન ચાલીસા વગાડો, મુંબઈ પોલીસે પાઠવી નોટીસ

મુંબઈ પોલીસ (Mumbai Police Notice) દ્વારા રાજ ઠાકરેને (Raj Thackeray MNS) નોટિસ મોકલવામાં આવી છે. આ નોટિસ CrPC ની કલમ 149 હેઠળ પ્રતિબંધાત્મક પગલાં (Preventive Measures) તરીકે મોકલવામાં આવી છે.

Loudspeaker Row : રાજ ઠાકરેની અપીલ, અજાન સામે લાઉડસ્પીકરમાં હનુમાન ચાલીસા વગાડો, મુંબઈ પોલીસે પાઠવી નોટીસ
Raj Thackeray (file photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 04, 2022 | 6:45 AM

મુંબઈ પોલીસ દ્વારા મહારાષ્ટ્ર નવનિર્માણના વડા રાજ ઠાકરેને (Raj Thackeray MNS) નોટિસ મોકલવામાં આવી છે. આ નોટિસ CrPC ની કલમ 149 હેઠળ પ્રતિબંધાત્મક પગલાંના (Preventive Measures) ભાગરૂપે મોકલવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થામાં ખલેલ ન પડે તે માટે મુંબઈ પોલીસે રાજ ઠાકરેને આ નોટિસ (Mumbai Police Notice)  મોકલી છે. આ નોટિસ હેઠળ, સંબંધિત વ્યક્તિને એવું કોઈ કામ ન કરવા સૂચના આપવામાં આવી છે, જેનાથી કાયદો અને વ્યવસ્થા અને શાંતિમાં ખલેલ પહોંચે, અન્યથા કાર્યવાહી કરવામાં આવશે. રાજ ઠાકરેએ મંગળવારે સાંજે પોતાના અલ્ટીમેટમને વળગી રહેતાં દેશભરના હિંદુઓને અપીલ કરી હતી કે 4 મે, બુધવારથી જ્યાં પણ મસ્જિદોમાંથી લાઉડસ્પીકરમાં અજાન સંભળાય, ત્યાં હનુમાન ચાલીસા લાઉડસ્પીકરમાં (Loudspeaker) મોટા અવાજે વગાડો.

રાજ ઠાકરેએ 1 મેના રોજ ઔરંગાબાદની રેલીમાં અલ્ટીમેટમ આપ્યું હતું કે જો 3 મે પછી પણ મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવામાં નહીં આવે તો MNS કાર્યકર્તાઓ મસ્જિદોની સામે જગ્યાએ મોટેથી હનુમાન ચાલીસાના પાઠ કરશે. આ પછી, 3 મેના રોજ સાંજે, રાજ ઠાકરેએ જાહેરાત કરી કે આવતીકાલથી (બુધવારથી) મસ્જિદોમાં લાઉડસ્પીકર દ્વારા જ્યાં પણ અજાન સંભળાય ત્યાં હનુમાન ચાલીસાનો પાઠ મોટા અવાજે વગાડવામાં આવશે. આ પછી, મુંબઈ પોલીસ તરત જ એક્શનમાં આવી ગઈ, CrPC ની કલમ 149 હેઠળ, રાજ ઠાકરે પર પ્રતિબંધાત્મક પગલાં લીધા અને નોટિસ પાઠવી. એટલે કે આજે 4 મેના રોજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડશે તો રાજ ઠાકરે સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

રાજ ઠાકરે પીછેહઠ કરવા તૈયાર નથી

રાજ ઠાકરેએ તમામ હિંદુઓને પત્ર લખીને MNS કાર્યકર્તાઓ અને જનતાને લાઉડસ્પીકરમાં પોકારાતી અજાન વિરુદ્ધ આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની અપીલ કરી છે. તેમણે પત્ર લખીને કહ્યું છે કે જ્યાં અનધિકૃત લાઉડસ્પીકર દેખાય ત્યાં હનુમાન ચાલીસાનો પાઠ મોટા અવાજે લાઉડસ્પીકરમાં વગાડો. તેમને પણ ખ્યાલ આવે કે મુશ્કેલી કેવી અને શું હોય છે. રાજ ઠાકરેએ વધુમાં કહ્યું કે લાઉડસ્પીકર પરથી અજાન સંભળાય કે તરત જ પોલીસને ફોન કરો અને ફરિયાદ કરો.

Latest News Updates

ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
g clip-path="url(#clip0_868_265)">