AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મુંબઈ પોલીસની રાજ ઠાકરેને નોટિસ, મસ્જિદોમાં લાઉડ સ્પીકરો સામે હનુમાન ચાલીસાના કાર્યક્રમને લઈ કલમ 149 હેઠળ કાર્યવાહી

Loudspeaker Row: આ નોટિસ CrPCની કલમ 149 હેઠળ પ્રતિબંધાત્મક કાર્યવાહી (Preventive Measures) તરીકે મોકલવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થામાં ખલેલ ન પડે તે માટે મુંબઈ પોલીસે રાજ ઠાકરેને આ નોટિસ મોકલી છે.

મુંબઈ પોલીસની રાજ ઠાકરેને નોટિસ, મસ્જિદોમાં લાઉડ સ્પીકરો સામે હનુમાન ચાલીસાના કાર્યક્રમને લઈ કલમ 149 હેઠળ કાર્યવાહી
Raj ThackerayImage Credit source: File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: May 03, 2022 | 11:26 PM
Share

મુંબઈ પોલીસ (Mumbai Police) દ્વારા મહારાષ્ટ્ર નવનિર્માણના વડા રાજ ઠાકરેને (Raj Thackeray MNS) નોટિસ મોકલવામાં આવી છે. આ નોટિસ CrPCની કલમ 149 હેઠળ પ્રતિબંધાત્મક કાર્યવાહી (Preventive Measures) તરીકે મોકલવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થામાં ખલેલ ન પડે તે માટે મુંબઈ પોલીસે રાજ ઠાકરેને આ નોટિસ મોકલી છે. આ નોટિસ હેઠળ સંબંધિત વ્યક્તિને એવું કોઈ કામ ન કરવા સૂચના આપવામાં આવી છે, જેનાથી કાયદો અને વ્યવસ્થા અને શાંતિમાં ખલેલ પહોંચે, નહીં તો કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવે છે. રાજ ઠાકરેએ મંગળવારે સાંજે પોતાના અલ્ટીમેટમને વળગી રહેતાં દેશભરના હિંદુઓને અપીલ કરી હતી કે આવતીકાલથી (4 મે, બુધવાર) જ્યાં પણ મસ્જિદોમાંથી લાઉડસ્પીકર (Loudspeaker) પર અઝાન સંભળાય છે, ત્યાં બેવડા અવાજમાં હનુમાન ચાલીસાનો (Hanuman Chalisa) પાઠ કરો.

રાજ ઠાકરેએ 1 મેના રોજ ઔરંગાબાદની રેલીમાં અલ્ટીમેટમ આપ્યું હતું કે જો 3 મે પછી પણ મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવામાં નહીં આવે તો MNS કાર્યકર્તાઓ મસ્જિદોની સામે જગ્યાએ જગ્યાએ બેવડા અવાજમાં હનુમાન ચાલીસાના પાઠ કરશે. આ પછી 3 મેના રોજ સાંજે રાજ ઠાકરેએ જાહેરાત કરી કે આવતીકાલથી મસ્જિદોમાં લાઉડસ્પીકરથી જ્યાં પણ અઝાન સંભળાય છે, ત્યાં હનુમાન ચાલીસાનો પાઠ ડબલ અવાજમાં કરવામાં આવશે. આ પછી મુંબઈ પોલીસ તરત જ એક્શનમાં આવી ગઈ, CrPCની કલમ 149 હેઠળ, રાજ ઠાકરે પર પ્રતિબંધાત્મક કાર્યવાહી કરી અને નોટિસ આપી. એટલે કે કાલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડશે તો રાજ ઠાકરેએ કાર્યવાહીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે.

આ પહેલા પણ રાજ ઠાકરે સામે નોંધાયો કેસ

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પ્રમુખ રાજ ઠાકરે વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. 1 મેના રોજ ઔરંગાબાદની રેલીમાં ભડકાઉ ભાષણને લઈને કેસ નોંધવામાં આવ્યો છે. ઔરંગાબાદ સિટી ચોક પોલીસ સ્ટેશનમાં (Aurangabad Police) કેસ નોંધવામાં આવ્યો છે. રાજ ઠાકરેએ ઔરંગાબાદની રેલીમાં તેમના અલ્ટીમેટમનો પુનરોચ્ચાર કર્યો હતો કે જો ત્રણ તારીખ પછી પણ મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવામાં નહીં આવે તો મનસે કાર્યકર્તાઓ મસ્જિદોની સામે હનુમાન ચાલીસાના પાઠ કરશે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ ઠાકરેને સભા આયોજિત કરતા પહેલા પરવાનગી આપતી વખતે જે 16 શરતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, તેમાંથી 12 શરતોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. મનસે નેતા અવિનાશ જાધવે અમારી સહયોગી ન્યૂઝ ચેનલ TV9 મરાઠી સાથે વાત કરતા કહ્યું કે આની પહેલાથી આશંકા હતી. રાજ ઠાકરેની ધરપકડની તૈયારીમાં આ પહેલું પગલું છે.

Follow Us
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AI પર લગામ: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય
AI પર લગામ: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
g clip-path="url(#clip0_868_265)">