Maharashtra: રાણા દંપતીને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા, 29 એપ્રિલે જામીન અરજી પર સુનાવણી

|

Apr 24, 2022 | 2:39 PM

સાંસદ નવનીત રાણા (Navneet Rana) અને તેમના ધારાસભ્ય પતિ (Ravi Rana)ને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. આ સાથે રાણા દંપતીએ જામીન અરજી પણ કરી છે. તેમની જામીન પર સુનાવણી 29 એપ્રિલે થશે.

Maharashtra: રાણા દંપતીને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા, 29 એપ્રિલે જામીન અરજી પર સુનાવણી
રાણા દંપતીને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા, 29 એપ્રિલે જામીન અરજી પર સુનાવણી
Image Credit source: Tv9 Network

Follow us on

Maharashtra: અમરાવતીના સાંસદ નવનીત રાણા (Navneet Rana) અને તેમના ધારાસભ્ય પતિ (Ravi Rana)ને 14 દિવસની ન્યાયિક કસ્ટડી (Judicial Custody)માં મોકલવામાં આવ્યા છે. બાંદ્રા હોલીડે કોર્ટના આ નિર્ણય બાદ રાણા દંપતીએ જામીન અરજી માટે અપીલ કરી છે. તેમની જામીન પર સુનાવણી 29 એપ્રિલે થશે. મહિલા આરોપીઓને ભાયખલા જેલમાં મોકલવામાં આવે છે. પુરૂષ આરોપીને આર્થર રોડ જેલમાં મોકલવામાં આવે છે. આવી સ્થિતિમાં નવનીત રાણાને ભાયખલા જેલમાં અને રવિ રાણાને મુંબઈની આર્થર રોડ જેલમાં મોકલી શકાય છે. જામીન અરજી પર સુનાવણી 29 એપ્રિલે થવાની છે. ત્યાં સુધી રાણા દંપતી જેલમાં જ રહેશે.

સરકારી વકીલ પ્રદીપે કોર્ટના નિર્ણય બાદ જણાવ્યું હતું કે રાણા દંપતીને 149 હેઠળ નોટિસ આપવામાં આવી હતી, તેમ છતાં તેમણે નોટિસનો અનાદર કર્યો હતો અને મુખ્યપ્રધાન વિશે વાંધાજનક નિવેદનો કર્યા હતા અને આમ મહારાષ્ટ્ર સરકારને પડકાર્યો હતો. કોઈના ઘરે જવું હોય તો તેની પરવાનગી લેવી પડે છે. પરંતુ તે પરવાનગી વિના મુખ્યમંત્રીના ઘરે જવા માટે મક્કમ હતા. તેથી રાણા દંપતી વિરુદ્ધ 124-A હેઠળ રાજદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો છે. એટલે કે રાણા પર રાજદ્રોહનો આરોપ છે. આ રીતે રાણા દંપતી પર તેમના નિવેદનોથી તણાવ ફેલાવવાનો અને સરકાર વિરુદ્ધ ભડકાઉ ભાષણ કરવાનો આરોપ છે. રાજદ્રોહ એ બિનજામીનપાત્ર ગુનો છે.

વકીલ રિઝવાન મર્ચન્ટે રાણા દંપતી સામેના કેસને બોગસ ગણાવ્યો

બીજી તરફ રાણા દંપતીના વકીલ રિઝવાન મર્ચન્ટે જણાવ્યું હતું કે સરકારી વકીલે કોર્ટને એવો કોઈ પુરાવો આપ્યો નથી કે રાણા દંપતીએ મુખ્યમંત્રી કે મહારાષ્ટ્ર સરકાર વિરુદ્ધ કોઈ વાંધાજનક નિવેદન આપ્યું હોય. માત્ર રાણા દંપતી જ હનુમાન ચાલીસાના પાઠ કરવા માંગતા હતા. પ્રાર્થના કરવી એ ગુનો નથી. આ એક બોગસ કેસ છે. જેની કોઈ જમીન નથી. મુંબઈ પોલીસે બીજી કલમ 353 હેઠળ કેસ નોંધ્યો છે.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?

 

 

આ પણ વાંચો :

રાણા કપૂરનો આક્ષેપ, પ્રિયંકા ગાંધી પાસેથી 2 કરોડમાં પેઈન્ટિંગ ખરીદવા કરાયુ હતુ દબાણ, એ રૂપિયામાંથી સોનિયા ગાંધીની વિદેશમાં કરાઈ સારવાર

Next Article