AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાણા કપૂરનો આક્ષેપ, પ્રિયંકા ગાંધી પાસેથી 2 કરોડમાં પેઈન્ટિંગ ખરીદવા કરાયુ હતુ દબાણ, એ રૂપિયામાંથી સોનિયા ગાંધીની વિદેશમાં કરાઈ સારવાર

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં રાણા કપૂરને ટાંકવામાં આવ્યા છે કે તેમના પર એમએફ હુસૈનના પેઇન્ટિંગ પ્રિયંકા ગાંધી પાસેથી રૂપિયા 2 કરોડમાં ખરીદવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. ખરીદાયેલા પેઈન્ટીગના રૂપિયાનો ઉપયોગ ન્યૂયોર્કમાં સોનિયા ગાંધીની સારવાર માટે કરવામાં આવ્યો હતો.

રાણા કપૂરનો આક્ષેપ, પ્રિયંકા ગાંધી પાસેથી 2 કરોડમાં પેઈન્ટિંગ ખરીદવા કરાયુ હતુ દબાણ, એ રૂપિયામાંથી સોનિયા ગાંધીની વિદેશમાં કરાઈ સારવાર
Rana Kapoor, Sonia Gandhi, Priyanka Gandhi Vadra (file photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 24, 2022 | 7:56 AM
Share

યસ બેંકના (Yes Bank) કો-ફાઉન્ડર રાણા કપૂરે (Rana Kapoor) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને (ED) સનસનાટીભર્યું નિવેદન આપ્યું છે. રાણા કપૂરે EDને જણાવ્યું હતું કે પ્રિયંકા ગાંધી (PRIYNKA GANDHI) પાસેથી એમએફ હુસૈનના ચિત્રો ખરીદવા માટે તેમના પર દબાણ કરવામાં આવ્યું હતું. પહેલા તેણે પ્રિયંકા ગાંધી પાસેથી તે પેઇન્ટિંગ ખરીદ્યું હતું. બાદમાં તે પૈસાનો ઉપયોગ સોનિયા ગાંધીની (Sonia Gandhi) ન્યૂયોર્કમાં સારવાર કરાવવા માટે કરવામાં આવ્યો હતો. ED દ્વારા સ્પેશિયલ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ચાર્ટ શીટમાં આ દાવો કરવામાં આવ્યો છે. ચાર્જશીટમાં જણાવાયું છે કે તત્કાલિન પેટ્રોલિયમ મંત્રી મુરલી દેવરાએ રાણા કપૂરને કહ્યું હતું કે જો તેઓ પ્રિયંકા ગાંધી પાસેથી એમએફ હુસૈનના ચિત્રો નહીં ખરીદે તો ગાંધી પરિવાર સાથેના તેમના સંબંધો બગડી શકે છે. આ સિવાય તેમને મળનારા પદ્મ સન્માનમાં પણ મુશ્કેલી પડશે.

રાણા કપૂરનું આ કથિત નિવેદન એ યસ બેંકના સહ-સ્થાપક, તેમના પરિવાર, દીવાન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (DHFL) ના પ્રમોટર્સ કપિલ અને ધીરજ વાધવાન અને અન્યો સામે મની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા દાખલ કરવામાં આવેલી બીજી પૂરક ( કુલ ત્રણ ભાગ) ચાર્જશીટ છે. ચાર્જશીટ અનુસાર, કપૂરે દાવો કર્યો છે કે તેણે પેઈન્ટિંગ માટે 2 કરોડ રૂપિયાનો ચેક ચૂકવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે મિલિંદ દેવરા (પૂર્વ કોંગ્રેસના સાંસદ અને સ્વર્ગસ્થ મુરલી દેવરાના પુત્ર)એ તેમને ગુપ્ત રીતે જાણ કરી હતી કે આ પેઇન્ટિંગના વેચાણમાંથી મળેલી રકમનો ઉપયોગ ગાંધી પરિવાર ન્યૂયોર્કમાં સોનિયા ગાંધીની સારવાર માટે કરશે.

અહેમદ પટેલે કહ્યું કે હવે પદ્મ ભૂષણ એનાયત થશે

કપૂરે EDને એમ પણ જણાવ્યું હતું કે સોનિયા ગાંધીના નજીકના સાથી અહેમદ પટેલે તેમને કહ્યું હતું કે તેમણે (કપૂરે) આ યોગ્ય સમયે સોનિયા ગાંધીની સારવારમાં ગાંધી પરિવારની મદદ કરીને સારું કામ કર્યું છે અને તેમને સન્માન આપવાનું કહેવામાં આવ્યું હતું. તેમના નામ પર પદ્મ ભૂષણ યોગ્ય રીતે આપવામાં આવશે. ચાર્જશીટ મુજબ, મુરલી દેવરાએ રાણા કપૂરને સમજાવવાનો પણ પ્રયાસ કર્યો હતો કે પેઇન્ટિંગ ખરીદવાનો તેમનો ઇનકાર તેમને ગાંધી પરિવાર સાથે સંબંધ બાંધવાની તક નહીં આપે અને તેમને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં પણ નહી આવે.

રાણા કપૂર માર્ચ 2020 થી કસ્ટડીમાં છે

EDને આપેલા નિવેદનમાં, કપૂરે દાવો કર્યો હતો કે સ્વર્ગસ્થ દેવરાએ રાત્રિભોજન દરમિયાન કહ્યું હતું કે પેઇન્ટિંગ ખરીદવાનો તેમનો ઇનકાર તેમના અને યસ બેંક પર પ્રતિકૂળ અસર કરી શકે છે. રાણા કપૂરની માર્ચ 2020 માં ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં તે ન્યાયિક કસ્ટડીમાં છે. કપૂર દ્વારા પ્રિયંકા ગાંધી વાડ્રા પાસેથી કથિત રીતે ખરીદેલી પેઇન્ટિંગ અંગે ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે, “સૌથી પહેલા, હું જણાવવા માંગુ છું કે આ બળજબરીથી વેચાણ હતું જેના માટે હું ક્યારેય તૈયાર નહોતો.” મિલિંદ દેવરાએ પ્રિયંકા ગાંધી વાડ્રા પાસેથી એમએફ હુસૈનની પેઇન્ટિંગ ખરીદવા માટે તેમને મનાવવા માટે તેમના (રાણા કપૂર) ઘર અને ઓફિસની ઘણી વખત મુલાકાત લીધી હતી.

ના પાડવા છતાં દબાણ કરવામાં આવ્યું હતું

ચાર્જશીટ મુજબ, કપૂરે EDને કહ્યું કે, તેણે મને અલગ-અલગ મોબાઈલ નંબરોથી ઘણી વખત ફોન કર્યો. તેના બદલે તે આ સોદો કરાવવા માટે ખૂબ જ પ્રતિબદ્ધ હતા અને મેં પણ ઘણા દિવસો સુધી તેમના ફોન અને સંદેશાઓ અને વ્યક્તિગત મીટિંગની ઓફરને અવગણીને તેને ટાળવાનો પ્રયાસ કર્યો. કપૂરે દાવો કર્યો હતો કે, સોદાને ટાળવાના અનેક પ્રયાસો છતાં, તેઓ અણધારી રીતે ઇચ્છતા હતા કે સોદો ઝડપથી પૂર્ણ થાય. કપૂરે વધુમાં જણાવ્યું હતું કે વર્ષ 2010માં મુરલી દેવરાએ તેમને નવી દિલ્હીના લોધી એસ્ટેટ બંગલામાં મારવાડી ડિનર માટે મળવા દબાણ કર્યું હતું. ચાર્જશીટ મુજબ દેવરા તે સમયે પેટ્રોલિયમ મંત્રી હતા અને તેના આધારે તેમને આ બંગલો ફાળવવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ

Maharashtra : ખાર પોલીસ સ્ટેશનની બહાર જ BJP નેતા કિરીટ સોમૈયા પર જીવલેણ હુમલો !

આ પણ વાંચોઃ

National Panchayati Raj Day : કલમ 370 હટાવ્યા બાદ PM મોદી આજે જમ્મુ કાશ્મીરમાં પ્રથમ જાહેર સભા કરશે, 20 હજાર કરોડના કાર્યોનું કરશે લોકાર્પણ-શિલાન્યાસ

Follow Us
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
અમદાવાદના ધોળકામાં જળપ્રલય! 24 કલાકમાં 22 ઈંચ વરસાદથી જનજીવન ઠપ
અમદાવાદના ધોળકામાં જળપ્રલય! 24 કલાકમાં 22 ઈંચ વરસાદથી જનજીવન ઠપ
વસ્ત્રાપુરમાં 45 દુકાનો પાણીમાં ગરકાવ, વેપારીઓમાં આક્રોશ
વસ્ત્રાપુરમાં 45 દુકાનો પાણીમાં ગરકાવ, વેપારીઓમાં આક્રોશ
વાવ-થરાદમાં ધોધમાર વરસાદ, ભાભરમાં પાણી ભરાતા પોલીસ એક્શનમાં
વાવ-થરાદમાં ધોધમાર વરસાદ, ભાભરમાં પાણી ભરાતા પોલીસ એક્શનમાં
Breaking News: અમદાવાદ-બગોદરા હાઈવે પાણીમાં ગરકાવ, અપાયુ ડાયવર્ઝન
Breaking News: અમદાવાદ-બગોદરા હાઈવે પાણીમાં ગરકાવ, અપાયુ ડાયવર્ઝન
વરસાદથી વલસાડની વરવી સ્થિતિ, DyCM હર્ષ સંઘવીએ કરી સમીક્ષા
વરસાદથી વલસાડની વરવી સ્થિતિ, DyCM હર્ષ સંઘવીએ કરી સમીક્ષા
g clip-path="url(#clip0_868_265)">