AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra : કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની તબિયત લથડી, મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ

કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની તબિયત લથડતા તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

Maharashtra : કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની તબિયત લથડી, મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ
Narayan rane (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 26, 2021 | 2:00 PM
Share

Maharashtra :  મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackery)વિરુદ્ધ વાંધાજનક નિવેદનો કરવાના કેસમાં જામીન પર મુક્ત થયેલા કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની ગુરુવારે અચાનક તબિયત લથડી હતી. માહિતી અનુસાર, તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આપને જણાવી દઈએ કે, તાજેતરમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને લઈને રાણેએ નિવેદન આપ્યું હતું. આ  વિવાદાસ્પદ નિવેદન બાદ શિવસેના (Shiv Sena) કાર્યકરો દ્વારા FIR નોંધવામાં આવી હતી.જેમાં મંગળવારે મુંબઈ પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી, જો કે રાત્રે રાયગઢ જિલ્લાની મહાડ કોર્ટ (Mahad Court) દ્વારા તેને શરતી જામીન મળ્યા હતા.ઉપરાંત નારાયણ રાણેને 30 ઓગસ્ટ અને 6 સપ્ટેમ્બરના રોજ કોર્ટમાં હાજર થવા માટે આદેશ આપવામાં આવ્યા છે.

સ્વાસ્થ્યને કારણે રાણેને જામીન મળ્યા હતા

કોર્ટે સુનાવણી દરમિયાન જણાવ્યુ હતુ કે, 17 સપ્ટેમ્બર સુધી નાસિકમાં નોંધાયેલી FIR પર કોઈ કાર્યવાહી ન કરવી જોઈએ. આ સાથે પુણેમાં નોંધાયેલા કેસની સુનાવણી પણ મુલતવી રાખવામાં આવી હતી. તેમની ધરપકડ બાદ તેની જામીન અરજી માત્ર સ્વાસ્થ્યના કારણોસર મંજૂર કરવામાં આવી હતી.

 જામીન મળતા ભાજપના કાર્યકરોએ ઉજવણી કરી હતી

મહાડ કોર્ટ દ્વારા નારાયણ રાણેને શરતી જામીન મળ્યા હતા.નારાયણ રાણેને જામીન મળ્યાના સમાચાર બાદ ભાજપના સમર્થકોએ સિંધુદુર્ગમાં ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. ઉપરાંત મહાડ કોર્ટમાં ભેગા થયેલા ભાજપના કાર્યકરોએ પણ મીઠાઈ વહેંચીને ઉજવણી કરી હતી.તમને જણાવી દઈએ કે, નારાયણ રાણેને જામીન મળતા ભાજપ દ્વારા ગુરૂવારથી “જન આશીર્વાદ યાત્રા” શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

આ પણ વાંચો : Maharashtra : પરમબીર સિંહ વિરુદ્ધ કેસ દાખલ કરનાર બિલ્ડરે અનિલ દેશમુખને ગણાવ્યો નિર્દોષ, કહ્યું ” સચિન વાઝે પરમબીરની સૂચના પર કામ કરતો હતો “

આ પણ વાંચો :  Corona in Maharashtra : મહારાષ્ટ્રમાં કોરોનાની ત્રીજી લહેરના એંધાણ ? એક દિવસમાં મૃત્યુઆંક 216 પર પહોંચતા તંત્રની વધી ચિંતા

સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
g clip-path="url(#clip0_868_265)">