AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona in Maharashtra : મહારાષ્ટ્રમાં કોરોનાની ત્રીજી લહેરના એંધાણ ? એક દિવસમાં મૃત્યુઆંક 216 પર પહોંચતા તંત્રની વધી ચિંતા

મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 272 લોકોએ કોરોનાને (Corona) મ્હાત આપી છે, જ્યારે 343 નવા કોરોના કેસ નોંધાયા છે. જેથી મુંબઈમાં પણ કોરોનાની ચિંતાજનક સ્થિતિ જોવા મળી રહી છે.

Corona in Maharashtra : મહારાષ્ટ્રમાં કોરોનાની ત્રીજી લહેરના એંધાણ ? એક દિવસમાં મૃત્યુઆંક 216 પર પહોંચતા તંત્રની વધી ચિંતા
Increase Corona Case in Maharashtra
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 26, 2021 | 9:45 AM
Share

Corona in Maharashtra : મહારાષ્ટ્રના લોકો માટે વધુ એક ચિંતાજનક સમાચાર છે. ફરી એકવાર નવા કોરોના કેસોની સંખ્યામાં વધારો નોંધાયો છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ (Health Department) અનુસાર, એક દિવસમાં 4 હજાર 380 લોકોએ કોરોનાને મ્હાત આપી છે, પરંતુ 5 હજાર 31 નવા કેસ નોંધાયા હતા. જેને કારણે રાજ્યમાં રિકવરી રેટ ઘટીને 97.04 ટકા થયો છે.

તમને જણાવી દઈએ કે, છેલ્લા એક દિવસમાં રાજ્યમાં કોરોનાને કારણે 216 લોકોના મોત થયા છે. જેથી મૃત્યુ દર હાલમાં 2.12 ટકા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 62 લાખ 47 હજાર 414 લોકો સાજા થયા છે, હાલ રાજ્યમાં 50 હજાર 183 દર્દીઓ એક્ટિવ છે.

મુંબઈમાં પણ કોરોનાની સ્થિતિ ચિંતાજનક

છેલ્લા ઘણા દિવસોથી કોરોના સંક્રમિતોની સંખ્યા ઘટીને 10 હજારથી ઓછી થઈ ગઈ છે. સામાન્ય રીતે આ સંખ્યા લગભગ ચાર હજારથી છ હજારની વચ્ચે રહે છે. મુંબઈમાં (Mumbai) પણ છેલ્લા ઘણા મહિનાઓથી કોરોનાની સ્થિતિ સતત સુધરી રહી છે. પરંતુ  હાલમાં મુંબઈની પણ ચિંતાજનક સ્થિતિ જોવા મળી રહી છે. અહીં પણ, કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા કોરોનાના (Corona Case) નવા કેસો વધુ સામે આવી રહ્યા છે.

છેલ્લા 24 કલાકમાં 272 લોકો કોરોનાથી સાજા થયા છે, જ્યારે 343 નવા કોરોના કેસ નોંધાયા છે. ઉપરાંત કોરોનાને કારણે 4 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. મુંબઈમાં અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 15 હજાર 956 પર પહોંચ્યો છે. હાલમાં કોરોનાના 2 હજાર 855 દર્દીઓ એક્ટિવ છે, ઉપરાંત કોરોના રિકવરી રેટ હાલમાં 97 ટકા થયો છે. હાલ,કોરોના સંક્રમણ વધતા તંત્રની ચિંતા વધી છે.

રાજ્યના 5 જિલ્લાઓમાં એક પણ કોરોના દર્દી નોંધાયો નથી

અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 5 કરોડ 28 લાખ 40 હજાર 805 લોકોનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. તેમાંથી 64 લાખ 37 હજાર 680 સેમ્પલ પોઝિટિવ મળ્યા છે. રાજ્યમાં 2 લાખ 98 હજાર 264 હોમ ક્વોરેન્ટાઇન છે. જો કે, સારા સમાચાર એ છે કે રાજ્યના પાંચ જિલ્લાઓમાં એક પણ કોરોના કેસ નોંધાયો નથી. જેમાં ધુલે, નંદુરબાર, વાશિમ, ભંડારા, ગોંડિયા જિલ્લાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: નારાયણ રાણેએ ઠાકરે સરકારને આપ્યો જવાબ, સુશાંત સિંહ રાજપૂતને યાદ કરી, દિશા સાલિયન કેસ પર પ્રશ્નો ઉઠાવ્યા

આ પણ વાંચો: મહારાષ્ટ્ર સરકાર થોડા દિવસોની મહેમાન, તે મારૂ કંઈ બગાડી નહીં શકે: નારાયણ રાણે

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">