AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips : Health Tips : શું સ્નાન પછી તરત જ એસીમાં બેસવું સ્વાસ્થ્ય માટે સુરક્ષિત છે ? જાણો નિષ્ણાતોની સલાહ

મોટાભાગના લોકો ઉનાળામાં ઠંડા પાણીથી સ્નાન કરવાનું પસંદ કરે છે. સ્નાન પછી એસી રૂમમાં બેસવાનું પસંદ કરે છે. જોકે ક્યારેક આ તેમના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.

Health Tips : Health Tips : શું સ્નાન પછી તરત જ એસીમાં બેસવું સ્વાસ્થ્ય માટે સુરક્ષિત છે ? જાણો નિષ્ણાતોની સલાહ
Sitting in AC Room After BathImage Credit source: Whisk
| Updated on: Jun 12, 2026 | 11:02 AM
Share

ઉનાળા દરમિયાન ભાગ્યે જ કોઈ સ્નાન કર્યા વિના રહી શકે છે. દરમિયાન કેટલાક લોકોને એટલી ગરમી લાગે છે કે તેમને સ્નાન કર્યા પછી તરત જ એસી ચાલુ કરવાની જરૂર પડે છે. લોકો સ્નાન કરતા પહેલા તેમના રૂમમાં એસી ચાલુ કરીને જાય છે જેથી રુમ સંપૂર્ણપણે ઠંડુ થઈ જાય. સ્નાન કરતી વખતે શરીરના તાપમાનમાં ઘણીવાર વધઘટ થાય છે અને એસી રૂમમાં બેસવાથી આ પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.

સ્નાન કરતી વખતે શરીરનું તાપમાન બદલાય છે

નિષ્ણાતોના મતે, ઉનાળામાં શરીરનું તાપમાન ઘણીવાર ગરમ હોય છે અને ઠંડા પાણીમાં સ્નાન કરવાથી તે અચાનક ઘટી શકે છે. આનો અર્થ એ થાય કે શરીર તરત જ ઠંડુ થઈ જાય છે. તેથી ખૂબ ઠંડા અથવા ગરમ પાણીથી સ્નાન કરવું નહીં.

સ્નાન કર્યા પછી એસીમાં બેસતી વખતે શું થાય છે

સ્નાન કર્યા પછી તરત જ એસીવાળા રૂમમાં જવાથી શરીરના તાપમાન પર સીધી અસર પડી શકે છે. તેનાથી કેટલીક આરોગ્ય સમસ્યાઓ પણ થઈ શકે છે. આંખોમાં ખંજવાળ અથવા દુખાવો થઈ શકે છે. એક્ઝિમા અને રોઝેશિયા ધરાવતા લોકોને વધુ અસર થઈ શકે છે.

શ્વાસ લેવામાં તકલીફ

જો તમને શરદી અને ઉધરસની એલર્જી હોય તો સ્નાન કર્યા પછી તરત જ એસીમાં બેસવાનું ટાળવું જોઈએ. આનાથી તમારી શરદી કે ઉધરસ વધી શકે છે. તેમજ શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ શકે છે.

ડિહાઇડ્રેશનની સમસ્યા

જ્યારે રૂમમાં એસી ચાલુ હોય છે ત્યારે હવા ડ્રાય થઈ જાય છે. સ્નાન કરતી વખતે તમારું શરીર પહેલેથી જ ડિહાઇડ્રેટેડ હોય છે તેથી એસી રૂમમાં તરત જ પ્રવેશ કરવાથી ડિહાઇડ્રેશનમાં વધારો થઈ શકે.

માથાનો દુખાવો

જો તમે સ્નાન કર્યા પછી તરત જ એસી રૂમમાં પ્રવેશ કરો છો અથવા બેસો છો તો તેનાથી માથાનો દુખાવો થઈ શકે છે. ઘણા લોકોને અચાનક ચક્કર પણ આવી શકે છે.

શું કરવું જોઈએ

સ્નાન કર્યા પછી તરત જ એસી રૂમમાં બેસવું નહીં. એસી રૂમમાં બેસતા પહેલા તમારા શરીરનું તાપમાન સામાન્ય રહેવું જોઈએ. સ્નાન કર્યા પછી તરત જ પાણી પણ પીવું નહીં.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

આ પણ વાંચો, Mental Health Tips: આ 5 સંકેતો દર્શાવે છે કે તમે માનસિક રીતે થાકી ગયા છો !

Follow Us
અમરેલીમાં સિંહના હુમલાથી યુવકનું મોત, વનવિભાગે શરૂ કરી ઊંડી તપાસ
અમરેલીમાં સિંહના હુમલાથી યુવકનું મોત, વનવિભાગે શરૂ કરી ઊંડી તપાસ
આગામી 8થી 10 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીંવત
આગામી 8થી 10 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીંવત
સુરતના પોદાર આર્કેડના 200થી વધુ વેપારીઓને કરોડોનો ફટકો, જુઓ Video
સુરતના પોદાર આર્કેડના 200થી વધુ વેપારીઓને કરોડોનો ફટકો, જુઓ Video
તમારા કામની પ્રશંસા થશે, વિદ્યાર્થીઓ માટે દિવસ ખૂબ જ સારો છે
તમારા કામની પ્રશંસા થશે, વિદ્યાર્થીઓ માટે દિવસ ખૂબ જ સારો છે
સુરત ખાડીપુર મામલે કોંગ્રેસના પ્રહાર, તંત્રની નિષ્ફળતા
સુરત ખાડીપુર મામલે કોંગ્રેસના પ્રહાર, તંત્રની નિષ્ફળતા
સુરતમાં વરસાદનો વિરામ છતા પૂરની સ્થિતિ, ખાડી પૂરનુ હજુ પણ સંકટ
સુરતમાં વરસાદનો વિરામ છતા પૂરની સ્થિતિ, ખાડી પૂરનુ હજુ પણ સંકટ
તંત્રની નબળી કામગીરી સામે કોંગ્રેસ અને જનતા મેદાને
તંત્રની નબળી કામગીરી સામે કોંગ્રેસ અને જનતા મેદાને
ગણપતપુરા-માંગલેજ રોડ પર ગરનાળામાં પાણી ભરાતા વાહનચાલકો અટવાયા
ગણપતપુરા-માંગલેજ રોડ પર ગરનાળામાં પાણી ભરાતા વાહનચાલકો અટવાયા
આફતમાં અવસર ઉકેલતા સુરતી લાલા, જુઓ વીડિયો
આફતમાં અવસર ઉકેલતા સુરતી લાલા, જુઓ વીડિયો
14 ઈંચ વરસાદથી સુરત જળબંબાકાર, પાણીમાં થયું ગરકાવ, જુઓ વીડિયો
14 ઈંચ વરસાદથી સુરત જળબંબાકાર, પાણીમાં થયું ગરકાવ, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">