Summer Diet : ઉનાળાની કાળઝાળ ગરમીમાં હાઈડ્રેટ રહેવા માટે ડાયેટમાં કરી શકો છો આ સામેલ
Summer Diet: ઉનાળાની ઋતુની શરૂઆત થઇ ગઈ છે. ઉનાળાની ઋતુ શરૂ થતા જ શરીરમાં પાણી ઓછું થઇ જાય છે. ઉનાળામાં શરીરમાં પાણી ઓછું ના થાય માટે નારિયેળ પાણી, પાણી અને લીંબુ શરબતનું લોકો સેવન કરતા હોય છે.
Summer Diet: ઉનાળાની ઋતુની શરૂઆત થઇ ગઈ છે. ઉનાળાની ઋતુ શરૂ થતા જ શરીરમાં પાણી ઓછું થઇ જાય છે. ઉનાળામાં શરીરમાં પાણી ઓછું ના થાય માટે નારિયેળ પાણી, પાણી અને લીંબુ શરબતનું લોકો સેવન કરતા હોય છે. ઉનાળામાં શરીરમાં પાણી ઓછું ના થાય એ માટે વિશેષજ્ઞ લીલા શાકભાજી, ફળ અને જડીબુટી સેવન કરવાની સલાહ આપે છે. પાણીના સ્તરને જાળવી રાખવા માટે લિકવિડ ડાયેટનું સેવન કરવું ખુબ જ જરૂરી છે.
ઉનાળામાં ડાયેટમાં આ સામેલ
ટમેટામાં વિટામિન સી અને લાઈકોપીન જેવા એન્ટિઓક્સિડન્ટ ભરપૂર હોય છે જે સ્વાસ્થ્ય અને સ્કીન માટે ફાયદાકારક છે. ઉનાળાની ઋતુમાં મિક્સ સલાડ, રાયતા અને પનીર સેન્ડવીચ આપણા શરીરના સ્વાસ્થ્યને સ્વસ્થ રાખે છે.
તરબૂચ એક પ્રવાહી ફળ છે જેમાં મહત્તમ પાણી જોવા મળે છે. તેમાં લાઇકોપીન પણ છે જે ત્વચાના કોષોને મજબૂત અને સૂર્યપ્રકાશથી સુરક્ષિત કરે છે. તો તરબૂચના બીજના આંતરિક ભાગને રાંધીને ખવાઈ છે અને તેને સહેલાઇથી જામ, જેલી અને મુરબ્બો બનાવી શકાય છે.
તુરીયાની શાકભાજી આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. વિટામિન સીથી ભરપૂર હોવાને કારણે તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. પોટેશિયમની માત્રા વધારે હોવાને કારણે તે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.
ઉનાળામા ડીહાઇડ્રેશનથી કેવી રીતે બચી શકાય ?
ઉનાળાની ઋતુમાં ડિહાઇડ્રેશનની સમસ્યા સૌથી સામાન્ય છે. ડીહાઇડ્રેશનથી બચવા માટે દિવસમાં ઓછામાં ઓછું 3-4 લિટર પાણી પીવું જરૂરી છે. તો પ્રવાહીમાં નાળિયેર પાણી, સોડા, પાણી, વેજીટેબલ જ્યુસ, ડેંડિલિઅન ચા અને છાશ પીવાથી આપણા શરીરમાં પાણીનું લેવલ ઓછું નહીં થાય.
ઉનાળાની ઋતુમાં, માછલી અને ચિકન જેવા પ્રોટીનયુક્ત ખોરાકને રાત્રે પ્રાધાન્ય આપવામાં આવે છે, તેથી દિવસ દરમિયાન આપણે હળવા આહારનો આહાર લેવો જોઈએ જેથી પાચનની સમસ્યાથી બચી શકાય.
બાજરીને બદલે જુવારની રોટલી ખાવી ઉનાળામાં ફાયદાકારક છે.
ઉનાળાની ઋતુમાં શરીરમાં ખૂબ ગરમી ઉત્પન્ન થઈ શકે છે, જે સોજો અને એસિડિટીનું કારણ બની શકે છે. તેથી, લીંબુ પાણી, લસ્સી, શેરડીનો રસ પીવો જોઈએ.
(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)
આ પણ વાંચો: આખરે એવું તે શું કારણ છે કે લોકો Corona રસી લીધા બાદ પણ થઇ રહ્યા છે કોરોના સંક્રમિત, વાંચો એક ક્લિકે