આખરે એવું તે શું કારણ છે કે લોકો Corona રસી લીધા બાદ પણ થઇ રહ્યા છે કોરોના સંક્રમિત, વાંચો એક ક્લિકે
લોકોનું માનવું છે કે, કોરોના (Corona) સંક્રમિતથી બચવા માટે રસીકરણ જ એકમાત્ર ઉપાય છે. તો બીજી તરફ સારી વાત એ પણ છે કે, ભારતમાં કોરોનાની રસી આવી ગઈ છે અને લોકો લગાવી પણ રહ્યા છે. તો આ વચ્ચે આપણે જોઈએ છીએ કે,કોરોના વેકિસન લીધા બાદ પણ લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યા છે.
કોરોનાએ (Corona) હાલ હાહાકાર મચાવ્યો છે. દરરોજ કોરોનાના (Corona) કેસમાં વધારો થઇ રહ્યો છે. તો આ વચ્ચે રસીકરણની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. લોકોનું માનવું છે કે, કોરોના (Corona) સંક્રમિતથી બચવા માટે રસીકરણ જ એકમાત્ર ઉપાય છે. તો બીજી તરફ સારી વાત એ પણ છે કે, ભારતમાં કોરોનાની રસી આવી ગઈ છે અને લોકો લગાવી પણ રહ્યા છે. તો આ વચ્ચે આપણે જોઈએ છીએ કે,કોરોના વેકિસન લીધા બાદ પણ લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યા છે. જેના કારણે લોકોમાં ચિંતા છવાઈ ગઈ છે. વધતા મામલાને જોતા લોકો હવે વિચારી રહ્યા છે કે વેક્સીન લગાવી કે નહીં.
સરકારે દરેકને કોરોનાથી બચવા માટે એક મહાન તક આપી છે, તેથી તમારી જવાબદારી સમજીને રસી લો. રસી લીધા બાદ પણ અમુક વાતનું ધ્યાન રાખવું જરૂરી છે. આજે અમે તમને આ આર્ટિકલ દ્વારા જણાવીશું કે આખરે રસીકરણ બાદ પણ લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ કેમ આવી રહ્યા છે.
લોકોમાં કોરોનાનો ભય પહેલેથી જ ખૂબ જ ઓછો થઈ ગયો છે. લોકો સાવચેતીના પગલાઓનું સંપૂર્ણ પાલન કરી રહ્યા નથી. આ સ્થિતિ ત્યારે છે જ્યારે સરકાર લોકોને વારંવાર માસ્ક પહેરવા, હાથ સાફ કરવા અને સામાજિક અંતર જાળવવા સલાહ આપી રહી છે. આરોગ્ય મંત્રાલયે રીપોર્ટ કરેલા સેફટી પ્રોટોકોલની અવગણનાથી કેસ વધી રહ્યા છે.
રસી લેતી વખતે ડોકટરો વારંવાર લોકોને રસીના નિયમો જણાવી રહ્યા છે. ડોક્ટરની ટીમ દ્વારા રસીકરણ પહેલાં અને તે પછી લેવાના પગલાઓ પણ સમજાવી રહ્યા છે. પરંતુ લોકો ફક્ત પોતાની મરજીથી વર્તન કરી રહ્યા છે. આ લોકો ને કોરોના રસી લીધા બાદ ભોગવવું પડે છે.
કોરોના રસી પછી પણ વ્યક્તિ સંક્રમિત થવાનું એક કારણ સમયસર ડોઝ ન મળવો પણ છે. લોકોને સમયસર તેમનો પ્રથમ ડોઝ મળી રહ્યો છે, પરંતુ લોકોને બીજા ડોઝ માટે રાહ જોવી પડશે. આ કિસ્સામાં જે વ્યક્તિને પ્રથમ ડોઝ મળ્યો છે અને બીજો ડોઝ લીધો નથી તે કોરોનાનાં લક્ષણો દર્શાવે છે.
જો કે રસીકરણ પછી પણ લોકો સંક્રમિત થવાની પ્રક્રિયાને રીઇન્ફેક્શન માની રહ્યા છે. પરંતુ આ સાચું નથી. જો રસીકરણ પછી ચેપ લાગે છે તો ડરવાની જરૂર નથી. તેના બદલે રસીકરણ પછી ચેપ હળવા હશે. જણાવી દઈએ કે, રસીકરણના બીજા ડોઝ બાદ ટ્રાન્સમિશનની સંભાવના ઓછી થઇ જાય છે.
નિષ્ણાતોના મતે રસીકરણનો અર્થ વાયરસનો અંત નથી. પરંતુ રસીકરણ તમારા શરીરને વાયરસના ખતરનાક પ્રભાવોથી સંપૂર્ણપણે સુરક્ષિત કરે છે. ચેપ કોઈપણ સમયે થઈ શકે છે, રસીકરણ ફક્ત તે ગંભીર કિસ્સાઓને દૂર કરવામાં મદદ કરી શકે છે. જે લોકોને રસી આપવામાં આવી છે. તેઓએ વાયરસને રોકવા માટે તમામ માર્ગદર્શિકાઓનું પાલન કરવાની જરૂર છે. નહિંતર થોડી બેદરકારી બીજા લોકોમાં પણ વાયરસ ફેલાવી શકે છે.
તમને જણાવી દઈએ કે, આજ સુધી કોઈ એવી રસી નથી જે વાયરસ સામે 100 ટકા સંરક્ષણની બાંયધરી આપે છે. જો તમને રસી આપવામાં આવે છે, તો તમારે હજી પણ સલામતીના નિયમોનું પાલન કરવું જોઈએ. ટ્રાન્સમિશન રેટ ઘટાડવા માટે રસીકરણની આવશ્યકતા છે તેથી દરેકએ અચૂક રસી લેવી જોઈએ.