આખરે એવું તે શું કારણ છે કે લોકો Corona રસી લીધા બાદ પણ થઇ રહ્યા છે કોરોના સંક્રમિત, વાંચો એક ક્લિકે

લોકોનું માનવું છે કે, કોરોના (Corona) સંક્રમિતથી બચવા માટે રસીકરણ જ એકમાત્ર ઉપાય છે. તો બીજી તરફ સારી વાત એ પણ છે કે, ભારતમાં કોરોનાની રસી આવી ગઈ છે અને લોકો લગાવી પણ રહ્યા છે. તો આ વચ્ચે આપણે જોઈએ છીએ કે,કોરોના વેકિસન લીધા બાદ પણ લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યા છે.

આખરે એવું તે શું કારણ છે કે લોકો Corona રસી લીધા બાદ પણ થઇ રહ્યા છે કોરોના સંક્રમિત, વાંચો એક ક્લિકે
કોરોના
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Apr 03, 2021 | 1:51 PM

કોરોનાએ (Corona) હાલ હાહાકાર મચાવ્યો છે. દરરોજ કોરોનાના (Corona) કેસમાં વધારો થઇ રહ્યો છે. તો આ વચ્ચે રસીકરણની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. લોકોનું માનવું છે કે, કોરોના (Corona) સંક્રમિતથી બચવા માટે રસીકરણ જ એકમાત્ર ઉપાય છે. તો બીજી તરફ સારી વાત એ પણ છે કે, ભારતમાં કોરોનાની રસી આવી ગઈ છે અને લોકો લગાવી પણ રહ્યા છે. તો આ વચ્ચે આપણે જોઈએ છીએ કે,કોરોના વેકિસન લીધા બાદ પણ લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યા છે. જેના કારણે લોકોમાં ચિંતા છવાઈ ગઈ છે. વધતા મામલાને જોતા લોકો હવે વિચારી રહ્યા છે કે વેક્સીન લગાવી કે નહીં.

સરકારે દરેકને કોરોનાથી બચવા માટે એક મહાન તક આપી છે, તેથી તમારી જવાબદારી સમજીને રસી લો. રસી લીધા બાદ પણ અમુક વાતનું ધ્યાન રાખવું જરૂરી છે. આજે અમે તમને આ આર્ટિકલ દ્વારા જણાવીશું કે આખરે રસીકરણ બાદ પણ લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ કેમ આવી રહ્યા છે.

લોકોમાં કોરોનાનો ભય પહેલેથી જ ખૂબ જ ઓછો થઈ ગયો છે. લોકો સાવચેતીના પગલાઓનું સંપૂર્ણ પાલન કરી રહ્યા નથી. આ સ્થિતિ ત્યારે છે જ્યારે સરકાર લોકોને વારંવાર માસ્ક પહેરવા, હાથ સાફ કરવા અને સામાજિક અંતર જાળવવા સલાહ આપી રહી છે. આરોગ્ય મંત્રાલયે રીપોર્ટ કરેલા સેફટી પ્રોટોકોલની અવગણનાથી કેસ વધી રહ્યા છે.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

રસી લેતી વખતે ડોકટરો વારંવાર લોકોને રસીના નિયમો જણાવી રહ્યા છે. ડોક્ટરની ટીમ દ્વારા રસીકરણ પહેલાં અને તે પછી લેવાના પગલાઓ પણ સમજાવી રહ્યા છે. પરંતુ લોકો ફક્ત પોતાની મરજીથી વર્તન કરી રહ્યા છે. આ લોકો ને કોરોના રસી લીધા બાદ ભોગવવું પડે છે.

કોરોના રસી પછી પણ વ્યક્તિ સંક્રમિત થવાનું એક કારણ સમયસર ડોઝ ન મળવો પણ છે. લોકોને સમયસર તેમનો પ્રથમ ડોઝ મળી રહ્યો છે, પરંતુ લોકોને બીજા ડોઝ માટે રાહ જોવી પડશે. આ કિસ્સામાં જે વ્યક્તિને પ્રથમ ડોઝ મળ્યો છે અને બીજો ડોઝ લીધો નથી તે કોરોનાનાં લક્ષણો દર્શાવે છે.

જો કે રસીકરણ પછી પણ લોકો સંક્રમિત થવાની પ્રક્રિયાને રીઇન્ફેક્શન માની રહ્યા છે. પરંતુ આ સાચું નથી. જો રસીકરણ પછી ચેપ લાગે છે તો ડરવાની જરૂર નથી. તેના બદલે રસીકરણ પછી ચેપ હળવા હશે. જણાવી દઈએ કે, રસીકરણના બીજા ડોઝ બાદ ટ્રાન્સમિશનની સંભાવના ઓછી થઇ જાય છે.

નિષ્ણાતોના મતે રસીકરણનો અર્થ વાયરસનો અંત નથી. પરંતુ રસીકરણ તમારા શરીરને વાયરસના ખતરનાક પ્રભાવોથી સંપૂર્ણપણે સુરક્ષિત કરે છે. ચેપ કોઈપણ સમયે થઈ શકે છે, રસીકરણ ફક્ત તે ગંભીર કિસ્સાઓને દૂર કરવામાં મદદ કરી શકે છે. જે લોકોને રસી આપવામાં આવી છે. તેઓએ વાયરસને રોકવા માટે તમામ માર્ગદર્શિકાઓનું પાલન કરવાની જરૂર છે. નહિંતર થોડી બેદરકારી બીજા લોકોમાં પણ વાયરસ ફેલાવી શકે છે.

તમને જણાવી દઈએ કે, આજ સુધી કોઈ એવી રસી નથી જે વાયરસ સામે 100 ટકા સંરક્ષણની બાંયધરી આપે છે. જો તમને રસી આપવામાં આવે છે, તો તમારે હજી પણ સલામતીના નિયમોનું પાલન કરવું જોઈએ. ટ્રાન્સમિશન રેટ ઘટાડવા માટે રસીકરણની આવશ્યકતા છે તેથી દરેકએ અચૂક રસી લેવી જોઈએ.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">