રાજ્યમાં કોરોનાનો કેર યથાવત, આજે નોંધાયા 1564 પોઝિટિવ કેસ અને 16 દર્દીઓના થયા મોત
રાજ્યમાં કોરોનાનો કેર સતત વધી રહ્યો છે. પાછલા 24 કલાકમાં રાજ્યમાં 1564 પોઝિટિવ કેસ નોંધાયા અને 16 દર્દીઓના કોરોનાથી મોત નિપજ્યા. નવા પોઝિટિવ કેસ નોંધાવાની સાથે જ રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2 લાખ 08 હજાર 278ને પાર પહોંચી છે, તો કોરોનાથી કુલ મૃત્યુઆંક 3,969 પર પહોંચ્યો છે, જ્યારે 1,451 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી. રાજ્યમાં અત્યાર […]
રાજ્યમાં કોરોનાનો કેર સતત વધી રહ્યો છે. પાછલા 24 કલાકમાં રાજ્યમાં 1564 પોઝિટિવ કેસ નોંધાયા અને 16 દર્દીઓના કોરોનાથી મોત નિપજ્યા. નવા પોઝિટિવ કેસ નોંધાવાની સાથે જ રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2 લાખ 08 હજાર 278ને પાર પહોંચી છે, તો કોરોનાથી કુલ મૃત્યુઆંક 3,969 પર પહોંચ્યો છે, જ્યારે 1,451 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી. રાજ્યમાં અત્યાર સુધી કુલ 1 લાખ 89 હજાર 420 દર્દીઓએ કોરોના સામેનો જંગ જીત્યો, તો હજુ પણ 86 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાજ્યના શહેરોની જો વાત કરીએ તો અમદાવાદમાં નવા 345 પોઝિટિવ કેસ સાથે 11 દર્દીઓએ જીવ ગુમાવ્યો. સુરતમાં 3 દર્દીના મોત સાથે 278 પોઝિટિવ કેસ નોંધાયા. ભરૂચમાં 1 દર્દીના મોત સાથે 20 પોઝિટિવ કેસ નોંધાયા, તો ખેડામાં પણ એક દર્દીના મોત સાથે 57 પોઝિટિવ કેસ નોંધાયા. વડોદરામાં 171 પોઝિટિવ કેસ અને રાજકોટમાં 183 પોઝિટિવ કેસ સરકારી ચોપડે નોંધાયા છે.
આ પણ વાંચો: અમદાવાદઃ વાહનચાલકોને મળશે ટ્રાફિકજામમાંથી મુક્તિ, અમિત શાહ આવતીકાલે બે ફ્લાય ઓવરનું કરશે ઈ-લોકાર્પણ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો