અખિલેશ માયાવતીને દગો આપશે અને ભાજપ માયાવતીની મદદ કરશે: કૈશવ પ્રસાદ મૌર્ય
કેશવ પ્રસાદ મૌર્યનું કહેવુ છે કે, બીએસપી પ્રમુખ માયાવતી દલિતોને માત્ર વોટબેંકની જેમ ઉપયોગ કરે છે અને સમાજવાદી પાર્ટીએ ક્યારેય દલિતોને યોગ્ય માન નથી આપ્યું. પીએમ મોદીએ સફાઈકર્મીઓને યોગ્ય સમ્માન આપવા માટે કુંભમાં તેમના પગ પણ ધોયા હતાં. ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યપ્રધાન કેશવ પ્રસાદ મોર્યએ દાવો કર્યો છે કે, 23 મે ના દિવસે જ્યારે લોકસભા ચૂંટણીના […]
કેશવ પ્રસાદ મૌર્યનું કહેવુ છે કે, બીએસપી પ્રમુખ માયાવતી દલિતોને માત્ર વોટબેંકની જેમ ઉપયોગ કરે છે અને સમાજવાદી પાર્ટીએ ક્યારેય દલિતોને યોગ્ય માન નથી આપ્યું. પીએમ મોદીએ સફાઈકર્મીઓને યોગ્ય સમ્માન આપવા માટે કુંભમાં તેમના પગ પણ ધોયા હતાં.
ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યપ્રધાન કેશવ પ્રસાદ મોર્યએ દાવો કર્યો છે કે, 23 મે ના દિવસે જ્યારે લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ પોતાના ગઠબંધનના સાથી બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીને દગો આપશે. ભારતીય જનતા પાર્ટી વધુ એક વખત માયાવતીની મદદ કરશે.
કેશવ મૌર્યએ રવિવારે કહ્યું કે, સમાજવાદી પાર્ટીએ ક્યારેય દલિતોને યોગ્ય સમ્માન નથી આપ્યું. 1995માં જ્યારે માયાવતી ઉપર એસપીના નેતાઓ એ રાજ્યના ગેસ્ટહાઉસમાં મારી નાખવા માટે હુમલો કર્યો હતો ત્યારે ભાજપે જ તેમને બચાવ્યા હતાં. હવે અખિલેશ યાદવ 23મે બાદ માયાવતીને દગો આપશે અને ભાજપ વધુ એક વખત માયાવતીની મદદ કરશે. મૌર્યએ વધુમાં કહ્યું કે, ‘માયાવતી જ્યારે પણ મુસીબતમાં હોય છે. ત્યારે ભાજપ તેમની મદદ કરે છે. ભવિષ્યમાં પણ મદદ કરતી રહેશે.’
વધુમાં કેશવ મૌર્યનું કહેવું છે કે, જો અખિલેશ યાદવ પોતાના પિતા મુલાયમ સિંહ યાદવ અને કાકા શિવપાલના નથી થયા તો માયાવતીના ક્યાંથી થશે? ઉપરાંત ઉત્તરપ્રદેશમાં ભાજપ 80માંથી 74થી વધુ સીટો જીતશે અને નરેન્દ્ર મોદી ફરી એક વખત વડાપ્રધાન બનશે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]