શિયા-સુન્ની મુસ્લિમ વચ્ચે શું છે વિવાદ, કયા દેશ શિયા અને કયા દેશ છે સુન્ની ?
ઈસ્લામ ધર્મના પયગંબર મોહમ્મદનું અવસાન થયા બાદ મુસ્લિમોનું નેતૃત્વ કોણ કરશે તે અંગે વિવાદ ઉભો થયો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી એક તરફ શિયા તો બીજી તરફ સુન્ની મુસ્લિમો પયગંબર મોહમ્મદના અસલી વારસદાર હોવાનો દાવો કરી રહ્યા છે, ત્યારે આ લેખમાં બંને સમુદાયો વચ્ચે ચાલી રહેલા આ વિવાદ અને કયા દેશ શિયા અને કયા દેશ સુન્ની છે, તે અંગે વિસ્તારથી જાણીશું.

લગભગ 1400 વર્ષ પહેલા ઈ.સ. 632માં ઈસ્લામ ધર્મના પયગંબર મોહમ્મદનું અવસાન થયા બાદ મુસ્લિમોનું નેતૃત્વ કોણ કરશે તે અંગે વિવાદ ઉભો થયો. આ માટે ચાર ખલીફા નિયુક્ત કરવામાં આવ્યા, જે અબુ બકર, ઉમર, ઉસ્માન અને હઝરત અલી હતા. મુસ્લિમોના એક વર્ગનું કહેવું છે કે મોહમ્મદ સાહેબે તેમના જમાઈ હઝરત અલીને પોતાના વારસદાર બનાવ્યા હતા. જ્યારે બીજા વર્ગનું કહેવું છે કે તેમણે હઝરત અલીને ફક્ત સંભાળ રાખવા માટે કહ્યું હતું. પયગંબર મોહમ્મદે અબુ બકરને પોતાના અસલી વારસદાર બનાવ્યા હતા. આ માન્યતાથી મુસ્લિમો બે સમુદાયોમાં વહેંચાઈ ગયા. function loadTaboolaWidget() { window._taboola = window._taboola || []; var isMobile = (typeof is_mobile !== 'undefined') ?...
