Maha Kumbh 2025 : આ વખતનો મહાકુંભ કેમ ખાસ ? 144 વર્ષ પછી બની રહ્યો છે આ સંયોગ

પ્રયાગરાજમાં આજથી મહાકુંભ મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. 45 દિવસ ચાલનાર આ મેળામાં વિશ્વભરમાંથી 40 કરોડથી વધુ યાત્રાળુઓ હાજરી આપે તેવી સંભાવના છે. આ ધાર્મિક મેળાવડો સંસ્કૃતિ, પરંપરા અને આધ્યાત્મિકતાનો સંગમ છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, મહાકુંભનું આયોજન 144 વર્ષ પછી કેમ કરવામાં આવે છે અને કુંભના કેટલા પ્રકાર છે અને તેનું મહત્વ શું છે ?

Maha Kumbh 2025 : આ વખતનો મહાકુંભ કેમ ખાસ ? 144 વર્ષ પછી બની રહ્યો છે આ સંયોગ
Maha Kumbh
| Updated on: Jan 13, 2025 | 6:49 PM

પ્રયાગરાજમાં મહાકુંભનો પ્રારંભ થઈ ગયો છે. ત્રિવેણીમાં ડૂબકી લગાવવા માટે દેશ અને દુનિયાભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા છે. આ સિલસિલો હવે સતત ચાલુ રહેશે. દર 12 વર્ષે યોજાતો કુંભ મેળો હરિદ્વારમાં ગંગા કિનારે, નાસિકમાં ગોદાવરી, ઉજ્જૈનમાં શિપ્રા અને પ્રયાગરાજમાં ત્રિવેણીમાં યોજાય છે. ત્યારે પ્રયાગરાજમાં યોજાઈ રહેલા આ વખતના મહાકુંભને ખાસ માનવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, 45 દિવસ ચાલનાર આ મેળામાં વિશ્વભરમાંથી 40 કરોડથી વધુ યાત્રાળુઓ અને ભક્તો હાજરી આપે તેવી સંભાવના છે. આ ધાર્મિક મેળાવડો સંસ્કૃતિ, પરંપરા અને આધ્યાત્મિકતાનો સંગમ છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, મહાકુંભનું આયોજન 144 વર્ષ પછી કેમ કરવામાં આવે છે અને કુંભના કેટલા પ્રકાર છે અને તેનું મહત્વ શું છે ? હિન્દુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે જ્યારે ગુરુ કુંભ રાશિમાં પ્રવેશ કરે છે અને સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે કુંભ મેળાનું આયોજન થાય છે. પ્રયાગનો કુંભ મેળો ખરેખર બધા કુંભ મેળાઓમાં સૌથી વધુ મહત્વ ધરાવે છે. કુંભનો અર્થ કળશ છે...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો