ભારતના આ શહેરોમાં 15 નહીં, 18મી ઓગસ્ટે કરાય છે સ્વતંત્રતા દિવસની ઉજવણી, જાણો શું છે કારણ

|

Aug 18, 2024 | 5:58 PM

15 ઓગસ્ટ 1947ના રોજ ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળી. ત્યારથી સમગ્ર દેશમાં દર વર્ષે 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. જો કે, ભારતના આ શહેરોમાં ત્રણ દિવસ પછી 18મી ઓગસ્ટે સ્વતંત્રતાની ઉજવણી કરવામાં આવે છે.

ભારતના આ શહેરોમાં 15 નહીં, 18મી ઓગસ્ટે કરાય છે સ્વતંત્રતા દિવસની ઉજવણી, જાણો શું છે કારણ
Independence Day

Follow us on

અંગ્રેજોથી ભારતને આઝાદ કરાવવા માટે લાંબી લડત ચાલી. મોટી સંખ્યામાં ક્રાંતિકારીઓએ પોતાના પ્રાણનું બલિદાન આપ્યું. આ પછી 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળી. ત્યારથી, સમગ્ર દેશમાં દર વર્ષે 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. જો કે, પશ્ચિમ બંગાળના નાદિયા અને માલદા જિલ્લામાં ત્રણ દિવસ પછી 18મી ઓગસ્ટે સ્વતંત્રતાની ઉજવણી કરવામાં આવે છે.

પશ્ચિમ બંગાળના નાદિયા અને માલદા જિલ્લાઓ 15 ઓગસ્ટ, 1947ના રોજ ભારતનો ભાગ ન હતા. 18 ઓગસ્ટના રોજ તેઓ સંપૂર્ણ રીતે સ્વતંત્ર ભારતમાં જોડાયા. ત્યારથી અહીંના લોકો 18મી ઓગસ્ટે જ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરે છે.

આ રીતે સ્વતંત્રતા જાહેર કરવામાં આવી હતી

1945માં બ્રિટનમાં સામાન્ય ચૂંટણીઓ યોજાઈ હતી. જેમાં તત્કાલિન વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલનો પરાજય થયો હતો અને ક્લેમેન્ટ એટલી વડાપ્રધાન બન્યા હતા. અહીંથી ભારતની આઝાદીના દરવાજા ખુલ્યા. વડાપ્રધાન બન્યા પછી ચર્ચિલે ફેબ્રુઆરી 1947માં જાહેરાત કરી કે ભારતને 30 જૂન 1948 પહેલા આઝાદી મળી જશે.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

ક્લેમેન્ટ એટલીએ ભારતની આઝાદી માટેના કાયદા બનાવવાની જવાબદારી તત્કાલિન ભારતીય ગવર્નર જનરલ લોર્ડ લુઈસ માઉન્ટબેટનને સોંપી હતી. તેમણે 3 જૂન, 1947ના રોજ ભારતની આઝાદી માટેની યોજના આપી હતી, જે માઉન્ટબેટન પ્લાન તરીકે ઓળખાય છે. આ યોજના હેઠળ ભારતને બે ભાગમાં વહેંચવામાં આવ્યું હતું. માઉન્ટબેટનની યોજનાના આધારે 5 જુલાઈ, 1947ના રોજ બ્રિટિશ સંસદમાં ભારતીય સ્વતંત્રતા અધિનિયમ પસાર કરવામાં આવ્યો હતો અને 18 જુલાઈના રોજ બ્રિટનના રાજા જ્યોર્જ છઠ્ઠીએ પણ તેને મંજૂરી આપી હતી.

નકશો બનાવવાની જવાબદારી રેડક્લિફને આપવામાં આવી હતી

માઉન્ટબેટને 12 ઓગસ્ટ 1947ના રોજ જાહેરાત કરી હતી કે ભારતને 15 ઓગસ્ટ 1947ના રોજ આઝાદી આપવામાં આવશે. આ માટે ભારત અને પાકિસ્તાનનું વિભાજન થયું અને આની જવાબદારી અંગ્રેજ અધિકારી સિરિલ રેડક્લિફને આપવામાં આવી, જેમણે બંને દેશોનો નકશો બનાવ્યો અને સરહદો નક્કી કરી. સિરિલ રેડક્લિફે આ નકશો તૈયાર કરવામાં ભૂલ કરી હતી, જેના કારણે આઝાદી છતાં બંગાળને લઈને વિવાદ ઊભો થયો હતો. રેડક્લિફે પહેલી વખત ખોટો નકશો બનાવ્યો હતો.

એક ભૂલને કારણે 15 ઓગસ્ટે ઉજવણીના બદલે વિરોધ પ્રદર્શનો થયા

ભારતના ભાગલા માટે રેડક્લિફ દ્વારા દોરવામાં આવેલા નકશામાં પશ્ચિમ બંગાળના માલદા અને નાદિયાના હિંદુ બહુમતી જિલ્લાઓને પૂર્વ પાકિસ્તાન (હાલના બાંગ્લાદેશ)ના ભાગ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. પછી શિવાનીબાશ, શાંતિપુર, બોનગાંવ, કલ્યાણી, રાણાઘાટ, શિકારપુર, કૃષ્ણનગર અને નદિયાના કરીમપુર જેવા નગરોને પૂર્વ પાકિસ્તાનના ભાગ તરીકે જાહેર કરવામાં આવ્યા. એ જ રીતે માલદાના રતુઆ અને દક્ષિણ દિનાજપુરના બેલુરઘાટ ગામનો પણ ભારતમાં સમાવેશ કરવામાં આવ્યો ન હતો. 15મી ઓગસ્ટે જ્યારે દેશ આઝાદ થયો ત્યારે ઉજવણીના બદલે આ વિસ્તારોમાં વિરોધ પ્રદર્શનો શરૂ થયા હતા.

માઉન્ટબેટને તરત જ બીજો આદેશ આપ્યો

એવું કહેવાય છે કે ત્યારબાદ પંડિત શ્યામા પ્રસાદ મુખર્જી અને નાદિયાના રાજવી પરિવારના સભ્યોએ આ બાબત કલકત્તામાં બ્રિટિશ વહીવટીતંત્રને જણાવી હતી. આ પછી લોર્ડ માઉન્ટબેટનને આ અંગે જાણ કરવામાં આવી હતી. માઉન્ટબેટને તરત જ ભારત અને પાકિસ્તાન વચ્ચે બંગાળના વિભાજનનો આદેશ આપ્યો.

આ આદેશ હેઠળ, બંગાળના હિંદુ બહુમતી જિલ્લાને ભારતીય ક્ષેત્રમાં લાવવામાં આવ્યા. તો મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા જિલ્લાઓ પૂર્વ પાકિસ્તાનને સોંપવામાં આવ્યા હતા. આ સમગ્ર પ્રક્રિયા 17 ઓગસ્ટની રાત્રે પૂર્ણ થઈ હતી. તેથી જ આ સરહદી ગામોમાં 15મીને બદલે 18મી ઓગસ્ટે આઝાદીની ઉજવણી કરવામાં આવે છે, જે દિવસે તેઓ સંપૂર્ણપણે ભારતનો ભાગ બન્યા હતા. જો કે હવે અહીંના લોકો 15 અને 18 ઓગસ્ટ બંનેના દિવસે રાષ્ટ્રધ્વજ ફરકાવે છે.

Next Article