Independence day 2023: તિરંગાને ફરકાવ્યા પછી નીચે ઉતારવાનો છે આ ખાસ નિયમ, Videoમાં જોવો કેવી રીતે ફોલ્ડ કરવામાં આવે છે રાષ્ટ્રધ્વજ

સ્વતંત્રતા દિવસ એટલે કે 15મી ઓગસ્ટના દિવસે દેશભરના લોકોએ તેમના ઘરે ધ્વજ ફરકાવ્યો છે. અને આઝાદીની ઉજવણી કરે છે. પરંતુ આઝાદીના પર્વની ઉજવણી પછી લોકોની જવાબદારી બને છે કે રાષ્ટ્રધ્વજનું સન્માન કરે અને તિરંગાને ફરીથી સન્માનિત રીતે વ્યવસ્થિત મુકવામાં આવે.

Independence day 2023: તિરંગાને ફરકાવ્યા પછી નીચે ઉતારવાનો છે આ ખાસ નિયમ, Videoમાં જોવો કેવી રીતે ફોલ્ડ કરવામાં આવે છે રાષ્ટ્રધ્વજ
Independence day 2023
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2023 | 1:56 PM

Independence day 2023 : સ્વતંત્રતા દિવસ એટલે કે 15મી ઓગસ્ટના દિવસે દેશભરના લોકોએ તેમના ઘરે ધ્વજ ફરકાવ્યો છે અને આઝાદીની ઉજવણી કરે છે. પરંતુ આઝાદીના પર્વની ઉજવણી પછી લોકોની જવાબદારી બને છે કે રાષ્ટ્રધ્વજનું સન્માન કરે અને તિરંગાને ફરીથી સન્માનિત રીતે વ્યવસ્થિત મુકવામાં આવે. વાસ્તવમાં જે રીતે ધ્વજ ફરકાવવાના ઘણા નિયમો છે. તેવી જ રીતે ધ્વજને વાળીને સુરક્ષિત જગ્યા પર રાખવા અને ઉતારવા માટે પણ ઘણા નિયમો છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે તમારે તમારા ઘર પરનો ધ્વજ કેવી રીતે ઉતારવો જોઈએ અને તમારે તેને કેવી રીતે રાખવો જોઈએ.

આ  પણ વાંચો : Independence Day: અંબાજી, સાળંગપુર, સોમનાથ સહિતના પ્રસિદ્ધ યાત્રાધામમાં દેશભક્તિનો રંગ, ભગવાનને ત્રણ રંગોનો દિવ્ય શણગાર-Video

શું છે ધ્વજ નીચે ઉતારવાના નિયમ

તિરંગાને લઈને સ્પષ્ટ નિયમો છે. આ નિયમોને આધીન વ્યક્તિએ ધ્વજ ફરકાવો અને નીચે ઉતારવો જોઈએ. હર ઘર તિરંગા અભિયાને દરેક વ્યક્તિને પોતાના ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવવાની તક આપી છે. પરંતુ, ધ્વજ લહેરાવતી વખતે જેટલો આદર આપવામાં આવે છે, તેટલો જ તેને નીચે ઉતારતી વખતે પણ આપવો જોઈએ. તિરંગાને આદરપૂર્વક ઉતારવો જોઈએ અને ત્યાર બાદ તેને ફોલ્ડ કરીને સુરક્ષિત જગ્યાએ રાખવો જોઈએ

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

ધ્વજને કેવી રીતે ફોલ્ડ કરવો જોઈએ?

તિરંગાને ફોલ્ડ કરવા માટે પણ સ્પષ્ટ નિયમ બનાવવામાં આવ્યો છે. સૌથી પહેલા બે વ્યક્તિઓએ ત્રિરંગો પકડી. તે પછી લીલા રંગની પટ્ટીને પહેલા ફોલ્ડ કરવામાં આવશે. ત્યારબાદ લીલા રંગની પટ્ટી પર કેસરી રંગની પટ્ટી ઢાંક્યા બાદ બંને વ્યક્તિઓ તિરંગાને પોતાની તરફ ફોલ્ડ કરવો. આમ કરવાથી અશોક ચક્ર ઉપરની તરફ આવે છે. આ રીતે તિરંગાને ફોલ્ડ કરવો જોઈએ. આ સિવાય ઘણી સંસ્થાઓ ધ્વજ પાછો લેવા માટે અભિયાન ચલાવી રહી છે. તેથી જો તમે તેમ કરવા માંગતા હો, તો તમે તેમને પણ આપી શકો છો.

જો ત્રિરંગો ફાટી જાય તો શું કરવુ

દરેક વ્યક્તિએ તિરંગાનું સન્માન કરવું જોઈએ. પરંતુ, જો ત્રિરંગો ફાટી જાય તો તેની યોગ્ય વ્યવસ્થા કરવી ખૂબ જ જરૂરી છે. આવી સ્થિતિમાં ત્રિરંગો ફાટી જાય તો તેને લાકડાના બોક્સમાં પેક કરી દેવામાં આવે છે. આ પછી તિરંગાને દફનાવી શકાય છે અથવા તેને અગ્નિવિધી કરવી જોઈએ. બંને પરિસ્થિતિઓ ખૂબ જ શાંત જગ્યાએ થવી જોઈએ. ઉપરાંત, દફનવિધિ અથવા અગ્નિવિધિ કર્યા પછી મૌન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેને ડસ્ટબીન કે અન્ય કોઈ જગ્યાએ ફેંકવો જોઈએ નહીં.

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">