AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Independence Day: અંબાજી, સાળંગપુર, સોમનાથ સહિતના પ્રસિદ્ધ યાત્રાધામમાં દેશભક્તિનો રંગ, ભગવાનને ત્રણ રંગોનો દિવ્ય શણગાર-Video

ધાર્મિક મંદિરોમાં પણ સ્વતંત્રતા દિવસને લઈ આજે ખાસ શણગાર સજેલો જોવા મળી રહ્યો છે, પ્રસિદ્ધ મંદિરોને તિરંગાના કલરથી રોશનીથી ઝળહળતુ પૂર્વસંધ્યાથી જ શણગારવામાં આવ્યા છે. ભગવાનના દર્શન પણ ગર્ભ ગૃહમાં તિરંગા સાથે થઈ રહ્યા છે.

Independence Day: અંબાજી, સાળંગપુર, સોમનાથ સહિતના પ્રસિદ્ધ યાત્રાધામમાં દેશભક્તિનો રંગ, ભગવાનને ત્રણ રંગોનો દિવ્ય શણગાર-Video
યાત્રાધામમાં સુંદર શણગાર
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2023 | 12:13 PM
Share

સ્વતંત્રતા દિવસને લઈ આજે દેશભરમાં અનેરો માહોલ છે. દરેક ઘર પર તિરંગા લહેરાતા જોવા મળી રહ્યા છે. દરેક દુકાનો અને અને ખાનગી તેમજ સરકારી બિલ્ડીંગો પર તિરંગો શાનથી લહેરાઈ રહ્યો છે. ધાર્મિક મંદિરોમાં પણ સ્વતંત્રતા દિવસને લઈ આજે ખાસ શણગાર સજેલો જોવા મળી રહ્યો છે, પ્રસિદ્ધ મંદિરોને તિરંગાના કલરથી રોશનીથી ઝળહળતુ પૂર્વસંધ્યાથી જ શણગારવામાં આવ્યા છે. ભગવાનના દર્શન પણ ગર્ભ ગૃહમાં તિરંગા સાથે થઈ રહ્યા છે.

સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે પણ સ્વતંત્રતા પર્વને લઈ ખાસ શણગાર સજાવવામાં આવ્યો છે. આવી જ રીતે અંબાજી મંદિરને પણ સુંદર રોશનીથી ઝળહળતુ કરવામાં આવ્યુ છે. જ્યોર્તિલિંગ સોમનાથ મંદિરમાં શિવલિંગ પર તિરંગાને રાખવામાં આવ્યો છે. આમ ભગવાનના દર્શનના આજે ધાર્મિક ભક્તિ સાથે દેશ ભક્તિનો સંગમ જોવા મળી રહ્યો છે.

સાળંગપુર હનુમાન દાદાનો શણગાર

પ્રસિદ્ધ હનુમાનજી મંદિર સાળંગપુર કષ્ટભંજનદેવ દાદાના મંદિરે અનોખો શણગાર સજવામાં આવ્યો હતો. દાદાને તિરંગાનો દિવ્ય શણગાર સજવામાં આવ્યો હતો. સાળંગપુર દાદાને દરરોજ સુંદર શણગાર અલગ અલગ સજવામાં આવતા હોય છે. પરંતુ 15 ઓગષ્ટે વિશેષ શણગાર પવિત્ર મંગળવારના દિવસે કરવામાં આવ્યો હતો. સફેદ અને કેસરી ફુલો તમજ લીલા પાન વડે ત્રણ રંગોથી સુંદર શણગાર કરાયો હતો.

દાદાની પ્રતિમાની ઉપર લાલ કિલ્લાની છબી તૈયાર કરીને રાષ્ટ્ર ધ્વજ પણ લગાવવામાં આવ્યા હતા.

અંબાજીમાં સુંદર રોશની કરાઈ

પ્રસિદ્ધ યાત્રાધામમાં એક દિવસ અગાઉથી જ સુંદર દેશભક્તિમય વાતાવરણ મંદિરના ચોકમાં જોવા મળી રહ્યુ છે. અહીં શાળાના બાળકોએ હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે રેલી યોજીને દેશભક્તિના નાદથી મંદિર પરિસરને ગુંજાવ્યુ હતુ. જેનો વીડિયો પણ ભક્તોએ ખૂબ પસંદ કર્યો હતો.

મંદિરને ખાસ લાઈટીંગ કરવામાં આવી હતી. ત્રણ રંગની રોશનીનો શણગાર સજાવવામાં આવ્યો હતો. ખૂબ જ સુંદર રોશનીનો શણગારનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ ઉપરાંત મંદિર દ્વારા તસ્વીરો પણ દેશભક્તિને લઈ તૈયાર કરીને શેર કરવામાં આવી હતી.

સોમનાથ દાદાની સાથે તિરંગો

અધિક શ્રાવણમાસમાં ભક્તોનો ધસારો શિવ મંદિરોમાં ખૂબ રહે છે. પ્રસિદ્ધ સોમનાથ મંદિરે જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે ભક્તોનો ધસારો ખૂબ રહેતો હોય છે. 15 ઓગષ્ટને લઈ અહીં ભગવાન સોમનાથના શિવલિંગ પર તિરંગાને રાખવામાં આવ્યો હતો. આમ શિવલિંગના દર્શન સાથે તિરંગાના દર્શન કરી રહ્યા હતા.

બગદાણામાં તિરંગા હાર

બાપા સિતારામ મંદિર ખાતે બાપા સિતારામને તિરંગા હાર અર્પણ કરાયો હતો. મંદિરે ભક્તોએ તિરંગો લહેરાવ્યો હતો અને ભક્તિમય માહોલ સર્જ્યો હતો.

ચોટીલા મંદિરે અનોખા દર્શન

પ્રસિદ્ધ ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે પણ સુંદર દિવ્ય શણગાર સજવામાં આવ્યો હતો. ચામુંડા માતાજીની મુર્તી સાથે ગર્ભગૃહમાં તિરંગા લહેરાવાયા હતા. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ભક્તોએ ખૂબ પસંદ કર્યો હતો.

રાજ્યમાં પાવાગઢ, શામળાજી, સહિતના પ્રસિદ્ધ મંદિરોમાં સ્વતંત્રતા પર્વને લઈ દેશ ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. સુંદર સજાવટ સાથે તિરંગા મંદિરોના ગર્ભ ગૃહ અને મંદિરની બહાર જોવા મળી રહ્યા હતા.

આ પણ વાંચોઃ Sabarkantha: સ્ટેટ વિજીલન્સે SRP સાથે વડાલીમાં દરોડો પાડ્યો, સંચાલક, રાઈટર, હિશાબનીશ સહિત પેઢીની જેમ ચલાવાતુ જુગારધામ!

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">