China on Arunachal Pradesh: 109 વર્ષ જૂનુ એ સત્ય જેનાથી ભાગી રહ્યું છે ચીન, અરૂણાચલ પર ચીનના દાવામાં કેટલો દમ?

ભારત અને ચીન વચ્ચે વર્ષોથી સીમા વિવાદ ચાલી રહ્યો છે, ક્યારેક ચીનના સૈનિક લદ્દાખમાં ભારતીય સરહદમાં ઘૂસી જાય છે તો ક્યારેક ડોકલામ અને તવાંગમાં ઘૂસવાની હિંમત કરે છે, ભારત હંમેશા કડક જવાબ આપે છે, પરંતુ ચીન છે જે સુધરવાનું નામ પણ લેતું નથી.

China on Arunachal Pradesh: 109 વર્ષ જૂનુ એ સત્ય જેનાથી ભાગી રહ્યું છે ચીન, અરૂણાચલ પર ચીનના દાવામાં કેટલો દમ?
China claim on Arunachal Pradesh
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 04, 2023 | 6:10 PM

ભારતે મિત્રતાનો હાથ લંબાવ્યો અને ચીન પીઠમાં છરો ભોંકે છે. ચીને ફરી એકવાર એવું જ કર્યું અને અરુણાચલ પ્રદેશના 11 સ્થળોના નામ બદલી નાખ્યા. ભારતે ચીનની આ ઉદ્ધતાઈનો કડક જવાબ આપ્યો અને તેને નકારી દીધુ છે. અગાઉ 2021માં પણ ચીને અરુણાચલ પ્રદેશમાં 15 સ્થળોના નામ બદલ્યા હતા અને 2017માં પણ પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો: Breaking News: બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને ગૃહ મંત્રાલયે રાજ્ય સરકાર પાસેથી માંગ્યો રિપોર્ટ

ભારત અને ચીન વચ્ચે વર્ષોથી સીમા વિવાદ ચાલી રહ્યો છે, ક્યારેક ચીનના સૈનિક લદ્દાખમાં ભારતીય સરહદમાં ઘૂસી જાય છે તો ક્યારેક ડોકલામ અને તવાંગમાં ઘૂસવાની હિંમત કરે છે, ભારત હંમેશા કડક જવાબ આપે છે, પરંતુ ચીન છે જે સુધરવાનું નામ પણ લેતું નથી.

સર્વ પિતૃ અમાસ પર કરો આ ઉપાયો,પિતૃઓ આપશે આશીર્વાદ!
15 દિવસ સતત ખાલી પેટ જીરાનું પાણી પીવાથી જાણો શું થાય છે?
દવાઓ કરતાં પણ વધુ અસરકારક છે આ 4 છોડ ! અનેક રોગોનો રામબાણ ઈલાજ
શું દારૂ પીધા પછી ઘી ખાવાથી નશો નથી ચડતો ?
Black Pepper : માત્ર 1 કાળા મરી ખાવાથી સ્વાસ્થ્ય પર થાય છે આ અસર
એકાદશીનું વ્રત કેમ કરવું જોઈએ, ઇન્દ્રેશજી મહારાજે જણાવ્યું કારણ

ચીન દરેક વખતે 109 વર્ષ જૂના સત્યથી ભાગવાનો પ્રયાસ કરે છે, જે ભારતીય પ્રદેશોમાં ચીન દ્વારા કરવામાં આવતા દરેક દાવાને ઉજાગર કરે છે. 1950થી ચીન સતત અરુણાચલ પ્રદેશને પોતાનો ભાગ માની રહ્યું છે. ચીન અરુણાચલ પ્રદેશને દક્ષિણ તિબેટ હોવાનો દાવો કરે છે. એટલા માટે તે આ ભારતીય રાજ્ય પર પોતાનો દાવો કરે છે.

શું છે તે 109 વર્ષ જૂનું સત્ય

ભારત અને ચીન વચ્ચેના વિવાદનું મુખ્ય કારણ 3500 કિલોમીટર લાંબી સીમા રેખા છે. આને મેકમોહન લાઈન કહેવામાં આવે છે. ચીન તેને સ્વીકારવાનો સતત ઈનકાર કરી રહ્યું છે. મેકમોહન લાઈન 109 વર્ષ પહેલા 1914માં શિમલા કરાર બાદ દોરવામાં આવી હતી, જેમાં બ્રિટિશ ભારત, ચીન અને તિબેટ અલગ-અલગ જોડાયા હતા.

સર હેનરી મેકમોહન આ કરારના મુખ્ય વાટાઘાટકાર હતા, તેથી તેને મેકમોહન લાઈન કહેવામાં આવે છે. તે સમયે ભારત પણ તિબેટ વચ્ચે 890 કિમીની સીમા રેખાથી વિભાજિત હતું. ખાસ વાત એ છે કે આ કરારમાં તવાંગને ભારતનો હિસ્સો માનવામાં આવ્યો હતો.

ચીન આ કરારને સ્વીકારતું નથી

109 વર્ષ પહેલા કરવામાં આવેલ આ કરારને ચીન સ્વીકારતું નથી. હકીકતમાં, કરાર દરમિયાન, ચીનના પ્રતિનિધિઓએ તરત જ નકશા પર હસ્તાક્ષર કર્યા. તિબેટે એક સાર્વભૌમ દેશ તરીકે પણ હસ્તાક્ષર કર્યા હતા, પરંતુ બાદમાં જ્યારે વિગતવાર નકશો તૈયાર કરવામાં આવ્યો ત્યારે ચીને હસ્તાક્ષર કરવાનું પાછું ખેંચ્યું હતું.

કરારના રેકોર્ડના અભાવે ચીનના દાવાને વધુ સમર્થન મળ્યું. હવે ચીન દાવો કરે છે કે ભારત અને ચીન વચ્ચે કોઈ સરહદ વિભાજન નથી. ચીન તિબેટ સાથેના સરહદી કરારને પણ સ્વીકારતું નથી કારણ કે ચીન દાવો કરે છે કે તિબેટ એક સાર્વભૌમ દેશ નથી જે સરહદ વિભાજન પર હસ્તાક્ષર કરી શકે.

ચીન અરુણાચલ પ્રદેશ પર દાવો કરે છે

1912 સુધી તિબેટ અને ભારત વચ્ચે કોઈ સીમા રેખા નહોતી, આ તે વિસ્તાર હતો જ્યાં અંગ્રેજોનું શાસન હતું અને ન તો મુઘલો ક્યારેય અહીં પહોંચ્યા હતા. આ દરમિયાન તવાંગમાં 17મી સદીમાં બનેલું બૌદ્ધ મંદિર સામે આવ્યું. આ પછી સીમા વિવાદ શરૂ થયો, જેમાં 1914માં શિમલામાં સીમાનું સમાધાન થયું. જો કે, થોડા વર્ષો પછી ચીને તિબેટને સ્વતંત્ર દેશ માનવાનું બંધ કરી દીધું. 1950માં ચીને તિબેટ પર કબજો કર્યો અને તવાંગ પર પણ કબજો કરવાનો પ્રયાસ કર્યો.

ભારત તરફ મિત્રતાનો હાથ લંબાવ્યો અને પાછળથી કર્યો દગો

1949 માં, માઓ ઝેડોંગે પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાનું નિર્માણ કર્યું. ભારત ચીનને માન્યતા આપનારો પ્રથમ બિન-સામ્યવાદી દેશ બન્યો. 1954માં ભારતે તિબેટ પર ચીનના સાર્વભૌમત્વને સ્વીકાર્યું. હિન્દી-ચીની ભાઈ-ભાઈના નારા પણ ગુંજ્યા.

ચીને મેકમોહન લાઇનને આંતરરાષ્ટ્રીય સરહદ તરીકે સ્વીકારી અને બદલામાં ભારતે તિબેટને ચીનના ભાગ તરીકે સ્વીકારવાની મંજૂરી આપી. સંબંધો એટલા મજબૂત થયા કે 1954થી જાન્યુઆરી 1957 સુધી ચીનના પ્રથમ વડાપ્રધાન ચૌ-ઈન-લાઈએ ચાર વખત ભારતની મુલાકાત લીધી.

1954માં ભારતના તત્કાલિન પીએમ જવાહરલાલ નેહરુ પણ ચીનના પ્રવાસે ગયા હતા. આ પછી ચીને પોતાની ચાલ શરૂ કરી અને ભારતના વિસ્તારો પર કબજો જમાવવાનું શરૂ કર્યું. 1957માં ચીને અક્સાઈ ચીન થઈને 179 કિલોમીટર લાંબો રસ્તો બનાવ્યો હતો. ભારત અને ચીન વચ્ચે 1959માં પહેલીવાર સરહદ અથડામણ થઈ હતી. આ પછી, તે જ વર્ષે 21 ઓક્ટોબરે, ચીન સાથેની બીજી અથડામણમાં 17 ભારતીય સૈનિકો શહીદ થયા, જેને ચીને સ્વ-રક્ષણમાં લેવાયેલી કાર્યવાહી ગણાવી હતી.

ચીને યુદ્ધ જીત્યુ છતાં પીછેહઠ કરી

1962માં ચીને ભારત સાથે યુદ્ધ જીત્યું, પરંતુ તેમ છતાં તે ભારતના કબજા હેઠળના વિસ્તારોમાંથી પીછેહઠ કરી. જો કે ત્યારથી લઈને અત્યાર સુધી ચીનના ખરાબ ઈરાદાઓ વારંવાર સામે આવે છે. ખાસ કરીને અરુણાચલ પ્રદેશને લઈને ચીન વારંવાર આવી જ ધમકીઓ આપે છે, પરંતુ તેનો ઈરાદો પૂરો થતો નથી, કારણ કે આખી દુનિયા જાણે છે કે અરુણાચલ પ્રદેશ માત્ર ભારતનો જ ભાગ છે.

રાષ્ટ્રીય સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

     દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

Accident: દ્વારકાના બરડીયા નજીક ભયંકર અકસ્માત, 7 લોકોના મોત, 14 ઘાયલ
Accident: દ્વારકાના બરડીયા નજીક ભયંકર અકસ્માત, 7 લોકોના મોત, 14 ઘાયલ
સુરત જિલ્લામાં કોઝવે ઓવરટોપીંગના કારણે 7 રસ્તાઓ થયા ઠપ્પ
સુરત જિલ્લામાં કોઝવે ઓવરટોપીંગના કારણે 7 રસ્તાઓ થયા ઠપ્પ
સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા
સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા
ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ
ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ
નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત
નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત
નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો
નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો
Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું
Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું
સુરતમાં પ્રિનવરાત્રીમાં આ ખાસ થીમ સાથે ઘુમ્યા ગરબે
સુરતમાં પ્રિનવરાત્રીમાં આ ખાસ થીમ સાથે ઘુમ્યા ગરબે
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી
ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી
ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી
g clip-path="url(#clip0_868_265)">