એક ચૂંટણીના કારણે 30,000 લોકોને ગુમાવવો પડ્યો હતો જીવ, જાણો શું હતી સમગ્ર ઘટના
1902 માં માર્ટીનિક ટાપુ પર એક વિશાળ અને વિનાશક જ્વાળામુખી ફાટી નીકળ્યો હતો. 8 મે, 1902ના રોજ મોન્ટ પેલે જ્વાળામુખી ફાટતા ટાપુની રાજધાની સેન્ટ પિયરનો સંપૂર્ણ નાશ થયો હતો. આ ઘટનામાં અંદાજે 30,000 લોકો માર્યા ગયા હતા, આ ઘટના સમયે ટાપુ પર ચૂંટણીનો માહોલ હતો જેના કારણે આ દુર્ઘટના વધુ ગંભીર બની હતી.

વર્ષ 1902માં માર્ટીનિક ટાપુ પર સર્જાયેલી આપત્તિજનક ઘટનાને મોન્ટ પેલેના જ્વાળામુખી વિસ્ફોટ તરીકે ઓળખવામાં આવે છે, તે ઇતિહાસની સૌથી ભયંકર કુદરતી આફતો પૈકીની એક હતી. વિસ્ફોટથી આશરે 30,000 લોકો માર્યા ગયા હતા અને જ્વાળામુખીના ઇતિહાસમાં એક કાળો પ્રકરણ માનવામાં આવે છે. આ ઘટના સમયે ટાપુ પર ચૂંટણીનો માહોલ હતો જેના કારણે આ દુર્ઘટના વધુ ગંભીર બની હતી. આ લેખમાં અમે તમને આ સમગ્ર ઘટના વિશે જણાવીશું. માર્ટીનિક કેરેબિયન સમુદ્રમાં સ્થિત એક ફ્રેન્ચ ટાપુ છે, જેની રાજધાની સેન્ટ પિયર તે સમયે એક મુખ્ય વેપાર કેન્દ્ર અને સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે પ્રખ્યાત હતું. મોન્ટ પેલે ટાપુનો સૌથી મોટો જ્વાળામુખી શહેરથી થોડે દૂર સ્થિત હતો. આ શાંતિપૂર્ણ દેખાતા જ્વાળામુખીએ પોતાની અંદર એક ઊંડી અને વિનાશક ઊર્જા સંગ્રહિત કરી હતી, જે 1902માં આપત્તિ તરીકે પ્રગટ થઈ હતી. function...
