પાકિસ્તાન પર ભારત દ્વારા અજાણતા છોડાયેલ મિસાઈલ મામલે અમેરિકાએ કરી ટિપ્પણી, જાણો શુ કહ્યુ ?
ભારત સરકારે ગયા અઠવાડિયે શુક્રવારે કહ્યું હતું કે બે દિવસ પહેલા, એક મિસાઇલ આકસ્મિક રીતે ફાયર કરવામાં આવી હતી, જે પાકિસ્તાનમાં પડી હતી અને "અત્યંત ખેદજનક" ઘટના નિયમિત જાળવણી દરમિયાન તકનીકી ખામીને કારણે થઈ હતી.
ગયા અઠવાડિયે પાકિસ્તાન (Pakistan) પર ‘અજાણતામાં મિસાઈલ ફાયરિંગ’ની ઘટના અંગે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટનું (US State Department) કહેવું છે કે તાજેતરમાં જ પાકિસ્તાનમાં ભારત તરફથી પડેલી મિસાઈલના (Missile) ‘આકસ્મિક ફાયરિંગ’ સિવાય બીજું કોઈ કારણ નથી. ભારત તરફથી કહેવામાં આવ્યું છે કે એક મિસાઈલ આકસ્મિક રીતે છોડવામાં આવી હતી, જે પાકિસ્તાનમાં પડી હતી અને આ ‘ખૂબ જ ખેદજનક’ ઘટના છે. આ ઘટના પર સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે (Rajnath Singh) મંગળવારે સંસદમાં નિવેદન આપ્યું હતું કે આ ઘટના અજાણતાં જ બની છે.
ભારત સરકારે ગયા અઠવાડિયે શુક્રવારે કહ્યું હતું કે બે દિવસ પહેલા, એક મિસાઇલ જે આકસ્મિક રીતે પાકિસ્તાનમાં પડી હતી તે “અત્યંત ખેદજનક” ઘટના નિયમિત જાળવણી દરમિયાન તકનીકી ખામીને કારણે થઈ હતી. આ બાબત પર યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઈસે, સોમવારે દૈનિક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, ‘તમે અમારા ભારતીય સાથીઓ પાસેથી પણ સાંભળ્યું છે કે આ ઘટના એક ભૂલ સિવાય બીજું કંઈ નથી, અમને પણ બનાવ પાછળ બીજું કોઈ કારણ નથી લાગતુ.
રાજનાથ સિંહે સંસદમાં માહિતી આપી હતી
પાકિસ્તાન પર ‘મિસાઈલ ફાયરિંગ’ મુદ્દે રક્ષા મંત્રી રાજનાથ સિંહે આજે રાજ્યસભામાં કહ્યું, ‘હું 9 માર્ચ, 2022ના રોજ બનેલી ઘટના વિશે ગૃહને માહિતગાર કરવા માંગુ છું. આ ઘટના અજાણતા બની હતી. મિસાઇલ યુનિટની નિયમિત જાળવણી અને જરૂરી દેખરેખ દરમિયાન સાંજે 7 વાગ્યે આકસ્મિક રીતે એક મિસાઇલ ફાયર થઈ ગઈ હતી. બાદમાં જાણવા મળ્યું કે આ મિસાઈલ પાકિસ્તાન સ્થિત પંજાબના ગ્રામ્ય વિસ્તારમાં પડી હતી. આ ઘટના ખેદજનક છે. પરંતુ રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનામાલનું નુકસાન થયું નથી.
રક્ષા મંત્રીએ વધુમાં કહ્યું કે, ‘સરકારે આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લીધી છે. આ માટે ઔપચારિક ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. કથિત અકસ્માતનું ચોક્કસ કારણ તપાસ બાદ જ જાણી શકાશે.” બાદમાં રક્ષા મંત્રીએ લોકસભામાં પણ આ મામલે નિવેદન આપ્યું હતું.
અમે આના પર વધુ ટિપ્પણી ના કરી શકીએ : નેડ પ્રાઇસ
નેડ પ્રાઈસે એક પ્રશ્નના જવાબમાં કહ્યું, ‘તમારે આ સંબંધમાં કોઈ અન્ય પ્રશ્ન ભારતીય સંરક્ષણ મંત્રાલયને પૂછવો જોઈએ. તેમણે 9 માર્ચે એક નિવેદન બહાર પાડ્યું હતું, જેમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે તે દિવસે ખરેખર શું થયું હતું. અમે આ સિવાય અન્ય વધુ કોઈ ટિપ્પણી કરી શકતા નથી.
અગાઉ નવી દિલ્હીમાં, ભારતના સંરક્ષણ મંત્રાલયે કહ્યું હતું કે સરકારે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે અને ‘કોર્ટ ઓફ ઈન્ક્વાયરી’નો આદેશ આપ્યો છે. તેના એક દિવસ પહેલા, પાકિસ્તાને કહ્યું હતું કે ભારત દ્વારા છોડવામાં આવેલ “હાઈ-સ્પીડ ઑબ્જેક્ટ” તેના એરસ્પેસમાં પ્રવેશ્યું હતું અને પંજાબ પ્રાંતના ખાનવાલ જિલ્લામાં મિયાં ચન્નુ પાસે પડ્યું હતું.
આ પણ વાંચોઃ
હિજાબ વિવાદ: કર્ણાટક હાઈકોર્ટનો મોટો નિર્ણય, ઈસ્લામમાં હિજાબ પહેરવું ફરજિયાત નથી
આ પણ વાંચોઃ