સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પાકિસ્તાન પર ‘આકસ્મિક મિસાઈલ પડવાની ઘટના’ પર લોકસભામાં આપશે નિવેદન, જયશંકર યુક્રેન વિશે આપશે માહિતી

આ મામલે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને રવિવારે કહ્યું હતું કે પાકિસ્તાન પોતાના પંજાબ પ્રાંતમાં ભારતીય મિસાઈલ પડવા પર ભારતને જવાબ આપી શકતું હતું પણ અમે સંયમ દેખાડ્યો.

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પાકિસ્તાન પર 'આકસ્મિક મિસાઈલ પડવાની ઘટના' પર લોકસભામાં આપશે નિવેદન, જયશંકર યુક્રેન વિશે આપશે માહિતી
Rajnath singh to speak over missile misfire towards Pakistan in Lok sabha, Jaishankar to brief on Ukraine crisis
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 15, 2022 | 10:37 AM

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ (Defence Minister Rajnath Singh) મંગળવારે સવારે 11 વાગ્યે પાકિસ્તાન પર ‘આકસ્મિક મિસાઈલ પડવાની ઘટના’ મામલે લોકસભામાં નિવેદન આપશે. જ્યારે વિદેશ મંત્રી એસ. જયશંકર (External Affairs Minister S Jaishankar) લગભગ 2:30 વાગ્યે યુક્રેનની (Ukraine) સ્થિતિ પર નિવેદન આપશે. અગાઉ શુક્રવારે, ભારત સરકારે કહ્યું હતું કે બે દિવસ પહેલા તેણે “આકસ્મિક રીતે” એક મિસાઈલ છોડી દીધી હતી, જે પાકિસ્તાનમાં આવી હતી અને નિયમિત જાળવણી દરમિયાન તકનીકી ખામીને કારણે આ ઘટના ‘ખુબ અફસોસજનક’ છે.

પાકિસ્તાન તરફથી કહેવામાં આવ્યું હતું કે 9 માર્ચના રોજ એક હથિયાર રહિત ભારતીય સુપરસોનિક મિસાઈલ પાકિસ્તાનના વિસ્તારમાં ઘુસી ગઈ હતી. મિસાઈલ લાહોરથી 275 કિમી દૂર મિયાં ચન્નુ પાસેના કોલ્ડ સ્ટોરને અથડાતા પહેલા તેને ઘણી એરલાઈન્સ માટે મોટો ખતરો ઉભો કર્યો હતો. જો કે મિસાઈલ પડવાને કારણે પાકિસ્તાનમાં કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી. પાકિસ્તાન આ મામલે વારંવાર પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યું છે. જોકે, ભારતે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ પણ આપ્યો છે.

ઈમરાન ખાને શું કહ્યું?

આ મામલે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને રવિવારે કહ્યું હતું કે પાકિસ્તાન પોતાના પંજાબ પ્રાંતમાં ભારતીય મિસાઈલ પડવા પર ભારતને જવાબ આપી શકતું હતું પણ અમે સંયમ દેખાડ્યો. ઈમરાન ખાને આ મામલે પ્રથમ વખત પોતાની પ્રતિક્રિયા આપી છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

સંયુક્ત તપાસની કરી માંગ

અગાઉ પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે શનિવારે કહ્યું હતું કે તે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં મિસાઈલના આકસ્મિક ફાયરિંગના ભારતના સરળ ખુલાસાથી સંતુષ્ટ નથી અને સંયુક્ત તપાસની માંગ કરી છે. પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે જણાવ્યું હતું કે પાકિસ્તાને નવી દિલ્હીને તથ્યો સ્થાપિત કરવા માટે આ ઘટનાની સંયુક્ત તપાસનો પ્રસ્તાવ મૂક્યો છે કારણ કે મિસાઈલ પાકિસ્તાની ક્ષેત્રમાં આવી હતી. એફઓએ કહ્યું કે ભારત મિસાઈલના આકસ્મિક પ્રક્ષેપણ વિશે તાત્કાલિક માહિતી આપવામાં નિષ્ફળ રહ્યું છે. એફઓએ મિસાઈલો અને આવી ઘટનાઓ સામે ભારતના સુરક્ષા પગલા અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા.

આ પણ વાંચો: Surat : ગુજરાત સ્થાપના દિવસે જ સુરતના તમામ ઝોનમાં 50 બેડની નાની હોસ્પિટલ શરૂ કરવા કોર્પોરેશનનું આયોજન

આ પણ વાંચો: Lakhimpur case: કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર પર લટકતી તલવાર, સુપ્રીમ કોર્ટમાં આજે જામીનને પડકારતી અરજી પર થશે સુનાવણી

Latest News Updates

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">