શ્રીલંકા પાસે વિદેશી મુદ્રા ભંડાર લગભગ ખતમ, નાદારીથી બચવા શ્રીલંકાએ સોનું વેચવાનું કર્યું શરૂ, ભારતનું આપ્યું ઉદાહરણ

|

Jan 19, 2022 | 2:35 PM

શ્રીલંકા તેના અનામત સોનાના ભંડાર વેચીને દેશને નાદારીમાંથી બચાવી રહ્યું છે. શ્રીલંકામાં વિદેશી મુદ્રા ભંડાર લગભગ ખતમ થઈ ગયો છે, જેના કારણે આયાત પર ખરાબ અસર પડી છે. આવી સ્થિતિમાં શ્રીલંકા સોનું વેચીને વિદેશી હૂંડિયામણની વ્યવસ્થા કરી રહ્યું છે.

શ્રીલંકા પાસે વિદેશી મુદ્રા ભંડાર લગભગ ખતમ, નાદારીથી બચવા શ્રીલંકાએ સોનું વેચવાનું કર્યું શરૂ, ભારતનું આપ્યું ઉદાહરણ
Sri Lankan President Gotabaya Rajapaksa (Photo- Reuters)

Follow us on

શ્રીલંકા પોતાને નાદારીથી બચાવવા માટે સોનું વેચવાની સ્થિતિમાં પહોંચી ગયું છે. શ્રીલંકા (Sri Lanka)સોનું વેચીને તેની ઘટતી અર્થવ્યવસ્થાને ટેકો આપી રહ્યું છે. શ્રીલંકાની સેન્ટ્રલ બેંકે કહ્યું છે કે તેણે ઘટતા જતા વિદેશી મુદ્રા ભંડાર (Foreign exchange reserves)ને ધ્યાનમાં રાખીને તેના સોનાના ભંડારનો એક ભાગ વેચી દીધો છે. શ્રીલંકાના અગ્રણી અર્થશાસ્ત્રી અને સેન્ટ્રલ બેંકના ભૂતપૂર્વ ડેપ્યુટી ગવર્નર ડૉ. ડબલ્યુ. વિજેવર્દનેએ તાજેતરમાં એક ટ્વીટ પણ કર્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે સેન્ટ્રલ બેંકના ગોલ્ડ રિઝર્વમાં ઘટાડો થયો છે.

તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું કે સેન્ટ્રલ બેંકનું ગોલ્ડ રિઝર્વ $382 મિલિયનથી ઘટીને $175 મિલિયન થઈ ગયું છે. શ્રીલંકાની સેન્ટ્રલ બેંકના ગવર્નર નિવાર્ડ કેબ્રાલે કહ્યું છે કે લિક્વિડ ફોરેન એસેટ (રોકડ) વધારવા માટે શ્રીલંકાએ ડિસેમ્બર 2020માં તેના સોનાના ભંડારનો એક ભાગ વેચ્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે ચીન સાથે કરન્સી સ્વેપ (ડોલરને બદલે એકબીજાના ચલણમાં વેપાર)ને પગલે વર્ષના અંતે સોનાના ભંડારમાં વધારો થયો હતો. ઇકોનોમી નેક્સ્ટના એક અહેવાલ મુજબ, એવો અંદાજ છે કે શ્રીલંકાની સેન્ટ્રલ બેંકે 2021ની શરૂઆતમાં 6.69 ટન ગોલ્ડ રિઝર્વમાંથી લગભગ 3.6 ટન સોનું વેચ્યું હતું, જેનાથી તેની પાસે લગભગ 3.0 થી 3.1 ટન સોનું હતું.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

2020માં પણ સેન્ટ્રલ બેંકે સોનું વેચ્યું હતું. વર્ષની શરૂઆતમાં, ત્યાં 19.6 ટન સોનાનો ભંડાર હતો, જેમાંથી 12.3 ટનનું વેચાણ થયું હતું. ગવર્નર કેબ્રાલે જણાવ્યું હતું કે સોનાનું વેચાણ વિદેશી મુદ્રા ભંડારને વધારવા માટે હતું. “જ્યારે વિદેશી અનામત ઓછી હોય છે, ત્યારે અમે સોનાનું હોલ્ડિંગ ઘટાડીએ છીએ. જ્યારે વિદેશી અનામત વધી રહી હતી ત્યારે અમે સોનું ખરીદ્યું હતું. એકવાર રિઝર્વ લેવલ USD 5 બિલિયનથી ઉપર જશે, ત્યારે સેન્ટ્રલ બેંક ગોલ્ડ હોલ્ડિંગ વધારવા પર વિચાર કરશે”.

સોનાના ઘટતા ભંડાર પર શ્રીલંકાના મુખ્ય અર્થશાસ્ત્રીએ શું કહ્યું?

ડૉ.ડબલ્યુ. એ વિજેવર્દનેએ શ્રીલંકાના અખબાર ડેઈલી મિરર સાથે સોનાના વેચાણ અંગે વાત કરી છે. તેમણે શ્રીલંકાની સ્થિતિની સરખામણી 1991ના ભારત સાથે કરી હતી જ્યારે ભારતે પોતાને નાદારીથી બચાવવા માટે સોનું ગીરવે મૂક્યું હતું. તેમણે કહ્યું, ‘સોનું એ એક અનામત છે જેનો ઉપયોગ જ્યારે કોઈ દેશ ડિફોલ્ટની આરે હોય ત્યારે અંતિમ ઉપાય તરીકે કરવો પડે છે. તેથી, જ્યારે અન્ય કોઈ વિકલ્પ ઉપલબ્ધ ન હોય, ત્યારે સોનાનું વેચાણ થોડુંક કરવું જોઈએ.

ભારતે 1991માં પણ તેનું સોનું ગીરવે મૂક્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, ‘ભારત સરકારે તેને દેશથી છુપાવી દીધું પરંતુ વાર્તા બહાર આવી અને સરકારની છબી ખરડાઈ, પરંતુ તત્કાલિન નાણામંત્રી મનમોહન સિંહે પછીથી લોકસભામાં સ્વીકાર્યું કે દેશ પાસે આ સિવાય કોઈ વિકલ્પ ન હતો. તો આજે શ્રીલંકા દ્વારા સોનાના વેચાણનો અર્થ એ થાય છે કે દેશની હાલત 1991ના ભારત જેવી જ છે.

ભારતે બે વાર સોનું ગીરવે મૂક્યું હતું

1991માં ઉદારીકરણ પહેલાં, ભારતની અર્થવ્યવસ્થા એટલી ખરાબ સ્થિતિમાં હતી કે સોનું બે વાર ગીરવે રાખવું પડ્યું હતું. યશવંત સિન્હા નાણાપ્રધાન હતા અને ચંદ્રશેખર વડા પ્રધાન હતા ત્યારે સૌપ્રથમ વખત સોનું ગિરવે રાખવાનો મુદ્દો આવ્યો હતો. તે દરમિયાન આંતરરાષ્ટ્રીય એજન્સીઓ દ્વારા ભારતનું રેટિંગ ઘટી ગયું હતું.

ભારતના આંતરરાષ્ટ્રીય બજારમાં નાદારી થવાનો ભય હતો. ભારતનો વિદેશી હૂંડિયામણનો ભંડાર લગભગ ખાલી હતો. આવા મુશ્કેલ સમયમાં છેલ્લા ઉપાય તરીકે સોનું ગીરવે મૂકવાનું નક્કી કરવામાં આવ્યું હતું. મે 1991માં યુબીએસ બેંક ઓફ સ્વિટ્ઝર્લેન્ડમાં 20 હજાર કિલો સોનું ગુપ્ત રીતે ગીરવે રાખવામાં આવ્યું હતું. બદલામાં સરકારને 20 કરોડ ડોલર મળ્યા હતા.

સોનું ગીરવે રાખ્યા પછી પણ ભારતના અર્થતંત્રને બહુ ફાયદો થયો નથી. સરકાર પાસે વિદેશી આયાત માટે ચૂકવણી કરવા માટે પૈસા ન હતા. વિદેશી મુદ્રા ભંડાર લગભગ ખાલી હતા. 21 જૂન 1991ના રોજ પીવી નરસિમ્હા રાવની સરકાર આવી. આ સરકારમાં મનમોહન સિંહને નાણામંત્રી બનાવવામાં આવ્યા. નવી સરકાર સામે દેવાળિયા થઈ રહેલા દેશને બચાવવાનો પડકાર હતો.

આવી સ્થિતિમાં ફરી એકવાર સોનું ગીરવે મુકવામાં આવ્યું, જેના સમાચાર દેશને આપવામાં આવ્યા ન હતા. 40 કરોડ ડોલરના બદલામાં 47 ટન સોનું ગીરવે મૂક્યું હતું. આ સમાચાર ઈન્ડિયન એક્સપ્રેસના પત્રકાર શંકર અય્યરે બ્રેક કર્યા હતા, જેના પછી દેશને સોનું ગીરવે હોવાની જાણ થઈ હતી. જો કે, બાદમાં જ્યારે આર્થિક સ્થિતિમાં સુધારો થયો ત્યારે તે જ વર્ષે સોનું પાછું ખરીદવામાં આવ્યું.

આ પણ વાંચો: Viral: ડોગીમાં પણ સ્વાદનાં ભારે નખરા ! માલિકે ચટણી વગર Momo આપ્યા તો કરી દીધો ઈન્કાર, લોકોએ કીધુ ભારે નખરા

આ પણ વાંચો: Viral: ખુબ બટર નાખી બનાવી Butter Tea, વીડિયો જોઈ ટી લવર બોલ્યા આ સહન નહીં થાય

Next Article