41 વર્ષ બાદ અંતરીક્ષમાં જઈ શુભાંશુએ રચ્યો ઈતિહાસ, 18 દિવસ બાદ સકુશળ વાપસી પર PM મોદીએ કહ્યુ ‘સ્વાગત’- જાણો ભારત માટે કેમ ખાસ છે આ મિશન
"41 સાલ પહેલે કોઈ ભારતીય અંતરિક્ષ મેં ગયે થે, ઔર ઉન્હોને હમે બતાયા થા કી ઉપર સે ભારત કૈસા દીખતા હે? મે એકબાર ફીર કહ સક્તા હું કી આજ કા ભારત અભી ભી સારે જહાં સે અચ્છા દીખતા હૈ." 41 વર્ષ પછી કોઈ ભારતીયે અંતરિક્ષમાં જઈને તમામ દેશવાસીઓને રાકેશ શર્માની યાદ અપાવી દીધી છે. ભારતીય ગૃપ કેપ્ટન તેનe 18 દિવસના અવકાશ મિશન પરથી આજે પૃથ્વી પર સકુશળ પરત ફર્યા છે ત્યારે આવો જાણીએ તેની આ 18 દિવસની યાત્રા વિશે, તેમણે અવકાશમાં કરેલા પ્રયોગો વિશે અને તેમની આ યાત્રાના અનુભવોનો આગામી સમયમાં શું લાભ થશે.- વાંચો

ઈન્ટરનેશનલ અંતરિક્ષ સ્ટેશન પર ગયેલા ભારતીય ગૃપ કેપ્ટન શુભાંશુ શુક્લા સહિત ચાર અવકાશ યાત્રી 18 દિવસની અંતરિક્ષ યાત્રા બાદ સકુશળ પરત ફર્યા છે. 23 કલાકની સફર બાદ ડ્રેગન સ્પેસક્રાફ્ટે કેલિફોર્નિયાના સમુદ્રમાં લેંડ કર્યુ. શુક્લા ડ્રેગન ‘ગ્રેસ’ અંતરિક્ષ યાનથી પરત ફ્યા છે. ચાર દાયકા બાદ માનવ અંતરિક્ષ ઉડાનમાં ભારતની વાપસી કરનારા એક્સિઓમ-4 મિશન અંતર્ગત આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન પર શુભાંશુ રાકેશ શર્મા બાદ બીજા ભારતીય છે. ભારતીય ગૃપ કેપ્ટન શુભાંશુ શુક્લા એ 41 વર્ષ બાદ ઈતિહાસ રચ્યો છે. અંતરિક્ષમાંથી આજે શુભાંશુની ઘરવાપસી થઈ રહી છે. ત્યારે સમગ્ર દેશવાસીઓનો જોશ હાઈ છે. 14 જુલાઈ સાંજે 3 વાગ્યાને 45 મિનિટે શુભાંશુ શુક્લા સહિત 4 અંતરિક્ષ યાત્રી ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી પૃથ્વી પર આવ્યા હતા. હાલ દેશ અને દુનિયાની નજરો આ ચાર અતંરિક્ષ યાત્રીઓ પર ટકેલી છે. તેમના સ્પેસક્રાફ્ટ સ્પેસ X ડ્રેગને...
