Breaking News : શાહબાઝ શરીફ બનશે પાકિસ્તાનના નવા વડાપ્રધાન, બિલાવલ ભુટ્ટોએ કરી જાહેરાત
પાકિસ્તાનમાં નવી સરકારની રચનાનો રસ્તો સાફ થઈ ગયો છે. પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના પ્રમુખ શાહબાઝ શરીફ વડાપ્રધાન બનશે. આ સાથે જ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના કો-ચેરમેન આસિફ ઝરદારી પાકિસ્તાનના નવા રાષ્ટ્રપતિ બનશે. ઘણા દિવસોની વાતચીત બાદ બંને પક્ષો વચ્ચે સરકાર રચવાને લઈને સમજૂતી થઈ છે.
પાકિસ્તાનમાં નવી સરકારની રચનાનો રસ્તો સાફ થઈ ગયો છે. પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના પ્રમુખ શાહબાઝ શરીફ વડાપ્રધાન બનશે. આ સાથે જ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના કો-ચેરમેન આસિફ ઝરદારી પાકિસ્તાનના નવા રાષ્ટ્રપતિ બનશે. ઘણા દિવસોની વાતચીત બાદ બંને પક્ષો વચ્ચે સરકાર રચવાને લઈને સમજૂતી થઈ છે.
PPP અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારીએ મંગળવારે મોડી રાત્રે સંયુક્ત પત્રકાર પરિષદમાંગઠબંધન સરકારની રચનાને લઈને બંને પક્ષો વચ્ચેના કરારની જાહેરાત કરી હતી. જિયો ન્યૂઝે બિલાવલને ટાંકીને કહ્યું છે કે, પીપીપી અને પીએમએલ-એનએ જરૂરી સંખ્યા મેળવી લીધી છે. હવે અમે સરકાર બનાવવાની સ્થિતિમાં છીએ, સોમવારે બંને પક્ષોના નેતાઓ વચ્ચેની તાજેતરની મંત્રણાના એક દિવસ પછી આ જાહેરાત કરવામાં આવી છે.
પાકિસ્તાન મુસ્લિમ લીગ (PML-N) અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) સરકાર બનાવવા માટે અંતિમ સમજૂતી પર પહોંચ્યા છે. PML-Nના અધ્યક્ષ અને ભૂતપૂર્વ વડા પ્રધાન શાહબાઝ શરીફે મંગળવારે જણાવ્યુ કે પાકિસ્તાન પીપલ્સ પાર્ટી અને પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ પાસે હવે સરકાર બનાવવા માટે બહુમતી છે.
પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાઇ હતી. બાદમાં પાકિસ્તાનમાં કોઈ પણ પક્ષ બહુમતનો આંકડો પાર કરી શક્યો નહોતો. તે પછી પાકિસ્તાનના તમામ પક્ષો ગઠબંધન માટે સંઘર્ષ કરવા લાગ્યા, જો કે બંને પક્ષોના ટોચના નેતાઓ વચ્ચેની છેલ્લી વાટાઘાટો અનિર્ણિત રહી હતી, પરંતુ એક દિવસ પછી બંને પક્ષોએ કેન્દ્રમાં ગઠબંધન સરકાર બનાવવા માટે સત્તા વહેંચણીની ફોર્મ્યુલાની જાહેરાત કરી છે.
આસિફ અલી ઝરદારીને રાષ્ટ્રપતિ બનાવવાની શરત
પ્રેસ કોન્ફરન્સમાં શાહબાઝ શરીફની નજીક બેઠેલા પીપીપી અધ્યક્ષ બિલાવલ ભુટ્ટોએ કહ્યું કે શાહબાઝ શરીફ અમારી ગઠબંધન સરકારના વડાપ્રધાન પદના ઉમેદવાર હશે. આ સિવાય બિલાવલે કહ્યું કે તેમના પિતા આસિફ અલી ઝરદારી ગઠબંધનના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હશે. શાહબાઝ શરીફે મીડિયાને કહ્યું કે, PPP સિવાય અમારી ગઠબંધન સરકારમાં ઘણી નાની પાર્ટીઓ પણ સામેલ છે. તેમણે દાવો કર્યો હતો કે, આ ગઠબંધનથી પીએમએલ-એન ગઠબંધન સરળતાથી સરકાર બનાવવા માટે બહુમતીનો આંકડો હાંસલ કરશે. પાકિસ્તાનની સૌથી મોટી પાર્ટી PML-N પાસે 79 સીટો છે જ્યારે આ ગઠબંધનની બીજી પાર્ટી PPP પાસે 54 સીટો છે. બિલાવલે ગઠબંધન માટે ઝરદારીને રાષ્ટ્રપતિ બનાવવાની શરત રાખી હતી.
PTIએ તેમને ‘જનાદેશ ચોર’ કહ્યા
બંને પક્ષોની જાહેરાતના જવાબમાં, PTIએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ જોડાણને “જનાદેશ ચોર” તરીકે ઓળખાવ્યું. તમને જણાવી દઈએ કે ચૂંટણીમાં પીટીઆઈ સમર્થિત ઉમેદવારોએ સૌથી વધુ 93 સીટો જીતી છે. પીટીઆઈ પોતાની સરકાર બનાવવા માટે પાકિસ્તાનની નાની પાર્ટીઓ સાથે પણ ગઠબંધન કરી રહી છે. પીટીઆઈના નેતા બેરિસ્ટર ગોહર અલી ખાને સોમવારે જાહેરાત કરી હતી કે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) કેન્દ્ર, પંજાબ અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં સરકાર બનાવવા માટે સુન્ની ઈત્તેહાદ કાઉન્સિલ (એસઆઈસી) સાથે ગઠબંધન કરી રહી છે.