AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

POK માં કંઈક મોટું થવાનું છે? બે દિવસમાં ચાર નિવેદન, પાકિસ્તાન સામે ભારતનો બદલાયેલો સ્વર… શું છે આખી હકીકત?

India-Pakistan Tension : ભારતના આક્રમક સ્વરે સૌની નજરો ખેંચી લીધી છે, કારણ કે શાંતિના સમય દરમિયાન ભારત સામાન્ય રીતે પાકિસ્તાન સામે આટલો કડક અભિગમ અપનાવતું નથી. હવે ભારતનો પાકિસ્તાન પ્રત્યેનો રુખ થોડો નવો અને બદલાયેલો લાગે છે, જેને કારણે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કંઈક મોટું થવાનું છે.

POK માં કંઈક મોટું થવાનું છે? બે દિવસમાં ચાર નિવેદન, પાકિસ્તાન સામે ભારતનો બદલાયેલો સ્વર… શું છે આખી હકીકત?
| Updated on: Oct 03, 2025 | 5:51 PM
Share

ભારત અને પાકિસ્તાન વચ્ચે સૈન્ય તણાવ ક્યારેય પણ સપાટી નીચે રહેતો નથી અને જ્યારે પણ તે સામે આવે છે ત્યારે વિસ્ફોટક બની જાય છે. મે મહિનામાં કરાયેલ ઓપરેશન સિંદૂર તેનું તાજું ઉદાહરણ છે. હવે એવો સંકેત છે કે આ તણાવ નવા ક્ષેત્રમાં ફેલાઈ શકે છે, કારણ કે ગુરૂવાર અને શુક્રવારે ભારતે પાકિસ્તાન વિરુદ્ધ ખુબ જ આક્રમક સ્વર અપનાવ્યો છે.

રક્ષા મંત્રીની કડક ચેતવણી

રક્ષા મંત્રી રાજનાથ સિંહે ગુરૂવારે ચેતવણી આપી હતી કે ગુજરાતના સર ક્રીક વિસ્તારમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવતી ઘૂસણખોરીનો એવો જવાબ આપવામાં આવશે કે જે ‘ઇતિહાસ અને ભૂગોળ’ બદલાવી દેશે.

POKમાં ફેલાયેલી અશાંતિ પર વિદેશ મંત્રાલયનું નિવેદન

શુક્રવારે ભારતે પાકિસ્તાની દમનકારી નીતિઓને POKમાં ફેલાયેલી અશાંતિ માટે જવાબદાર ઠેરવ્યું. અહીંના વિરોધ પ્રદર્શન દરમિયાન 12 લોકોના મોત થયા અને 150થી વધુ ઘાયલ થયા.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસવાલે કહ્યું કે, “અમે POKમાં વ્યાપક વિરોધ પ્રદર્શનોની ખબર મેળવી છે, જેમાં નિર્દોષ નાગરિકો પર પાકિસ્તાની સેનાએ બર્બરતા દાખવી છે. પાકિસ્તાનને તેના માનવાધિકારના ઉલ્લંઘનો માટે જવાબદાર ઠેરવવું જ પડશે.”

સેનાધ્યક્ષે આપી કડક ચેતવણી

વિદેશ મંત્રાલયના નિવેદન પહેલાં જ સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીે પાકિસ્તાનને ચેતવણી આપી કે,

“જો પાકિસ્તાન દુનિયાનું નકશામાં રહેવા માંગે છે તો તેને રાજ્ય પ્રાયોજિત આતંકવાદનો તાત્કાલિક અંત લાવવો પડશે.”

તેમણે કહ્યું કે આ વખતે ભારતીય સેના કોઈપણ પ્રકારનું સંયમ નહીં રાખે. સંકેત આપવામાં આવ્યો કે જો આતંકવાદનો નિકાસ બંધ નહીં થાય તો ઓપરેશન સિંદૂર 2.0 બહુ દૂર નથી.

એરફોર્સ ચીફનું મોટું ખુલાસું

એર ચીફ માર્શલ એપી સિંહે જણાવ્યું કે મે મહિનાના ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે પાકિસ્તાનના 4 થી 5 ફાઇટર જેટ્સને (અમેરિકન F-16 અને ચાઇનીઝ JF-17 સહિત) ધ્વસ્ત કર્યા હતા.

7 મેના રોજ ભારતે પાકિસ્તાન અને POKમાં આવેલા 9 આતંકી કેમ્પ્સ પર હુમલો કર્યો હતો, જેને કારણે બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી.

POKમાં વ્યાપક વિરોધ પ્રદર્શન

  • હાલમાં POKમાં વર્ષો પછી સૌથી મોટું જનઆંદોલન શરૂ થયું છે.
  • વેપારીઓ, વકીલો અને નાગરિક સંગઠનોની અવામી એક્શન કમિટી (AAC) પાકિસ્તાની સરકાર સામે 38 મુદ્દાની માંગણીનો ચાર્ટર રજૂ કર્યો છે.
  • પ્રદર્શનકારીઓએ બંધ અને ચક્કાજામની જાહેરાત કરી છે.
  • પાકિસ્તાની સેનાએ પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કર્યો, જેમાં અનેકના મોત થયા.

38 મુદ્દાની માંગણીઓમાં મુખ્ય

  • સબસિડીવાળા આટા, ખાંડ અને ઘી
  • સસ્તા વીજદર અને સ્થાનિક હાઇડ્રો પાવરનો લાભ
  • પાકિસ્તાનમાં શરણાર્થીઓ માટેની 12 વિધાનસભા બેઠકો રદ્દ કરવી
  • ભ્રષ્ટાચાર પર નિયંત્રણ
  • સ્થાનિક યુવાનોને રોજગારના સમાન અવસર
  • ખેડૂતો માટે સુધરેલી નીતિઓ
  • શિક્ષણ અને આરોગ્ય સુવિધાઓમાં સુધારો

“પાકિસ્તાન વિચારી લે કે તેને નક્શામાં રહેવુ છે કે નહીં…” સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વીવેદીની ખુલ્લી ચેતવણી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
g clip-path="url(#clip0_868_265)">