પાકિસ્તાન : ઈમરાન ખાન પાર્ટી અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડશે નહીં, જાણો કોણ બનશે PTIના નવા બોસ

ઈમરાન ખાને કાયદાકીય મામલાઓને કારણે પાર્ટીના અધ્યક્ષ પદ છોડવાનો નિર્ણય લીધો છે. ઈમરાન ખાન છેલ્લા ઘણા સમયથી રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ છે. શેર અફઝલ મારવતની જાહેરાત બાદ પાર્ટીમાં મૂંઝવણ હતી જ્યારે પીટીઆઈએ દાવો કર્યો હતો કે ઈમરાન ખાનની તેમના પદ પરથી હટવાની કોઈ યોજના નથી.

પાકિસ્તાન : ઈમરાન ખાન પાર્ટી અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડશે નહીં, જાણો કોણ બનશે PTIના નવા બોસ
Imran Khan
Follow Us:
| Updated on: Nov 29, 2023 | 8:04 PM

પાકિસ્તાનમાં આગામી ફેબ્રુઆરી 2024 માં યોજાનારી સામાન્ય ચૂંટણી પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ એટલે કે, PTI ના વરિષ્ઠ ઉપાધ્યક્ષ શેર અફઝલ મારવતે સ્પષ્ટ કર્યું છે કે, બેરિસ્ટર ગૌહર ખાન પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના પ્રમુખ પદના દાવેદાર હશે. તમને જણાવી દઈએ કે ઈમરાન ખાને પોતાની પાર્ટી પીટીઆઈના નેતૃત્વ માટે બેરિસ્ટર ગૌહરને પોતાના ઉત્તરાધીકારી તરીકે પસંદ કર્યા છે.

20 દિવસમાં ચૂંટણી કરાવવી પડશે

પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરી, 2024 ના રોજ સામાન્ય ચૂંટણી યોજાવાની છે. પાકિસ્તાનના ચૂંટણી પંચે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીને કહ્યું હતું કે, જો પીટીઆઈ પોતાનું ચૂંટણી ચિન્હ ચાલુ રાખવા માંગે છે તો તેઓએ 20 દિવસની સમય મર્યાદામાં પાર્ટીની અંદર ચૂંટણી કરાવવી પડશે.

ઈમરાન ખાન રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ

પીટીઆઈના વરિષ્ઠ ઉપાધ્યક્ષ શેર અફઝલ મારવતે ગઈકાલે એટલે કે મંગળવારે કહ્યું હતું કે, બેરિસ્ટર ગૌહર ખાન પીટીઆઈ પ્રમુખ પદના ઉમેદવાર હશે. તમને જણાવી દઈએ કે ઈમરાન ખાને કાયદાકીય મામલાઓને કારણે પાર્ટીના અધ્યક્ષ પદ છોડવાનો નિર્ણય લીધો છે. ઈમરાન ખાન છેલ્લા ઘણા સમયથી રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ છે.

LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ

શેર અફઝલ મારવતની જાહેરાત બાદ પાર્ટીમાં મૂંઝવણ હતી જ્યારે પીટીઆઈએ દાવો કર્યો હતો કે ઈમરાન ખાનની તેમના પદ પરથી હટવાની કોઈ યોજના નથી. પીટીઆઈ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જાહેર કરવામાં આવેલા નિવેદનમાં, તેઓએ પાર્ટીના નવા અધ્યક્ષની ચૂંટણી અંગેની અટકળોને રદિયો આપ્યો છે.

જાણો કોણ છે બેરિસ્ટર ગૌહર ખાન

બેરિસ્ટર ગૌહર ખાન ખૈબર પખ્તુનખ્વાના બુનેર જિલ્લાના રહેવાસી છે અને પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના વકીલ છે. તેમણે યુનીવર્સીટી ઓફ વોલ્વર હેમ્પટન, યુકેમાંથી કાયદાનો અભ્યાસ કર્યો છે. આ ઉપરાંત વોશિંગ્ટન સ્કૂલ ઓફ લો, યુએસએમાંથી એલએલએમની ડીગ્રી મેળવી છે. પીટીઆઈમાં જોડાતા પહેલા તે પાકિસ્તાન પીપલ્સ પાર્ટી સાથે જોડાયેલા હતા.

આ પણ વાંચો : પાકિસ્તાન: ઈમરાન ખાન ઘણા કેસમાં દોષિત હોવાથી જેલમાં છે, ચૂંટણી પંચે ઈમરાનની પાર્ટીના પત્રનો આપ્યો જવાબ

બેરિસ્ટર ગૌહર અલી ખાને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીની ટિકિટ પર તેમના વતન જિલ્લા બુનેર NA-28 માંથી 2008ની સામાન્ય ચૂંટણી લડી હતી. જો કે, તેઓ તે ચૂંટણી લગભગ 2000 મતોથી હારી ગયા અને ત્રીજા સ્થાને રહ્યા હતા.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
g clip-path="url(#clip0_868_265)">