AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ભારતની એર ડિફેન્સ સિસ્ટમ સામે પાકિસ્તાન ઘૂંટણિયે પડ્યું

પહેલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતની જવાબી કાર્યવાહીથી આજે આખી દુનિયા પરિચિત છે.ભારતે આતંકવાદ વિરુદ્ધ લડાઈમાં પોતાની તાકાત દેખાડી છે. ભારતે દુનિયાને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, તે પોતાની દેશી રક્ષા માટે જડબાતોડ જવાબ આપી શકે છે.

Breaking News :  ભારતની એર ડિફેન્સ સિસ્ટમ સામે પાકિસ્તાન ઘૂંટણિયે પડ્યું
Follow Us:
| Updated on: May 11, 2025 | 6:41 AM

ભારત અને પાકિસ્તાન શનિવારે સતત ત્રણ દિવસથી ચાલી રહેલી લડાઈ બંધ કરવા સંમત થયા. બંને દેશોએ આંતરરાષ્ટ્રીય સરહદ અને LoC પર યુદ્ધવિરામની જાહેરાત કરી હતી પરંતુ ભારતનું કહેવું છે કે, સરહદ પર ઉકસાવે તો તેને સ્પષ્ટ સંદેશ આપવા તે તૈયાર છે. ભારતીય સેનાએ આના માટે જવાબી કાર્યવાહી કરવાની પણ છુટ આપી છે. તેમજ પહેલગામમાં આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન ઉપર જવાબી કાર્યવાહી કરી દુનિયાને એક ચોખ્ખો સંદેશ આપ્યો છે.

ભારતીય વાયુસેનાની એર ડિફેન્સ સિસ્ટમ ખૂબ જ મજબૂત

ભારતે પાકિસ્તાન સામેની જવાબી કાર્યવાહી દ્વારા બતાવ્યું છે કે તે તેના દેશ સામેની કોઈપણ આતંકવાદી પ્રવૃત્તિનો સામનો કરવા માટે પૂરતું સક્ષમ છે. ભારતીય વાયુસેનાની એર ડિફેન્સ સિસ્ટમ ખૂબ જ મજબૂત છે અને દુશ્મનોના દરેક હુમલાનો જવાબ આપવા સક્ષમ છે. આજે ભારતની તાકાત દુનિયા સમક્ષ સ્પષ્ટ દેખાઈ રહી છે કે તે પોતાના મજબૂત લશ્કરી સાધનોનો ઉપયોગ કરીને પોતાના દુશ્મનોને કેવી રીતે યોગ્ય જવાબ આપી શકે છે.

એર ડિફેન્સ સિસ્ટમે પાકિસ્તાનને ઘૂંટણિયે પાડી દીધું

ભારતે હાલના વર્ષોમાં ડિફેન્સ બજેટમાં મોટો ખર્ચ કર્યો છે. આ કારણ છે કે, ભારત પહેલગામમાં આતંકી હુમલા બાદ પાકિસ્તાન પર જવાબી કાર્યવાહી કરી તેને ઘૂંટણિયે પાડી દીધું છે. ભારતની એર ડિફેન્સ સિસ્ટમ, સ્વદેશી આકાશ મિસાઈલ, બરાક 8 MRSAM, એન્ટ્રી ડ્રોન ટેકનોલોજી અને Harop ડ્રોને પાકિસ્તાનની સાથે લડાઈમાં એક મહત્વનો રોલ નિભાવ્યો છે. ભારતે આજે પોતાની સંરક્ષણ પ્રણાલીઓ દ્વારા દુનિયાને પોતાની તાકાત બતાવી છે.

કારને રોકવા માટે પહેલા ક્લચ દબાવાય કે બ્રેક? જાણી લો
પૂજા રૂમમાં ના કરશો આ ભૂલો, ઘરની સુખ સમૃદ્ધિ ખોરવાઈ જશે
પાકિસ્તાનના 100 રૂપિયા ચીનમાં જઈને કેટલા થઈ જાય ?
ઓફિસના ડેસ્ક પર તુલસી રાખવી શુભ છે કે અશુભ?
ત્રિવેદી અટકનો અર્થ અને ઈતિહાસ જાણો
Moong Dal: કેમિકલયુક્ત મગની દાળ ઓળખવા માટેની સરળ ટિપ્સ

સતત ત્રણ દિવસ સુધી ચાલેલા સંઘર્ષમાં, પાકિસ્તાને સેંકડો ડ્રોન વડે ભારતની સંરક્ષણ પ્રણાલીઓને નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો. તેણે મધ્યમથી લાંબા અંતરની મિસાઇલો વડે ભારતની હવાઈ સંરક્ષણ પ્રણાલીમાં પ્રવેશવાનો પણ પ્રયાસ કર્યો, પરંતુ તેના બધા નાપાક પ્રયાસો નિષ્ફળ સાબિત થયા છે અને પાકિસ્તાનને ઘૂંટણિયે પડવામાં મજબુર કર્યું છે.

આ યુદ્ધ દરમિયાન ભારતે તેના તમામ અદ્યતન અને સ્વદેશી લશ્કરી સાધનોનું સફળતાપૂર્વક પરીક્ષણ પણ કર્યું. ભારતની તાકાતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આજે તેની પાસે વિશ્વના શ્રેષ્ઠ ફાઇટર પ્લેન છે. પાકિસ્તાનની હવાઈ સંરક્ષણ પ્રણાલી સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ.ભારતના અદ્યતન લડાકુ વિમાનોએ પાકિસ્તાનના ઘણા એરબેઝનો નાશ કર્યો, જેના કારણે તેને ભારે નુકસાન થયું.

7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. એરસ્ટ્રાઈક અંગેના વધારે સમાચાર માટે અમારા ટોપિકને ક્લિક કરો.

g clip-path="url(#clip0_868_265)">