AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Japan Earthquake : જાપાનમાં આવ્યો ભૂકંપ, રિકટર સ્કેલ પર નોંધાઈ 6.7 ની તીવ્રતા, સુનામીની ચેતવણી

શુક્રવારે જાપાનમાં ફરી એક શક્તિશાળી ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ભૂકંપની તીવ્રતા રિકટર સ્કેલ પર 6.7 માપવામાં આવી હતી. અહેવાલો અનુસાર, આઓમોરીના હાચિનોહેમાં ભૂકંપ આંચકા અનુભવાયા.

Japan Earthquake : જાપાનમાં આવ્યો ભૂકંપ, રિકટર સ્કેલ પર નોંધાઈ 6.7 ની તીવ્રતા, સુનામીની ચેતવણી
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 12, 2025 | 11:01 AM
Share

જાપાનમાં આજે શુક્રવારે ફરીથી એક શક્તિશાળી ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. અહેવાલો અનુસાર, જાપાનના આઓમોરીના હાચિનોહેમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા. ભૂકંપની તીવ્રતા રિકટર સ્કેલ પર 6.7ની નોંધાઈ હતી. ઊંડાઈ 10.7 કિલોમીટર હતી. ભૂકંપથી લોકોમાં ગભરાટ ફેલાયો છે. ભૂકંપ પછી તરત જ સુનામીની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે.

જાપાન હવામાન એજન્સીએ માહિતી આપી છે કે, આજે 12 ડિસેમ્બરની સવારે આઓમોરી પ્રીફેક્ચરના પૂર્વ કિનારા પાસે આવેલા ભૂકંપને કારણે સંભવિત સુનામી અંગે આજે પ્રેસ કોન્ફરન્સના આયોજન થકી વિસ્તૃત માહિતી આપવામાં આવી શકે છે.

સુનામી ચેતવણી

ભૂકંપને પગલે, સમગ્ર જાપાનમાં સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. હોક્કાઇડો અને આઓમોરીના પેસિફિક દરિયાકાંઠાના વિસ્તારો તેમજ ઇવાતે અને મિયાગી પ્રીફેક્ચર્સ માટે સુનામી ચેતવણી જાહેર કરવામાં આવી છે. જાપાનમાં આ અગાઉ 7.5 ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો, જેના કારણે સુનામીની ચેતવણી પણ આપવામાં આવી હતી.

કેટલું નુકસાન થયું છે?

5 થી વધુની તીવ્રતાના ભૂકંપને મજબૂત માનવામાં આવે છે અને ઘણીવાર નુકસાન પહોંચાડે છે. જોકે, ભૂકંપથી થયેલા નુકસાનનું હજુ પણ મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. કોઈ જાનહાનિ કે મિલકતની પુષ્ટિ થઈ નથી. દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા રહેવાસીઓને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરવામાં આવી છે.

અગાઉના ભૂકંપ

જાપાનમાં ગયા અઠવાડિયે 7.5 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેના કારણે સમગ્ર દેશમાં વિનાશ થયો હતો. ત્રીસ લોકો ઘાયલ થયા હતા, અને આશરે 90,000 રહેવાસીઓને તેમના ઘર ખાલી કરવાની ફરજ પડી હતી.

8 ડિસેમ્બરને સોમવારના રોજ જાપાનમાં ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપને લઈને જાપાન હવામાન એજન્સીએ જણાવ્યું હતું કે દેશના ઉત્તરપૂર્વીય કિનારા પર 3 મીટર (10 ફૂટ) ઊંચા સુનામી આવી શકે છે. હોક્કાઇડો, આઓમોરી અને ઇવાતે પ્રીફેક્ચર માટે ચેતવણી જાહેર કરવામાં આવી હતી. જોકે, તે જ વિસ્તારમાં ફરીથી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પરંતુ 8 ડિસેમ્બરે સુનામી આવી નહોતી.

ભૂકંપનું કેન્દ્ર આઓમોરી પ્રીફેક્ચરના દરિયાકાંઠે 80 કિમી (50 માઇલ) દૂર અને 54 કિમીની ઊંડાઈએ હતું. ભૂકંપને કારણે, પૂર્વ જાપાન રેલવે એ આ વિસ્તારમાં કેટલીક ટ્રેન સેવાઓ અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધી હતી.

જાપાનમાં ગત સપ્તાહે આવેલ ભૂકંપના આંચકાના સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો : Earthquake Breaking News : જાપાનમાં 7.6 ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી

Follow Us
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
g clip-path="url(#clip0_868_265)">