AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Earthquake Breaking News : જાપાનમાં 7.6 ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી

જાપાનના ઉત્તરપૂર્વીય કિનારે 7.6 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. સુનામી ચેતવણી જાહેર કરવામાં આવી છે. જાપાન હવામાન એજન્સીએ જણાવ્યું છે કે, જાપાનના ઉત્તરપૂર્વીય કિનારે ત્રણ મીટર (10 ફૂટ) ઊંચા મોજા ઉછળી શકે છે સાથોસાથ સુનામી પણ આવી શકે છે.

Earthquake Breaking News : જાપાનમાં 7.6 ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2025 | 9:22 PM
Share

જાપાનના ઉત્તરપૂર્વીય કિનારે 7.6 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપનો આંચકો આવ્યો છે. ભૂકંપનું કેન્દ્ર આઓમોરી પ્રીફેક્ચરના દરિયાકાંઠેથી 80 કિમી દૂર, 50 કિમીની ઊંડાઈએ નોંધાયું હતું. ભૂકંપ બાદ સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. જાપાન હવામાન એજન્સીએ જણાવ્યું છે કે ભૂકંપ આઓમોરી અને હોક્કાઇડોના દરિયાકાંઠે આવ્યો હતો, અને ત્રણ મીટર (10 ફૂટ) ઊંચા મોજા ઉત્તરપૂર્વીય કિનારે આવી શકે છે. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.

પેસિફિક સુનામી ચેતવણી કેન્દ્ર (PTWC) એ ચેતવણી જાહેર કરી છે કે ભૂકંપથી ઉત્પન્ન થયેલા ખતરનાક સુનામી મોજા જાપાન અને રશિયાના દરિયાકાંઠે અસર કરી શકે છે. આ ઉપરાંત, ભૂકંપના કેન્દ્રથી 1,000 કિમી ત્રિજ્યામાં કોઈપણ વિસ્તારમાં વિનાશક મોજાઓનો ભય તોળાઈ રહેલો છે.

જાપાનમાં કેમ આવે છે ભૂકંપ ?

જાપાન વિશ્વના સૌથી વધુ ભૂકંપગ્રસ્ત દેશોમાંનો એક છે. તે પેસિફિક મહાસાગરના રિંગ ઓફ ફાયર પર આવેલ છે. આ એક એવો પ્રદેશ છે, જ્યાં પૃથ્વીની ટેક્ટોનિક પ્લેટો એકબીજા સાથે અથડાય છે, જેના કારણે વારંવાર ભૂકંપ આવે છે.

આ જ પ્રદેશમાં માર્ચ 2011 માં વિનાશક ભૂકંપ આવ્યા બાદ, ભયાનક સુનામીનો અનુભવ થયો હતો, જેમાં હજારો લોકો માર્યા ગયા હતા. આજે આવેલા ભૂકંપમાં કોઈ મોટું નુકસાન થયું હોવાના હજૂ સુધી અહેવાલ નથી, પરંતુ અધિકારીઓ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને લોકોને સતર્ક રહેવા વિનંતી કરી રહ્યા છે.

ભૂકંપને લગતા તમામ મહત્વના સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો. 

સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
આજે આ રાશિના લોકોની કિસ્મત ખુલશે, જીવનસાથી તરફથી મળશે ખાસ સરપ્રાઇઝ
આજે આ રાશિના લોકોની કિસ્મત ખુલશે, જીવનસાથી તરફથી મળશે ખાસ સરપ્રાઇઝ
g clip-path="url(#clip0_868_265)">