શું મુસ્લિમ દેશોના નવા લીડર તરીકે ઉભરી રહ્યુ છે ઈરાન? અમેરિકા સાથેના 40 દિવસના યુદ્ધે તોડી નાખી અનેક માન્યતા
ઈરાન યુધ્ધમાં સીઝફાયર બાદ તમામ પક્ષો જીતનો દાવો કરી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે થયેલા સીઝફાયરને સંપૂર્ણ જીત ગણાવી છે તો ઈરાને તેને અમેરિકાની હાર ગણાવી છે. આ યુદ્ધને જોતા ખબર પડે છે કે આની અસર બહુ મોટી જોવા મળવાની છે. જો કે આ 40 દિવસના સમગ્ર ઘટનાક્રમને જોતા મિડલ ઈસ્ટમાં હવે ઈરાન મુસ્લિમો દેશોના નવા લીડર તરીકે ઉભરી આવ્યુ છે તેવુ નિષ્ણાંતો જણાવી રહ્યા છે.

અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે બે સપ્તાહના યુદ્ધવિરામની ઘોષણા બાદ 40 દિવસથી ચાલી રહેલા ઈરાન-ઈઝરાયેલ- અમેરિકા વચ્ચેના ભીષણ યુદ્ધ હાલ પુરતુ રોકાઈ ગયુ છે. હંમેશઆની જેમ આ પ્રકારનું યુદ્ધમાં સૌથી મોટુ નુકસાન આમ નાગરિકોને સહન કરવુ પડે છે. હજારો લોકોના મોત થયા છે અને ઘાયલ થયા છે. ઈરાન અને ઈઝરાયેલના સમગ્ર વિસ્તારમાં ઘર અને ઈમારતોને તબાહ થઈ ગયા છે. સીઝફાયરને હંમેશઆ રાહતના ફળ સ્વરૂપે રજૂ કરવામાં આવે છે. પરંતુ ક્યારેક તે કંઈક વધુ મહત્વપૂર્ણ વાતોને સામે લાવે છે. જે એ છે કે વાસ્તવમાં યુદ્ધથી ફાયદો કોને થયો.
ઉપર ઉપરથી તો તમામ પક્ષો જીતનો દાવો કરે છે. ડોનાલ્ડ ટ્રમ્પે તેને સંપૂર્ણ જીત કહી છે અને સમાધાનને તેના પુરાવા તરીકે રજૂ કર્યુ છે કે અમેરિકાનો આશય પુરો થઈ ગયો છે. તો ઈરાનના નેતૃત્વએ યુદ્ધવિરામને રણનીતિક સફળતાના રૂપે રજૂ કર્યુ છે. પરંતુ આ વિરોધાભાસી દાવાઓની પાછળ પણ એક સત્ય છુપાયેલુ છે.
મધ્યપૂર્વથી આગળ ઈરાન યુદ્ધની અસર
જો કે યુદ્ધમાં સંપૂર્ણ રીતે કોઈ નથી જીતતુ, પરંતુ ઈરાન યુદ્ધને જોતા લાગે છે કે સત્તાનું સંતુલન મધ્ય-પૂર્વથી આગળ નીકળીને હવે બદલાઈ રહ્યુ છે. સીઝફાયરનું વિષય વસ્તુ અને બનાવટને જોઈને લાગે છે કે ઈરાન વધુ મજબુત બનીને દુનિયા સમક્ષ ઉભર્યુ છે.
યુદ્ધ દરમિયાન સુપ્રીમ લીડર સહિત ઈરાનના અનેક ટોચના નેતાઓની હત્યા કરી દેવામાં આવી. પરંતુ તેની કોઈ જ અસર ન થતી હોય તેમ ઈરાને બહુ ત્વરીત ગતિએ નવા લોકોની નિયુક્તિ કરી અને પોતાનું માળખુ યથાવત રાખ્યુ જે તેની સંસ્થાગત મજબુતી તરફ ઈશારો કરે છે. યુદ્ધવિરામ સમજુતિની સૌથી ખાસ વાત એ છે કે આ કોઈ નિર્ણાયક સૈન્ય હાર બાદ નથી કરવામાં આવ્યો. તેના પર વાટોઘાટો થઈ અને તેને તહેરાનની શર્તોના અનુસાર બનાવવામાં આવ્યુ હતુ. ઈરાન પર કોઈ પૂર્વ પેકેજ કરાર લાદવામાં આવ્યો ન હતો. તેના બદલે તહેરાનની 10 પોઈન્ટની યોજના કરાર માટે પ્રારંભીક માળખા તરીકે સેવા કામ કર્યુ.
પોતાના સર્વોચ્ચ નેતા ખામેની (સુપ્રીમ લીડર) સહિતના ટોચના નેતાઓની હત્યા કરી દેવામાં આવી હોવા છતાં, ઈરાને અત્યંત ઝડપથી નવા નેતાઓની નિમણૂક કરી અને પોતાના માળખાને અકબંધ રાખ્યું .આ બાબત તેની આંતરિક શક્તિ અને મક્કમતા દર્શાવે છે. વધુમાં, આ યુદ્ધવિરામ કોઈ સૈન્ય હાર બાદ ઈરાન પર થોપવામાં આવ્યો નથી, પરંતુ તે તેહરાનની શરતો મુજબની વાટાઘાટોનું પરિણામ છે. આ સમજૂતીમાં ઈરાનની 10-સૂત્રીય યોજનાને પ્રાથમિક માળખા તરીકે સ્વીકારવામાં આવી હતી, જેમાં પ્રતિબંધોમાં રાહત અને પુનઃનિર્માણમાં મદદ જેવી મહત્વની બાબતો સામેલ છે.
ઈરાને સાબિત કર્યો તેનો દબદબો
તહેરાનનો પ્રસ્તાવ માત્ર યુદ્ધ રોકવા પુરતો સીમિત ન હતો. તેમાં પ્રતિબંધોમાં રાહત, પુનર્નિર્માણમાં મદદ અને હોર્મુઝ જળડમરૂ મધ્ય પર દબદબો બનાવી રાખવાની વાત સામેલ હતી. હોર્મુઝ જળડમરૂ મધ્યને આખરે ઈરાનની સેનાની દેખરેખમાં ફરીથી ખોલવામાં આવ્યો. જે સ્પષ્ટ દર્શાવે છે કે આ વિસ્તારમાં કોનુ પલડુ ભારે છે.
આ યુદ્ધમાં ઈરાને જે પ્રકારે અમેરિકા અને ઈઝરાયેલના હુમલાઓનો મુકાબલો કરતા જવાબી હુમલા જારી રાખ્યા, ત્યારબાદ હવે દુનિયાના દેશોએ તહેરાનને મધ્યપૂર્વની મુખ્ય શક્તિ સ્વરૂપે સ્વીકારવુ પડશે. પરંતુ તેનાથી પણ આગળ ઈરાન મુસ્લિમ જગતની એક મુખ્ય શક્તિના સ્વરૂપે ખુદને સાબિત કર્યુ છે. રક્ષા વિશ્લેષક કમર આગાનું કહેવુ છે કે ઈરાન યુદ્ધને ગાઝાથી અલગ ન કરી શકાય.
મિડલ ઈસ્ટ નહીં મુસ્લિમ દુનિયાના નેતા
સંરક્ષણ નિષ્ણાત કમર આગાના મતે ગાઝા પેલેસ્ટાઈનનું અંગ છે અને પેલેસ્ટાઈન મુસ્લિમો માટે ઘણુ મહત્વનું છે કારણે અહીં અલ- અક્સા મસ્જિદ આવેલી છે. તેમણે કહ્યુ કે અરબ દેશોએ પેલેસ્ટાઈનના મુદ્દાને લગભગ છોડી દીધુ હતુ. એકમાત્ર ઈરાન આ મુદ્દાને પકડીને મજબુતીથી પેલેસ્ટાઈનને પડખે ઉભુ રહ્યુ. ગાઝા યુ્દ્ધમાં જે પ્રકારે ઈરાનની પ્રતિરોધ ધુરીએ ગાઝામાં હમાસનું સમર્થન કર્યુ. તે અસલમાં પેલેસ્ટાીનની અલ અક્સા મસ્જિદનું સમર્થન હતુ.
ઈસ્લામિક દુનિયામાં નેતૃત્વનું ખાલી સ્થાન ઈરાને ભર્યુ
કમર આગાએ જણાવ્યુ ક મોહમ્મદ બિન સલમાનના નેતૃત્વમાં સુધારાવાદી આંદોલન બાદ સાઉદી અરબની છબી ઈસ્લામિક જગતમાં કમજોર પડી છે. તુર્કીની છબી પણ એવી જ છે. તેમણે એ વાત પર ભાર મુક્યો કે ઈસ્લામિક જગતમાં આ વાત પર ઘણી ગડમથલ હતી કે ઈઝરાયેલ સામે કોણ લડી શકે છે. ઈરાને એકસાથે અમેરિકા અને ઈઝરાયેલ સામે લડી ખુદને સાબિત કર્યુ છે. આ જંગ મિડલ ઈસ્ટમાં મોટા બદલાવ લઈને આવી છે.
ઈરાનને આર્થિક ફાયદો
આ બદલાવનું સૌથી મહત્વનું પાસુ આર્થિક છે. યુદ્ધે વૈશ્વિક બજારોને અસ્થિર કર્ય કરી દીધુ છે. પરંતુ સીઝફાયર એક નવી સ્થિતિ પેદા કરે છે. જે પ્રતિબંધોમાં થોડી ઢીલ અપાય છે તો ઈરાનને આ સમયે વૈશ્વિક બજારમાં એક પહોંચ મળી જશે જ્યારે ઊર્જા સતત માગ છે ત્યારે આ સ્થિતિમાં મોટ આર્થિક રિકવરી માટે જમીન તૈયાર કરે છે.
દાયકાઓથી મધ્યપૂર્વમાં અમેરિકાનો દબદબો તેની સૈન્ય તાકાત અને આર્થિક દબાલ પર ટકેલો છે. આ બંને ચીજો કમજોર પડી રહી છે. સૈન્યની દૃષ્ટિએ અમેરિકા અને ઈઝરાયલે ભારે તાકાત બતાવી, પરંતુ તેમ છતા તેમને નિર્ણાયક પરિણામ ન મળ્યુ. ઈરાને તેની ક્ષમતાઓને સાચવી રાખતા એક્તાનો પરિચય સમગ્ર વિશ્વને કરાવ્યો. આ સ્થિતિમાં યુદ્ધનું પરિણામ એક વિરોધાભાસ સ્વરૂપે સામે આવે છે. જેનો મકસદ ઈરાનને કમજોર કરવાનો હતો. કદાચ તેમણે તેની તાકાતને ઔર વધારી દીધી છે.
આ સીઝફાયર ટકશે કે તૂટી જશે?
જો કે આ હજુ સીઝફાયરની શરૂઆત છે. એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે યુદ્ધ વિરામ તૂટી શકે છે. વાતચીત નિષ્ફળ રહી શકે છે. જે બાદ સંઘર્ષ ભડકી શકે છે પરંતુ એક સવાલ એ ઉઠી રહ્યો છે કે શું અમેરિકા આ સીઝફાયરનો ઉપયોગ મોટા હુમલાની તૈયારી માટે કરી શકે છે. લેફ્ટનન્ટ જનરલ (નિવૃત) સંજય કુલકર્ણીનું કહેવુ છે કે ઈરાન ખુદ તેને તોડી શકે છે.
