AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan News : ઈમરાનની વધી મુશ્કેલી, હવે તેને 10 ઓક્ટોબર સુધી રહેવું પડશે જેલમાં, શાહ મહમૂદ કુરેશીની કસ્ટડી પણ લંબાઈ

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને કોઈ રાહત મળી નથી. તેની જ્યુડિશિયલ કસ્ટડી મંગળવારે સમાપ્ત થવાની હતી, પરંતુ તેને ફરીથી લંબાવવામાં આવી છે. હવે ઈમરાન ખાન 10 ઓક્ટોબર સુધી જેલમાં રહેશે. તેની ન્યાયિક કસ્ટડી ત્રીજી વખત લંબાવવામાં આવી છે. ગોપનીય દસ્તાવેજ લીક કેસમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

Pakistan News : ઈમરાનની વધી મુશ્કેલી, હવે તેને 10 ઓક્ટોબર સુધી રહેવું પડશે જેલમાં, શાહ મહમૂદ કુરેશીની કસ્ટડી પણ લંબાઈ
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2023 | 9:35 AM
Share

Pakistan News: પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન અને ભૂતપૂર્વ વિદેશ પ્રધાન શાહ મહેમૂદ કુરેશી ગોપનીય રાજદ્વારી દસ્તાવેજો કથિત રીતે લીક કરવાના કેસમાં 10 ઓક્ટોબર સુધી જેલમાં રહેશે. મંગળવારે એક વિશેષ અદાલતે આ કેસમાં તેની ન્યાયિક કસ્ટડી ત્રીજી વખત લંબાવી હતી.

આ પણ વાંચો: Pakistan News : પાકિસ્તાનમાં છુપાયેલા બબ્બર ખાલસાના આતંકવાદી વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ

પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) પાર્ટીના વડા ઈમરાન ખાનની ગયા મહિને ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. ગયા વર્ષે માર્ચમાં વોશિંગ્ટનમાં પાકિસ્તાની દૂતાવાસ દ્વારા યુએસમાં મોકલવામાં આવેલ રાજદ્વારી દસ્તાવેજ ગાયબ થવાના સંબંધમાં ખાન અને કુરેશી બંને પર દેશના ગોપનીયતા કાયદાના ઉલ્લંઘનનો આરોપ મૂકવામાં આવ્યો છે.

ન્યાયાધીશ અબુલ હસનત ઝુલકરનૈને ઉચ્ચ સુરક્ષાવાળી એટોક જેલમાં સુનાવણી હાથ ધરી હતી. ખાન 5 ઓગસ્ટના રોજ તોશાખાના ભ્રષ્ટાચાર કેસમાં દોષિત જાહેર થયા બાદથી એટોક જેલમાં બંધ છે. ઈસ્લામાબાદ હાઈકોર્ટે 29 ઓગસ્ટે આ કેસમાં તેની સજાને સ્થગિત કરી દીધી હતી, પરંતુ તે રાજદ્વારી દસ્તાવેજોના કેસમાં જેલમાં છે. સુનાવણી બાદ કોર્ટે તપાસ પૂર્ણ કરવા માટે તેની ન્યાયિક કસ્ટડી 10 ઓક્ટોબર સુધી લંબાવી હતી.

ત્રીજી વખત કસ્ટડી લંબાવી

આ ત્રીજી વખત છે જ્યારે ઈમરાન ખાનની ન્યાયિક કસ્ટડી લંબાવવામાં આવી છે. તેની ન્યાયિક કસ્ટડી 13 સપ્ટેમ્બરે 26 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી હતી. તેની છેલ્લી 14 દિવસની કસ્ટડીનો સમયગાળો મંગળવારે પૂરો થયો. કુરેશીને ઈસ્લામાબાદના ફેડરલ જ્યુડિશિયલ કોમ્પ્લેક્સમાં સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. બે વખતના પૂર્વ વિદેશ મંત્રીને જ્યારે કોર્ટમાં લાવવામાં આવ્યા ત્યારે તેમના હાથે હાથકડી પહેરાવવામાં આવી હતી. કોર્ટના અધિકારીઓએ જણાવ્યું કે આ કેસમાં તેની ન્યાયિક કસ્ટડી પણ 10 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી છે.

સુરક્ષાના કારણે જેલમાં સુનાવણી

પૂર્વ વિદેશ મંત્રી કુરેશી (67)ની ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર વિદેશ મંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન અમેરિકામાં પાકિસ્તાની દૂતાવાસ દ્વારા વિદેશ કાર્યાલયને મોકલવામાં આવેલા દસ્તાવેજોની ગુપ્તતા જાળવવામાં ન આવી હોવાનો આરોપ છે. કાયદા મંત્રાલયના જણાવ્યા અનુસાર સુરક્ષાના કારણોસર સ્પેશિયલ કોર્ટમાં સુનાવણી એટોક જેલમાં થઈ રહી છે. સુનાવણી પહેલા જેલની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી હતી. કોર્ટની બહાર મીડિયા સાથે વાત કરતા કુરેશીએ કહ્યું કે પીટીઆઈ નેતૃત્વને તેમણે કરેલા ગુનાઓની સજા આપવામાં આવી રહી છે.

“(અમારો) અંતરાત્મા સંતુષ્ટ છે, અમારા ઇરાદા સ્પષ્ટ છે… (અમે) નિર્દોષ છીએ… અલ્લાહ હૃદય બદલી શકે છે અને નિર્ણયો ઉલટાવી શકે છે,” તેમણે કહ્યું. જો તેમની પાર્ટીને ચૂંટણી લડવાની મંજૂરી આપવામાં નહીં આવે તો શું થશે તે અંગે પૂછવામાં આવતા પીટીઆઈના ઉપાધ્યક્ષે કહ્યું કે ચૂંટણીઓ પછી “અર્થહીન” બની જશે. તેમણે કહ્યું કે જો પીટીઆઈ ચૂંટણી નહીં લડે તો ચૂંટણીનું કોઈ મહત્વ રહેશે નહીં. તેમણે કહ્યું કે જો પારદર્શી ચૂંટણી નહીં થાય તો દેશને ક્યારેય ન ભરાય તેવું નુકસાન થશે. ઈસ્લામાબાદ હાઈકોર્ટે સોમવારે સત્તાવાળાઓને ઈમરાન ખાનને રાવલપિંડીની અદિયાલા જેલમાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">