ઈમરાનખાને જેલમાં બેઠા બેઠા શાહબાઝ શરીફની સરકારને હચમચાવી નાખી

પાકિસ્તાનની શાહબાઝ સરકારને મોટો ઝટકો લાગ્યો છે. પાકિસ્તાનના ચૂંટણી પંચે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટીના 39 વિજેતા સાંસદોને તેમની પાર્ટીના વિજેતા ઉમેદવારો તરીકે સ્વીકાર્યા છે.

ઈમરાનખાને જેલમાં બેઠા બેઠા શાહબાઝ શરીફની સરકારને હચમચાવી નાખી
Shahbaz Sharif, Imran Khan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2024 | 2:10 PM

પાકિસ્તાનના ચૂંટણી પંચે પાકિસ્તાનની શાહબાઝ સરકારને મોટો ઝટકો આપ્યો છે. પાકિસ્તાનના ચૂંટણી પંચે જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટીના 39 વિજેતા સાંસદોને પીટીઆઈના ટુંકા નામે ઓળખાતા પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના વિજેતા ઉમેદવારો તરીકે સ્વીકાર્યા છે. 12 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક નિર્ણય બાદ ચૂંટણી પંચે આ પગલું ભર્યું છે.

પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે, પીટીઆઈ એક કાયદેસર રાજકીય પક્ષ છે અને સ્વતંત્ર રીતે લડીને જીતેલા સાંસદો તેમાં જોડાઈ શકે છે. 39 સાંસદોને પાર્ટીના સાંસદ ગણવામાં આવ્યા બાદ પાક ગૃહમાં પીટીઆઈની તાકાત વધશે. ચૂંટણી પહેલા ચૂંટણી પંચે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફને વિખેરી નાખી હતી અને તેનું ચૂંટણી ચિન્હ ક્રિકેટ બેટ પણ છીનવી લીધું હતું. જેના કારણે પીટીઆઈ પક્ષના ઉમેદવારોએ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવી પડી હતી. હવે બાકીના 41 અપક્ષ સાંસદોએ 15 દિવસમાં કમિશનને નોટરી કરવી પડશે કે તેઓ પીટીઆઈ માટે ચૂંટણી લડ્યા હતા કે અપક્ષ માટે ચૂંટણી લડ્યા છે.

પીટીઆઈ સમર્થિત ઉમેદવારોએ જીતનો ઝંડો ફરકાવ્યો

8 ફેબ્રુઆરીના રોજ યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં, ઇમરાન ખાન દ્વારા સમર્થિત અપક્ષ ઉમેદવારોએ સૌથી વધુ બેઠકો જીતી હતી. PTI સમર્થિત ઉમેદવારોએ ગૃહમાં મહિલાઓ અને લઘુમતીઓ માટે અનામત બેઠકો મેળવવા માટે સુન્ની ઇત્તેહાદ કાઉન્સિલ (SIC) માં જોડાવાનું નક્કી કર્યું, પરંતુ ચૂંટણી પંચે SICને અનામત બેઠકો આપવાનો ઇનકાર કર્યો, કારણ કે તેની પાસે પોતાની કોઈ બેઠકો ન હતી.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

પાકિસ્તાનના સંસદ ગૃહમાં સરકાર બનાવવા માટે 169 બેઠકો જરૂરી છે. ગૃહમાં કુલ 266 બેઠકો છે અને 70 મહિલાઓ અને લઘુમતીઓ માટે અનામત બેઠકો છે. આ અનામત બેઠકો મેળવવા માટે એક કાયદેસર રાજકીય પક્ષ હોવો જરૂરી છે.

કોની પાસે કેટલી સીટો ?

પાકિસ્તાનની ચૂંટણીઓમાં, પીટીઆઈ તરફી અપક્ષ ઉમેદવારોએ સૌથી વધુ 93 બેઠકો જીતી હતી, ત્યારબાદ નવાઝ શરીફની પાર્ટી પીએમએલ-એન જેણે 75 બેઠકો જીતી હતી અને ભુટ્ટોની પીપીપીએ 54 બેઠકો જીતી હતી. જે બાદ પીએમએલ-એન, પીપીપી અને કેટલીક નાની પાર્ટીઓએ સાથે ભેગા મળીને સરકાર બનાવી હતી.

પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ હવે ચૂંટણી પંચ દ્વારા 39 સાંસદોને માન્યતા આપવાના કારણે ગૃહના સભ્યોનું ગણિત ખોરવાઈ જવા પામ્યું છે. હાલમાં જ પીટીઆઈ પાર્ટીના પ્રમુખ અયુબ ખાને કહ્યું હતું કે, ઈમરાન ખાને પાકિસ્તાનના લોકોને દેશમાં નવી ચૂંટણી માટેની તૈયારી કરવા કહ્યું છે.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">