AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગપગોળો કે હકીકત ! યુદ્ધ વચ્ચે ટ્રમ્પે કહ્યું- ઈરાન વાત કરવા માંગે છે, મે કહ્યું હવે બહુ મોડું થયું

અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે લશ્કરી તણાવ ચરમસીમાએ છે. યુએસ પ્રમુખ ટ્રમ્પે કહ્યું કે ઈરાન હવે વાટાઘાટો કરવા માંગે છે, પરંતુ બહુ મોડું થઈ ગયું છે. તેમણે કહ્યું કે, ઈરાનનું હવાઈ સંરક્ષણ, હવાઈ દળ, નૌકાદળ અને નેતૃત્વ બધું જ નાશ પામ્યું છે.

ગપગોળો કે હકીકત ! યુદ્ધ વચ્ચે ટ્રમ્પે કહ્યું- ઈરાન વાત કરવા માંગે છે, મે કહ્યું હવે બહુ મોડું થયું
અમેરિકન સ્વતંત્રતાની ઘોષણા 4 જુલાઈ, 1776 ના રોજ થઈ હતી, જ્યારે તેર વસાહતોએ ઔપચારિક રીતે ગ્રેટ બ્રિટનથી અલગ થવાની જાહેરાત કરી હતી. આ ઐતિહાસિક સીમાચિહ્ન - તેની 250મી વર્ષગાંઠ - ની ઉજવણી માટે યુએસ ટંકશાળ હાલમાં આ સ્મારક સિક્કો બહાર પાડવાની તૈયારી કરી રહી છે. (ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 03, 2026 | 8:41 PM
Share

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું એક નિવેદન સામે આવ્યું છે. અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવ વચ્ચે આવ્યું છે. તેમણે આજે મંગળવારે ને 3 માર્ચે કહ્યું હતું કે, ઈરાન હવે વાટાઘાટો કરવા માંગે છે, પરંતુ તેમના મતે, બહુ મોડું થઈ ગયું છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે અમેરિકા અને ઈઝરાયલની ઈરાન સામે સંયુક્ત કાર્યવાહીને કારણે મધ્ય પૂર્વમાં પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, ઈરાની નેતૃત્વ તેહરાન પર અમેરિકા અને ઈઝરાયલી સંયુક્ત હુમલા વચ્ચે વાટાઘાટો કરવા માંગે છે, પરંતુ રિપબ્લિકન નેતાએ કહ્યું, “બહુ મોડું થઈ ગયું છે.” ટ્રમ્પે વધુમાં કહ્યું કે ઈરાનનું હવાઈ સંરક્ષણ, હવાઈ દળ, નૌકાદળ અને નેતૃત્વ બધું જ નાશ પામ્યું છે. આ નિવેદન ટ્રમ્પની અગાઉની ટિપ્પણીઓને અનુસરે છે, જેમાં તેમણે જણાવ્યું હતું કે, અમેરિકા પાસે ઈરાન સામે લશ્કરી કાર્યવાહીને અંદાજિત ચાર થી પાંચ અઠવાડિયાના સમયમર્યાદાથી ઘણી આગળ વધારવાની ક્ષમતા છે.

અમેરિકા-ઈઝરાયલી હુમલામાં ખામેનેઈનું મોત

અમેરિકા અને ઈઝરાયલે 28 ફેબ્રુઆરીએ ઈરાન સામે લશ્કરી કાર્યવાહી શરૂ કરી હતી. આ હુમલામાં સેંકડો લોકો માર્યા ગયા છે. ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનેઈ સહિત તેહરાનમાં ઘણા વરિષ્ઠ રાજકીય અને લશ્કરી અધિકારીઓ પણ આ હુમલામાં માર્યા ગયા હતા. દરમિયાન, ઈરાન સતત બદલો લઈ રહ્યું છે. ઈરાની મિસાઈલ અને ડ્રોન હુમલાઓનો વ્યાપ વધ્યો છે. ઈરાને ઈઝરાયેલ ઉપરાંત આજુબાજુના મુસ્લિમ દેશ ઉપર પણ હુમલાઓ કર્યાં છે. જો કે, ઈરાને જાહેર કર્યું હતું તે આ હુમલા જે તે દેશ સામે નહીં પરંતુ તે દેશમાં આવેલ અમેરિકાના સૈન્ય બેઝ કેમ્પ ઉપર કરવામાં આવ્યા છે.

ઈરાનનો વળતો હુમલો

ઈરાને આ ક્ષેત્રમાં અમેરિકા સાથે જોડાયેલા સ્થળોને નિશાન બનાવ્યા છે. ઈરાની ડ્રોન દ્વારા સાઉદી અરેબિયા અને કુવૈતમાં પણ અમેરિકી દૂતાવાસો પર હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે નોંધપાત્ર નુકસાન થયું હતું અને આગ લાગી હતી. આ પછી, અમેરિકાએ તેના ઘણા દૂતાવાસો અસ્થાયી રૂપે બંધ કરી દીધા હતા અને પશ્ચિમ એશિયાઈ દેશોમાંથી બિન-આવશ્યક સરકારી કર્મચારીઓ અને તેમના પરિવારોને બહાર કાઢવાનો આદેશ આપ્યો હતો.

ઈરાનમાં લગભગ 787 લોકો માર્યા ગયા

ઈરાને પડોશી આરબ દેશો પર પણ મિસાઈલ અને ડ્રોન છોડ્યા છે અને હોર્મુઝ સ્ટ્રીટમાં શિપિંગ વ્યવહારમાં વિક્ષેપ પાડ્યો છે. આ પ્રદેશ મહત્વપૂર્ણ છે કારણ કે વિશ્વના તેલ અને ગેસ વેપારનો લગભગ પાંચમો ભાગ તેમાંથી પસાર થાય છે. દરમિયાન, ઈરાનની રેડ ક્રેસન્ટ સોસાયટી અનુસાર, યુએસ-ઈઝરાયલી હુમલાઓમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 787 લોકો માર્યા ગયા છે. ઈરાની હુમલાઓમાં ઈઝરાયલમાં 11 લોકોના મોત થયા છે. આ સંઘર્ષે સમગ્ર પ્રદેશમાં ભય અને અસ્થિરતાનું વાતાવરણ સર્જ્યું છે.

Iran and US-Israel War : ભારતની એન્ટ્રી ! 48 કલાકમાં PM મોદીએ આ 8 દેશો સાથે કરી વાતચીત, જાણો યુદ્ધ પર શું બોલ્યું ભારત

Follow Us
g clip-path="url(#clip0_868_265)">