AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: બાંગ્લાદેશમાં હિંદુઓ પરના હુમલાના વિરોધમાં ઉતર્યુ બોલિવુડ, જ્હાનવી કપૂરે વ્યક્ત કર્યો રોષ

તાજેતરમાં બાંગ્લાદેશમાં દીપુ ચંદ્ર દાસને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. આ ક્રૂરતાએ દરેકને હચમચાવી નાખ્યા હતા. એવામાં હવે જાહ્નવી કપૂરથી લઈને જયા પ્રદાએ બાંગ્લાદેશ લિંચિંગ પર પ્રતિક્રિયા આપી છે.

Breaking News: બાંગ્લાદેશમાં હિંદુઓ પરના હુમલાના વિરોધમાં ઉતર્યુ બોલિવુડ, જ્હાનવી કપૂરે વ્યક્ત કર્યો રોષ
| Updated on: Dec 26, 2025 | 6:37 PM
Share

બાંગ્લાદેશમાં તાજેતરમાં થયેલી લિંચિંગની ઘટનાએ વિશ્વભરનું ધ્યાન ખેંચ્યું છે. એવામાં જાહ્નવી કપૂરે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર બાંગ્લાદેશમાં બનેલી દુ:ખદ ઘટના પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો. આ ઘટનાને લઈને અભિનેત્રીએ ઘણા સવાલો ઉઠાવ્યા છે.

જાહ્નવી કપૂરે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું કે, “બાંગ્લાદેશમાં જે થઈ રહ્યું છે તે બર્બરતાપૂર્ણ છે. તે નરસંહાર છે અને તે કોઈ અલગ ઘટના નથી. જો તમને આ અમાનવીય જાહેર લિંચિંગ (Inhumane public lynching) વિશે ખબર નથી, તો તેના વિશે વાંચો, વીડિયોઝ જુઓ, પ્રશ્નો પૂછો અને જો તમને આ બધા પછી પણ ગુસ્સો ન આવે, તો આ પાખંડ આપણને બરબાદ કરી દેશે. બીજું કે, જ્યારે આપણા પોતાના ભાઈ-બહેનોને જીવતા સળગાવી દેવામાં આવશે ત્યારે આપણે દુનિયાની બીજી બાજુ શું થઈ રહ્યું છે તેના પર રડતા રહીશું.”

જાહ્નવી કપૂરે વધુમાં ઉમેર્યું કે, “આપણે આપણી માનવતા ભૂલી જઈએ, તે પહેલાં કોઈપણ પ્રકારના ઉગ્રવાદનો પર્દાફાશ અને નિંદા કરવી જોઈએ. આપણે એવા પ્યાદા છીએ જે ઓળખે છે કે, આપણે એક રેખાની બંને બાજુએ રહીએ છીએ. આને ઓળખો અને તમારી જાતને જ્ઞાનથી સજ્જ કરો, જેથી તમે આ કોમી ગોળીબારમાં સતત ગુમાવી રહેલા અને આતંકિત થઈ રહેલા નિર્દોષ જીવ માટે અવાજ ઉઠાવી શકો.”

બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂર હાલમાં તેની ફિલ્મ હોમબાઉન્ડ માટે ચર્ચામાં છે, જે વર્ષ 2026 ના ઓસ્કાર માટે પસંદ કરવામાં આવી છે. અભિનેત્રી છેલ્લે સની સંસ્કારી કી તુલસી કુમારીમાં વરુણ ધવન સાથે જોવા મળી હતી. તે આગામી ફિલ્મ પેડ્ડીમાં રામ ચરણ સાથે જોવા મળશે.

વધુમાં અભિનેત્રી અને ભૂતપૂર્વ સાંસદ જયા પ્રદાએ એક વીડિયો જાહેર કરીને દીપુ ચંદ્ર દાસની ક્રૂર હત્યા પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે, “આજે હું ખૂબ જ દુઃખી છું, મારું દિલ દુઃખથી લાલ થઈ ગયું છે, વિચારી રહી છું કે કોઈ વ્યક્તિ પર આવી ક્રૂરતા કેવી રીતે લાદવામાં આવી શકે છે. બાંગ્લાદેશમાં એક નિર્દોષ હિન્દુ દીપુ ચરણ દાસને ટોળાએ માર મારીને મારી નાખ્યો. તેમણે તેને માત્ર મારી નાખ્યો જ નહીં પણ તેને ઝાડ સાથે બાંધીને આગ પણ લગાવી દીધી. શું આ નવું બાંગ્લાદેશ છે? આ સામાન્ય હિંસા નથી, આ મોબ લિંચિંગ છે, આ હિન્દુ ધર્મ પર હુમલો છે. આપણા મંદિરોનો નાશ થઈ રહ્યો છે, મહિલાઓ પર હુમલા થઈ રહ્યા છે. આપણે ક્યાં સુધી ચૂપ રહીશું? આપણે ધર્મનિરપેક્ષતાના નામે ચૂપ છીએ. આપણે અવાજ ઉઠાવવો જોઈએ, આપણે ત્યાંના લોકોને મદદ કરવી જોઈએ. આપણે સાથે મળીને તેમના માટે ન્યાયની માંગ કરવી જોઈએ.”

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર અને હત્યાઓ સામે બોલતા અભિનેતા મનોજ જોશી કહે છે, “જ્યારે ગાઝા કે પેલેસ્ટાઇનમાં કંઈક બને છે, ત્યારે બધા આગળ આવે છે પરંતુ જ્યારે બાંગ્લાદેશમાં કોઈ હિન્દુની હત્યા થાય છે, ત્યારે કોઈ આગળ આવતું નથી. કોઈ પોતાનો અવાજ ઉઠાવતું નથી. આ ખરેખર દુઃખદ છે પરંતુ મારું માનવું છે કે સમય જ કહેશે.”

Breaking News: બાંગ્લાદેશમાં દીપુ દાસ બાદ વધુ એક હિન્દુ યુવકની હત્યા, પાડોશી દેશમાં હાલાત બેકાબૂ

શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
g clip-path="url(#clip0_868_265)">