AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: બાંગ્લાદેશમાં દીપુ દાસ બાદ વધુ એક હિન્દુ યુવકની હત્યા, પાડોશી દેશમાં હાલાત બેકાબૂ

બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો બીજો એક કિસ્સો સામે આવ્યો છે. દીપુ ચંદ્ર દાસ પછી, એક ટોળાએ હવે અમૃત મંડલ, જેને સમ્રાટ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેની હત્યા કરી દીધી છે.

Breaking News: બાંગ્લાદેશમાં દીપુ દાસ બાદ વધુ એક હિન્દુ યુવકની હત્યા, પાડોશી દેશમાં હાલાત બેકાબૂ
bangladesh violence
| Updated on: Dec 26, 2025 | 7:46 AM
Share

બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો બીજો એક કિસ્સો સામે આવ્યો છે. દીપુ ચંદ્ર દાસ પછી, એક ટોળાએ હવે અમૃત મંડલ, જેને સમ્રાટ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેની હત્યા કરી દીધી છે. અમૃત 29 વર્ષનો હતો. આ ઘટના રાજબારી જિલ્લામાં બની હતી. પંગશા મોડેલ પોલીસ સ્ટેશને ઘટનાની પુષ્ટિ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે સ્થાનિક રહેવાસીઓએ અમૃત મંડલ પર ખંડણીનો આરોપ લગાવ્યો હતો, જે ટોળાની હિંસામાં પરિણમ્યો હતો.

દિપુ દાસ બાદ બીજા એક હિન્દુની હત્યા

અમૃત મંડલ પોલીસ રેકોર્ડમાં “સમ્રાટ વાહિની” તરીકે ઓળખાતી સ્થાનિક ગેંગના નેતા તરીકે નોંધાયેલ છે. મંગળવારે, ચિત્તાગોંગ નજીક રૌજન વિસ્તારમાં એક હિન્દુ પરિવારના ઘરને આગ ચાંપી દેવામાં આવી હતી. રૌજન વિસ્તારમાં પાંચ દિવસમાં સાત હિન્દુ પરિવારોના ઘર સળગાવી દેવામાં આવ્યા હતા. પોલીસે અત્યાર સુધીમાં પાંચ શંકાસ્પદોની ધરપકડ કરી છે.

ગયા અઠવાડિયે પણ એક હત્યા થઈ હતી.

ગયા અઠવાડિયે, મૈમનસિંહ શહેરમાં એક ટોળાએ 28 વર્ષીય હિન્દુ ફેક્ટરી કામદાર દીપુ ચંદ્ર દાસને માર માર્યો હતો, અને ઝાડ સાથે બાંધી તેને આગ લગાવી દેવામાં આવી હતી. આ ઘટનાથી દેશવ્યાપી વિરોધ થયો હતો. વચગાળાના સરકારના વડા મોહમ્મદ યુનુસે જણાવ્યું હતું કે સરકાર મૃતકની પત્ની, નાના બાળકો અને માતા-પિતાની જવાબદારી લેશે. પોલીસે આ કેસના સંદર્ભમાં અત્યાર સુધીમાં 12 લોકોની ધરપકડ કરી છે.

આ વર્ષે હિંસામાં 184 લોકોના મોત

હિંસા અને આગચંપીની આ ઘટનાઓએ બાંગ્લાદેશમાં ભયનું વાતાવરણ ઉભું કર્યું છે. 12 ડિસેમ્બરે, ઇન્કલાબ મંચના નેતા શરીફ ઉસ્માન હાદીને ઢાકામાં ગોળી મારી દેવામાં આવી હતી. તેમનું સિંગાપોરમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. તે સાંજે, એક ટોળાએ ડેઇલી સ્ટાર અને પ્રથમ આલોના કાર્યાલયોમાં આગ લગાવી દીધી હતી. લાંબા સમયથી ચાલતા સાંસ્કૃતિક સંગઠન છાયાનત અને ઉદીચી શિલ્પી ગોષ્ઠીના કાર્યાલયોને પણ આગ ચાંપી દેવામાં આવી હતી.

યુનુસના કાર્યાલયે એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે આરોપો કે અફવાઓના બહાને હિંસાને મંજૂરી આપી શકાય નહીં. દરમિયાન, માનવાધિકાર સંગઠન આઈન ઓ સલીશ કેન્દ્રે જણાવ્યું હતું કે 2025 માં અત્યાર સુધીમાં, બાંગ્લાદેશમાં હિંસામાં 184 લોકો મૃત્યુ પામ્યા છે.

Breaking News: યાત્રીગણ કૃપયા ધ્યાન દે ! આજથી ટ્રેનની મુસાફરી થઈ મોંઘી, જાણો તમારા ખિસ્સા પર કેટલી અસર પડશે?, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
07 ઓગસ્ટ 2026: તમામ 12 રાશિઓનું આજનું રાશિફળ
07 ઓગસ્ટ 2026: તમામ 12 રાશિઓનું આજનું રાશિફળ
વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો, કિશાન સંઘનો ગ્રાઉન્ડ સર્વે
વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો, કિશાન સંઘનો ગ્રાઉન્ડ સર્વે
ભાવનગર જિલ્લામાં 80% વિસ્તારમાં કપાસ અને મગફળીનું વિક્રમ જનક વાવેતર
ભાવનગર જિલ્લામાં 80% વિસ્તારમાં કપાસ અને મગફળીનું વિક્રમ જનક વાવેતર
વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો
વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો
₹120 કરોડના ટાઈડલ ડેમે વધારી ખેડૂતોની ચિંતા! 40 ફૂટ સુધી જમીન ધોવાઈ
₹120 કરોડના ટાઈડલ ડેમે વધારી ખેડૂતોની ચિંતા! 40 ફૂટ સુધી જમીન ધોવાઈ
રાજકોટમાં એનાલૉગ પનીર પર પ્રતિબંધ છતાં ઉત્પાદન ચાલુ
રાજકોટમાં એનાલૉગ પનીર પર પ્રતિબંધ છતાં ઉત્પાદન ચાલુ
સ્પેસએક્સનું અનિયંત્રિત રોકેટ ચંદ્ર સાથે અથડાયું, શુ પૃથ્વીને થશે ખતરો
સ્પેસએક્સનું અનિયંત્રિત રોકેટ ચંદ્ર સાથે અથડાયું, શુ પૃથ્વીને થશે ખતરો
બિનજરૂરી ખર્ચ વધી શકે છે, પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે
બિનજરૂરી ખર્ચ વધી શકે છે, પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે
ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ
ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ
અમદાવાદની શાળાઓમાં રવિવારે સ્વૈચ્છિક વર્ગોને મંજૂરી
અમદાવાદની શાળાઓમાં રવિવારે સ્વૈચ્છિક વર્ગોને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">