Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cambodia King Visit India: 60 વર્ષ બાદ ભારત આવશે કંબોડિયાના રાજા, કરાશે ભવ્ય સ્વાગત

Cambodia King Visit India: બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોના 70 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે સિહામોનીની આ મુલાકાત ખૂબ જ ખાસ છે. આ દરમિયાન બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય અને બહુપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા થશે.

Cambodia King Visit India: 60 વર્ષ બાદ ભારત આવશે કંબોડિયાના રાજા, કરાશે ભવ્ય સ્વાગત
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 27, 2023 | 6:17 PM

Cambodia King Visit India: લગભગ 60 વર્ષ પછી કંબોડિયાના રાજા નોરોદોમ સિહામોની ત્રણ દિવસીય પ્રવાસ (મે 29-31) પર ભારત આવી રહ્યા છે. તેના પિતા છ દાયકા પહેલા ભારત આવ્યા હતા. ભારત રેડ કાર્પેટ પાથરીને સિહામોનીનું સ્વાગત કરવા માટે તૈયાર છે. કંબોડિયાના રાજા સિહામોની 29 મેના રોજ દિલ્હી આવશે. ભારત અને કંબોડિયા રાજદ્વારી સંબંધોના 70 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે.આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

તેઓ આ ખાસ અવસર પર ભારતની મુલાકાતે છે. 1952માં બંને દેશો (ભારત-કંબોડિયા) વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપના કરવામાં આવી હતી. ભારતની મુલાકાત દરમિયાન કંબોડિયાના રાજા સિહામોની સાથે એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ હશે. ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ પ્રતિનિધિમંડળમાં રોયલ પેલેસના મંત્રી, વિદેશ મંત્રી સહિત કુલ 27 અધિકારીઓ સામેલ થશે.

આજનું રાશિફળ તારીખ : 22-02-2025
વારં વાર ગળું સુકાઈ જવું કયા રોગનું છે લક્ષણ ?
ચહલ-ધનશ્રીના છૂટાછેડા અને 60 કરોડ રૂપિયાનું સત્ય આખરે બહાર આવ્યું
Mukesh Ambani Kundali : અંબાણીની કુંડળીમાં એવું શું હતું જેના કારણે તેઓ અમીર બન્યા?
ગુજરાતની 80 હજાર કરોડની કંપની પાકિસ્તાનમાં ચમકી
Garlic for Health : કાચું નહીં...આ રીતે લસણ ખાવાનું શરૂ કરો, શરીરની આ બીમારી થશે છૂમંતર

30 મેના રોજ રાજાના માનમાં રાજ્ય ભોજન સમારંભ

30 મેના રોજ રાષ્ટ્રપતિ ભવન ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. આ પછી તેઓ રાજઘાટ જશે અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાંજે રાજાના સન્માનમાં રાજ્ય ભોજન સમારંભનું આયોજન કરશે. તેમની મુલાકાત દરમિયાન કંબોડિયાના રાજા સિહામોની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે.

સિહામોનીના પિતા 1963માં ભારત આવ્યા હતા

આ સિવાય તેઓ ઉપરાષ્ટ્રપતિ ધનખડ અને વિદેશ મંત્રી એસ જયશંકરને પણ મળશે. લગભગ છ દાયકા પહેલા 1963માં નોરોદોમ સિહામોનીના પિતા ભારતની મુલાકાતે આવ્યા હતા. સિહામોનીની ભારત મુલાકાત અંગે વિદેશ મંત્રાલયે કહ્યું છે કે તેમની મુલાકાતથી ભારત અને કંબોડિયા વચ્ચેના સંબંધો વધુ મજબૂત થશે.

આ પણ વાંચો : Breaking News: અમેરિકામાં દિવાળીની રજાને લઈ Good News ! ન્યૂયોર્ક સ્ટેટ એસેમ્બલીમાં રજૂ કરાયું બિલ

આ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે

બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોના 70 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે સિહામોનીની આ મુલાકાત ખૂબ જ ખાસ છે. આ દરમિયાન બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય અને બહુપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા થશે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">