લોહીથી ભીંજાયેલા બેગ-જૂતાં…..માસૂમ બાળકોની યાદમાં ઈરાનના સ્પીકરે મુકેલી પોસ્ટે વિશ્વનું ધ્યાન ખેંચ્યુ
ઈસ્લામાબાદમાં અમેરિકા સાથેની મહત્વપૂર્ણ ચર્ચા પહેલા ઈરાનના સંસદ સ્પીકર મહમ્મદ બાકર ગાલિબાફે હુમલામાં માર્યા ગયેલા સ્કૂલી બાળકોની ભાવુક તસવીર શેર કરી. આ પોસ્ટે સમગ્ર વિશ્વમાં ભાવનાત્મક પ્રતિસાદ જગાવ્યો.

ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી મહત્વપૂર્ણ શાંતિ ચર્ચા પહેલા એક ભાવુક ઘટના સામે આવી છે. ઈરાનના સંસદ સ્પીકર મોહમ્મદ બાઘર ગાલીબાફના એક સોશિયલ મીડિયા પોસ્ટે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. તેમણે હુમલામાં માર્યા ગયેલા સ્કૂલી બાળકોને યાદ કરીને એક અત્યંત ભાવનાત્મક તસવીર શેર કરી છે.
ગાલિબાફે ભાવનાત્મક ફોટો શેર કર્યો
આ ઘટના ત્યારે બની જ્યારે ઈરાનનું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ પહોંચી ગયું છે. આ પ્રતિનિધિમંડળ અમેરિકા સાથે સંઘર્ષ સમાપ્ત કરવા માટેની ચર્ચામાં ભાગ લેવા આવ્યું છે. આ ટીમનું નેતૃત્વ ખુદ ગાલિબાફ કરી રહ્યા છે, અને તેમની સાથે વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી સહિત ઘણા ઉચ્ચ અધિકારીઓ હાજર છે.
ગાલિબાફ દ્વારા શેર કરેલી તસવીરમાં ફ્લાઇટની અંદર બાળકોના સ્કૂલ બેગ, ચપ્પલ અને તેમની તસવીરો રાખવામાં આવી છે. ખાસ વાત એ છે કે આ વસ્તુઓ પર લોહીના નિશાન જોવા મળે છે, જે તે હુમલાની ભયાનકતા દર્શાવે છે. દરેક બેઠક પાસે એક ફૂલ પણ મૂકવામાં આવ્યું હતું, જે મૃત બાળકોને શ્રદ્ધાંજલિ રૂપે છે.
همراهان من در این پرواز#Minab168 pic.twitter.com/xvXmDlSDiF
— محمدباقر قالیباف | MB Ghalibaf (@mb_ghalibaf) April 10, 2026
પ્રામાણિક વાતચીત, પણ વિશ્વાસનો અભાવ
આ પોસ્ટ સાથે ગાલિબાફે લખ્યું હતું કે આ તેમના “પ્રવાસના સાથીઓ” છે, જે શબ્દો સમગ્ર વિશ્વને ભાવુક કરી ગયા. તેઓ તસવીરોને શાંતિથી નિહાળી રહ્યા હતા, પરંતુ તેમની આ નિઃશબ્દતા ઘણી મોટી પીડા વ્યક્ત કરતી હતી.
આ ઘટના 28 ફેબ્રુઆરીના એક હુમલાને યાદ કરાવે છે, જેમાં એક સ્કૂલને નિશાન બનાવવામાં આવી હતી અને મોટી સંખ્યામાં બાળકોના મોત થયા હતા. આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે આક્રોશ જગાવ્યો હતો.
Yes, Trump crushed the 168 families of the Minab school by killing their children. Who is this bloodthirsty vampire in the White House?
The flight of Minab-168 landed in Islamabad, Pakistan.
Ghalibaf (the head of Iran’s parliament) is arriving for negotiations with his… pic.twitter.com/jeWk7A1FBL
— Jonah Cohen (@JonahCohen66018) April 11, 2026
ઈસ્લામાબાદમાં ચાલી રહેલી ચર્ચા દરમિયાન ગાલિબાફે સ્પષ્ટ કર્યું કે ઈરાન શાંતિ ચર્ચામાં ભાગ લઈ રહ્યું છે, પરંતુ અમેરિકા પર સંપૂર્ણ વિશ્વાસ નથી. તેમના કહેવા મુજબ, અગાઉના અનુભવોએ ઈરાનને સાવચેત રાખ્યું છે.
ઈરાનનું વલણ સ્પષ્ટ છે કે કોઈપણ સત્તાવાર સમજૂતી ત્યારે જ શક્ય છે જ્યારે તેમની શરતો સ્વીકારવામાં આવે. આ ઉપરાંત, ઈરાનનું પ્રતિનિધિમંડળ બતાવે છે કે આ ચર્ચા તેમના માટે અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે તેમાં સુરક્ષા, રાજકીય અને સૈન્ય સ્તરના ટોચના અધિકારીઓ પણ સામેલ છે.
આ રીતે, ઈસ્લામાબાદમાં ચાલી રહેલી ચર્ચા માત્ર રાજકીય નથી રહી, પરંતુ ભાવનાઓ અને યુદ્ધના ઘાવોથી પણ ભરપૂર બની ગઈ છે.
વરિષ્ઠ નેતાઓની હાજરી
ઈરાનના પ્રતિનિધિમંડળમાં સુરક્ષા, રાજકીય, સૈન્ય, આર્થિક અને કાનૂની સમિતિઓના સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ગાલિબાફની સાથે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી અને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદમાં ઈરાનના નેતાના પ્રતિનિધિ અલી અકબર અહમદિયન પણ હાજર છે.
આ ઉચ્ચ સ્તરના નેતાઓની હાજરી સ્પષ્ટ કરે છે કે આ ચર્ચા ઈરાન માટે અત્યંત મહત્વપૂર્ણ અને નિર્ણાયક છે.
