Dubai Building Fire: દુબઈની ઈમારતમાં ભીષણ આગ, 4 ભારતીયો સહિત 16 લોકોના મોત

દુબઈની એક ઈમારતમાં લાગેલી આગની ઘટનામાં કેરળના પતિ-પત્નીનું મોત થયું છે. આ દુર્ઘટનામાં ચાર ભારતીયોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. અકસ્માતનો ભોગ બનેલા બે લોકો તમિલનાડુના રહેવાસી છે.

Dubai Building Fire: દુબઈની ઈમારતમાં ભીષણ આગ, 4 ભારતીયો સહિત 16 લોકોના મોત
Image Credit source: Google
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 16, 2023 | 4:14 PM

દુબઈમાં રહેણાંક મકાનમાં લાગેલી ભીષણ આગમાં 16 લોકોના મોત થયાની પુષ્ટિ કરવામાં આવી છે. આ અકસ્માતમાં કેરળના પતિ-પત્ની સહિત 4 ભારતીયોના મોત થયા છે. દુબઈના જૂના વિસ્તાર અલ રાસની એક ઈમારતમાં ગઈકાલે મોડી રાત્રે આગ લાગી હતી. આગ સૌપ્રથમ બિલ્ડીંગના ચોથા માળેથી શરૂ થઈ હતી અને થોડી જ વારમાં તે બીજા માળ સુધી ફેલાઈ ગઈ હતી.

આ પણ વાચો: Brazil: બ્રાઝિલમાં ચિલ્ડ્રન શેલ્ટર હોમમાં ભીષણ આગ, 4 લોકોના કરૂણ મોત

દુબઈ સિવિલ ડિફેન્સ હેડક્વાર્ટરની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી અને લોકોને બહાર કાઢવાનું શરૂ કર્યું હતું. કલાકોની જહેમત બાદ સિવિલ ડિફેન્સના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો હતો. દુબઈ પોલીસ મોર્ચ્યુરીમાં હાજર ભારતીય સામાજિક કાર્યકર નસીર વતનપલ્લીએ એક મીડિયા અહેવાલમાં જણાવાયું છે કે, પીડિતોમાં કેરળના પતિ-પત્ની સહિત 4 ભારતીયોની ઓળખ કરવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

તમિલનાડુના બે લોકો અકસ્માતનો ભોગ બન્યા હતા

વતનપલ્લીએ જણાવ્યું કે, આ દુર્ઘટનામાં તમિલનાડુના બે લોકોના પણ મોત થયા છે. તે આ બિલ્ડિંગમાં કામ કરતા હતા. આ સિવાય ત્રણ પાકિસ્તાની પિતરાઈ ભાઈઓ અને એક નાઈજીરિયન મહિલા પણ અકસ્માતનો ભોગ બની હતી. દુબઈ સિવિલ ડિફેન્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બિલ્ડિંગમાં પૂરતી સુરક્ષાનો અભાવ છે. આગની ચોક્કસ વિગતો મેળવવામાં આવી રહી છે.

દુબઈમાં અનેક ઈમારતોમાં આગની ઘટનાઓ

દુબઈ સંયુક્ત આરબ અમીરાતના સાત અમીરાતમાંનું એક છે. તે 33 લાખની વસ્તી ધરાવતું શહેર છે. અહીંના 90 ટકા લોકો વિદેશી છે. તાજેતરના વર્ષોમાં, બહુમાળી ઇમારતોમાં આગ લાગવાની ઘણી ઘટનાઓ સામે આવી છે. 2017માં, શહેરના સૌથી મોટા શોપિંગ મોલ નજીક બાંધકામ હેઠળની ગગનચુંબી ઈમારતમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. બે વર્ષ પહેલા દુબઈની એક 5 સ્ટાર હોટલમાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ આગ લાગી હતી, જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા. 2017માં આગની ઘટનાઓ ઘટાડવા માટે બાંધકામના કડક નિયમો લાગુ કરવામાં આવ્યા હતા.

મહત્વનું છે કે આ ઘટનામાં ચાર ભારતીયોના મોત થયા છે, જેમાં બે તમિલનાડુના હતા, જ્યારે બીજા બે લોકો કેરલના હોવાનુું હાલ પ્રાથમિક તારણ છે

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

આંતરરાષ્ટ્રીય સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Latest News Updates

રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
દુનિયાના સૌથી મહાન હસ્તીઓ ગુજરાતે આપ્યા - પ્રિયંકા ગાંધી
દુનિયાના સૌથી મહાન હસ્તીઓ ગુજરાતે આપ્યા - પ્રિયંકા ગાંધી
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાત મુલાકાતે
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાત મુલાકાતે
બાબરાની GIDCમાં લોખંડ મેલ્ટ કરતી કંપનીમાં લાગી ભીષણ આગ
બાબરાની GIDCમાં લોખંડ મેલ્ટ કરતી કંપનીમાં લાગી ભીષણ આગ
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
g clip-path="url(#clip0_868_265)">