Blood Pressure Drug Quality Concern : બ્લડ પ્રેશરની દવાઓ પર ઉઠયા પ્રશ્નો, ગુણવત્તામાં ખામીથી વધી ચિંતા
બ્લડ પ્રેશરની દવાઓના અનેક બેચ ફેલ થતાં તેમની ગુણવત્તા અને અસરકારકતા પર ગંભીર સવાલો ઊભા થયા છે.

આજના સમયમાં બ્લડ પ્રેશર (BP) એક સામાન્ય પરંતુ ગંભીર આરોગ્ય સમસ્યા બની ગઈ છે. લાખો લોકો રોજિંદા જીવનમાં BP કંટ્રોલ કરવા માટે દવાઓ પર નિર્ભર છે. પરંતુ તાજેતરમાં બહાર આવેલા એક અહેવાલે ચિંતાને વધુ વધારી છે. માત્ર એક જ મહિનામાં અનેક દવાઓના બેચ ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ ગયા હોવાનું સામે આવ્યું છે, જેમાં BP માટેની દવાઓનો ભાગ સૌથી વધુ છે.
દેશભરમાં સામે આવી સમસ્યા
આ સમસ્યા માત્ર એક રાજ્ય પૂરતી મર્યાદિત નથી રહી. અસામથી લઈને કેરળ સુધી વિવિધ રાજ્યોમાં દવાઓના બેચ ફેલ થવાના કેસ નોંધાયા છે. આથી સ્પષ્ટ થાય છે કે દવાઓની ગુણવત્તા અંગેની સમસ્યા રાષ્ટ્રીય સ્તરે ફેલાઈ રહી છે. દર્દીઓ જે દવાઓ પર વિશ્વાસ રાખે છે, એ જ દવાઓની અસરકારકતા પર હવે સવાલો ઊભા થઈ રહ્યા છે.
ગુણવત્તા પરીક્ષણમાં મોટી ખામી
અહેવાલ મુજબ, તાજેતરમાં કુલ 198 દવાઓ ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ ગઈ હતી, જેમાંથી BPની દવાઓનું પ્રમાણ નોંધપાત્ર હતું. ખાસ કરીને 18 બેચ બ્લડ પ્રેશરની દવાઓના હતા, જે પરીક્ષણમાં ફેલ થયા. આ સ્થિતિ દર્દીઓ માટે જોખમરૂપ બની શકે છે, કારણ કે તેઓ આ દવાઓને પોતાની સારવાર માટે મહત્વપૂર્ણ માને છે.
ડિસોલ્યુશન ટેસ્ટમાં નિષ્ફળતા શું છે?
આ દવાઓ નિષ્ફળ થવાનો મુખ્ય કારણ “ડિસોલ્યુશન ટેસ્ટ”માં નિષ્ફળ થવું છે. આ પરીક્ષણમાં તપાસવામાં આવે છે કે દવા શરીરમાં જઈને કેટલા સમય અને કેટલી માત્રામાં ઘૂલે છે. જો દવા યોગ્ય રીતે ઘૂળતી નથી, તો તેનું શરીર પર પૂરતું અસરકારક પરિણામ મળતું નથી. એટલે કે દર્દી દવા લેતો રહે છે, પણ તેને સંપૂર્ણ લાભ મળતો નથી.
ખાસ વાત એ છે કે આ દવાઓ બહારથી સામાન્ય દેખાય છે, જેથી દર્દીઓને કોઈ શંકા પણ થતી નથી. પરંતુ અંદરથી તેની અસર ઓછી થઈ જાય છે.
“સાઇલેન્ટ ફેલિયર” નો ખતરો
આ સ્થિતિને “સાઇલેન્ટ ફેલિયર” તરીકે ઓળખવામાં આવી રહી છે. તેનો અર્થ એ છે કે દર્દી નિયમિત રીતે દવા લે છે, છતાં તેને યોગ્ય લાભ મળતો નથી. BP નિયંત્રિત ન થવાથી લાંબા ગાળે હૃદયરોગ, સ્ટ્રોક અને કિડની સંબંધિત બીમારીઓનો ખતરો વધી શકે છે.
આ સમસ્યાની સૌથી ગંભીર વાત એ છે કે દર્દીને સમયસર તેનો ખ્યાલ પણ નથી આવતો, જેના કારણે જોખમ વધુ વધી શકે છે.
ભારતમાં BPની સ્થિતિ
ભારતમાં બ્લડ પ્રેશર એક મોટી આરોગ્ય સમસ્યા બની ગઈ છે. કરોડો લોકો આથી પ્રભાવિત છે, પરંતુ તેમાંના ઘણા લોકો પોતાનો BP યોગ્ય રીતે નિયંત્રિત કરી શકતા નથી. ખરાબ જીવનશૈલી, તણાવ અને ખોટી ખાવાની આદતો આ માટે જવાબદાર છે.
દવાઓની ગુણવત્તા અંગે ઉભા થયેલા પ્રશ્નો આરોગ્ય પ્રણાલી માટે ચેતવણી સમાન છે. જરૂરી છે કે દવાઓના પરીક્ષણ અને દેખરેખને વધુ કડક બનાવવામાં આવે, જેથી દર્દીઓને સુરક્ષિત અને અસરકારક સારવાર મળી શકે. સમયસર યોગ્ય પગલાં લેવાશે, તો જ આ વધતી સમસ્યાને નિયંત્રિત કરી શકાશે.
તમારી ઉંમર પ્રમાણે કેટલા પુશ-અપ્સ કરવા જોઈએ? અહીં ક્લિક કરો અને જાણો તમારી ફિટનેસનું સાચું સિક્રેટ