AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ડાર્ક સર્કલ સાથે જોડાયેલા એ Myths જે લોકો આસાનીથી માની જાય છે.. નિષ્ણાતો પાસેથી જાણો સત્ય

ડાર્ક સર્કલ આજકાલ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. તેની પાછળ અનેક કારણો જવાબદાર હોય શકે છે. જોકે, ડાર્ક સર્કલને લઈને સમાજમાં અનેક માન્યતાઓ ફેલાયેલી છે, જેને લોકો સહેલાઈથી સાચી માની લે છે. આ લેખમાં, નિષ્ણાતોના મત આધારે આપણે આ માન્યતાઓ પાછળનું સત્ય સમજવાનો પ્રયત્ન કરીશું.

ડાર્ક સર્કલ સાથે જોડાયેલા એ Myths જે લોકો આસાનીથી માની જાય છે.. નિષ્ણાતો પાસેથી જાણો સત્ય
| Updated on: Jan 04, 2026 | 4:05 PM
Share

આજના ભાગદોડભર્યા જીવનમાં થાકની અસર સૌથી પહેલા આંખોની આસપાસ દેખાય છે. સવારે ઉઠતાની સાથે જ અરીસામાં ડાર્ક સર્કલ જોવું ઘણાં લોકો માટે તણાવપૂર્ણ અનુભવ બની જાય છે. હવે ડાર્ક સર્કલ માત્ર વૃદ્ધોની સમસ્યા રહી નથી, યુવાનો, વિદ્યાર્થીઓ અને બાળકો પણ તેનો સામનો કરી રહ્યા છે. મોબાઇલ ફોન અને લેપટોપનો વધુ ઉપયોગ, મોડે સુધી જાગવાની આદત અને બદલાતી જીવનશૈલીને કારણે આ સમસ્યા વધતી જઈ રહી છે.

ડાર્ક સર્કલ વિશે અલગ-અલગ માન્યતાઓ છે. કેટલાક લોકો માને છે કે મોબાઇલ ફોનનો વધુ ઉપયોગ કરવાથી ડાર્ક સર્કલ થાય છે, જ્યારે કેટલાકનું માનવું છે કે પૂરતી ઊંઘ લેવાથી તે સંપૂર્ણપણે દૂર થઈ જાય છે. ઘણા લોકો ઘરેલું ઉપચાર પર આંધળો વિશ્વાસ રાખે છે, જ્યારે કેટલાક મોંઘી ક્રીમ અને સારવારને જ એકમાત્ર ઉકેલ માને છે. પરંતુ વાસ્તવિકતા શું છે? ચાલો નિષ્ણાતોના અભિપ્રાયથી જાણીએ.

માન્યતા 1: ઊંઘની કમીને કારણે જ ડાર્ક સર્કલ થાય

ત્વચારોગ વિજ્ઞાની ડૉ. ઇશિતા પંડિત જણાવે છે કે સૌથી મોટી માન્યતા એ છે કે ઊંઘની કમીને કારણે જ ડાર્ક સર્કલ થાય છે. પરંતુ આ હંમેશા સાચું નથી. ઘણા કેસમાં ડાર્ક સર્કલ આનુવંશિક પણ હોઈ શકે છે. આ ઉપરાંત, આંખોની નીચેની ત્વચા પાતળી હોવી, પિગમેન્ટેશન, સાયનોસિસ અથવા એનિમિયા જેવી સમસ્યાઓ પણ ડાર્ક સર્કલનું કારણ બની શકે છે.

માન્યતા 2: ક્રીમથી ડાર્ક સર્કલ સંપૂર્ણપણે દૂર થઈ જાય છે

નિષ્ણાતો કહે છે કે ફક્ત કોઈપણ ક્રીમ લગાવવાથી ડાર્ક સર્કલ દૂર થતા નથી. સૌથી પહેલા ડાર્ક સર્કલ થવાનું મૂળ કારણ સમજવું જરૂરી છે. કારણ જાણ્યા વિના કોઈ પણ ક્રીમનો ઉપયોગ કરવો અસરકારક સાબિત થતો નથી.

માન્યતા 3: ઘરેલું ઉપચાર અસરકારક છે

ઘણા લોકો બટાકાનો રસ, લીંબુનો રસ અથવા ટામેટાનો રસ લગાવવાથી ડાર્ક સર્કલ દૂર થઈ જશે એવું માને છે. પરંતુ હકીકતમાં, આ ઉપચાર ફક્ત ત્વચાને થોડી હદ સુધી હાઇડ્રેશન આપે છે. તે સમસ્યાનું મૂળ કારણ દૂર કરતા નથી. ઉલટું, આવા ઉપચારોથી ત્વચામાં એલર્જી અથવા જલન થવાની શક્યતા પણ રહે છે.

માન્યતા 4: ડાર્ક સર્કલ ફક્ત રંગદ્રવ્યને કારણે થાય છે

કેટલાક લોકો માને છે કે ડાર્ક સર્કલ ફક્ત પિગમેન્ટેશનના કારણે જ થાય છે. પરંતુ નિષ્ણાતો જણાવે છે કે આ સંપૂર્ણ સત્ય નથી. આંખોની નીચે ખાડા પડવા, વૃદ્ધત્વના કારણે વોલ્યુમમાં ઘટાડો થવો અથવા ત્વચાની બંધારણમાં ફેરફાર થવો પણ ડાર્ક સર્કલના મહત્વના કારણો હોઈ શકે છે.

માન્યતા 5: ડાર્ક સર્કલ માટેની સારવાર અસુરક્ષિત છે

ડૉ. ઇશિતા પંડિત અનુસાર, ઘણા લોકો માને છે કે ડાર્ક સર્કલ દૂર કરવાની પ્રક્રિયાઓ જોખમી હોય છે. પરંતુ જો આ સારવાર તાલીમ પામેલા અને અનુભવી ત્વચારોગ વિજ્ઞાની પાસેથી લેવાય, તો તે સંપૂર્ણપણે સલામત ગણાય છે. લેસર થેરાપી, PRP (પ્લેટલેટ-સમૃદ્ધ પ્લાઝ્મા), ફિલર્સ અને સ્કિન બૂસ્ટર્સ જેવી આધુનિક પદ્ધતિઓ સુરક્ષિત છે અને સારા પરિણામો પણ આપે છે.

શું બીયર પીવાથી ખરેખર કિડનીની પથરી દૂર થાય છે? જાણો હકીકત

જમીન સારી કિંમતે વેચાઈ શકે છે, તમે પરિવાર સાથે બહાર ફરવા જશો
જમીન સારી કિંમતે વેચાઈ શકે છે, તમે પરિવાર સાથે બહાર ફરવા જશો
પોરબંદર પાસે સમુદ્રમાં યોજાઈ અનોખી સ્વીમીંગ સ્પર્ધા
પોરબંદર પાસે સમુદ્રમાં યોજાઈ અનોખી સ્વીમીંગ સ્પર્ધા
તૂટી રહેલા રસ્તાથી વાહનચાલકો પરેશાન, સરકાર તરફથી થયો ખુલાસો
તૂટી રહેલા રસ્તાથી વાહનચાલકો પરેશાન, સરકાર તરફથી થયો ખુલાસો
વર્તમાન શિયાળામાં પહેલીવાર ઠંડીનો પારો ગગડીને પહોંચ્યો 8 ડિગ્રીએ
વર્તમાન શિયાળામાં પહેલીવાર ઠંડીનો પારો ગગડીને પહોંચ્યો 8 ડિગ્રીએ
તમે રમતગમતમાં ભાગ લઈ શકો છો, એક નવો નાણાકીય કરાર થશે
તમે રમતગમતમાં ભાગ લઈ શકો છો, એક નવો નાણાકીય કરાર થશે
ગુજરાત યુનિ.ના પરીક્ષા વિભાગનો વધુ એક છબરડો, સતત ત્રીજીવાર લોચો માર્યો
ગુજરાત યુનિ.ના પરીક્ષા વિભાગનો વધુ એક છબરડો, સતત ત્રીજીવાર લોચો માર્યો
સરકારની સહાય મળવા છતા બાળકોને ખરાબ ગુણવત્તા વાળું ખોરખ આપાવતું હતું
સરકારની સહાય મળવા છતા બાળકોને ખરાબ ગુણવત્તા વાળું ખોરખ આપાવતું હતું
સાયલા તાલુકામાં ગાંજાના ખેતરો ઝડપાયા, ત્રણ ટ્રેક્ટર જેટલો થયો મુદ્દામા
સાયલા તાલુકામાં ગાંજાના ખેતરો ઝડપાયા, ત્રણ ટ્રેક્ટર જેટલો થયો મુદ્દામા
અંબાજી ધામમાં પોષી પૂનમના પવિત્ર અવસરે ભક્તોનું ઘોડાપૂર
અંબાજી ધામમાં પોષી પૂનમના પવિત્ર અવસરે ભક્તોનું ઘોડાપૂર
સુરેન્દ્રનગર જમીન NA કૌભાંડમાં થશે FSL તપાસ, જુઓ Video
સુરેન્દ્રનગર જમીન NA કૌભાંડમાં થશે FSL તપાસ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">