VADODARA : દુષ્કર્મ અને અત્મહત્યા કેસમાં રેલ્વે પોલીસે યુવતી સહિત 6 લોકોના ફોન જપ્ત કરી FSLમાં મોકલ્યા
રેલ્વે વિભાગના DySP બી.એસ.જાધવે ઘટનાની તપાસ અંગે કહ્યું, સંસ્થા સાથે જોડાયેલા 18 કર્મચારી અને હોદ્દેદારોની પૂછપરછ કરવામાં આવી છે અને જે વિસ્તારમાં આ ઘટના બની હતી ત્યાંના રિક્ષાવાળા, લારીવાળાઓની પણ પૂછપરછ કરવામાં આવી છે.
VADODARA : નવસારીની યુવતીના આપઘાત કેસમાં વડોદરા રેલ્વેના DySP બી.એસ.જાધવે મોટા ખુલાસા કર્યા છે. સમગ્ર કેસમાં યુવતીની હત્યા નહીં પરંતુ આત્મહત્યા હોવાનું સામે આવ્યું છે.પોલીસને યુવતીના શરીર પર હથિયારથી કોઈ ઈજાના નિશાન નથી મળ્યા.આ ઉપરાંત વિશેરા રિપોર્ટમાં યુવતીને કોઈ ઝેરી પદાર્થ ન અપાયા હોવા સામે આવ્યું છે.પોલીસે વધુ વિગતો આપતા કહ્યું, પીડિતાના મોબાઈલ સહિત છ લોકોના ફોન જપ્ત કરાયા છે અને સંસ્થાના કર્મચારીઓના ફોનની તપાસ માટે FSLમાં મોકલાયા છે. DySP બી.એસ.જાધવે એમ પણ કહ્યું, પૂછપરછ દરમિયાન સંસ્થાના લોકોએ કહ્યું હતું, અમે પીડિતાના મેસેજને ગંભીરતાથી લીધો નહતો.જે તે વખતે ફરિયાદ નોંધાઈ હોત તો યુવતી બચી ગઈ હતો.
રેલ્વે વિભાગના DySP બી.એસ.જાધવે ઘટનાની તપાસ અંગે કહ્યું, સંસ્થા સાથે જોડાયેલા 18 કર્મચારી અને હોદ્દેદારોની પૂછપરછ કરવામાં આવી છે અને જે વિસ્તારમાં આ ઘટના બની હતી ત્યાંના રિક્ષાવાળા, લારીવાળાઓની પણ પૂછપરછ કરવામાં આવી છે.તેમણે વધુમાં કહ્યું, પીડિતાએ બે લોકોને ફોન કર્યા હતા, પરંતુ બંને વ્યક્તિ સંસ્થાના ન હતા.આપઘાત પહેલા યુવતીએ ફોન કરી જમવાનો ઓર્ડર આપ્યો હતો..પોલીસ હાલ તમામ દિશામાં તપાસ કરી રહી છે અને જે પણ શંકાસ્પદ લાગે છે તેમની પૂછપરછ કરી રહી છે.
આ કેસમાં યુવતીની માતાનું કહેવું છે કે આત્મહત્યાના દિવસે પીડિતાએ ત્રણ લોકોને પોતાને બચાવવા માટે મેસેજ કર્યા હતા. તે ત્રણેય માંથી એક પણ વ્યક્તિએ આજ સુધી આવો મેસેજ મળ્યાનો ખુલાસો કર્યો નથી અથવા તો પીડિતાના પરિવાર સાથે સંપર્ક પણ કર્યો નથી. યુવતીએ સંસ્થાના સંજુભાઈ વૈષ્ણવી અને અવધી સહીત ત્રણ લોકોને રાત્રી દરમિયાન પોતાને બચાવવા માટે મેસેજ કર્યા હતા. આ ઘટનામાં પીડિતાની માતા એ આત્મહત્યાના બનાવને નકાર્યો છે. તેમણે ટ્રેનમાં બે સીટની વચ્ચે આત્મહત્યા બાબતે પણ શંકા વ્યક્ત કરી છે.
આ પણ વાંચો : VALSAD : વાપી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ
આ પણ વાંચો : GUJARAT : રાજ્યમાં કોરોનાની લેટેસ્ટ જાણકારી સાથે જાણો મહત્વના અન્ય સમાચાર, માત્ર એક ક્લિકમાં
![આજનું રાશિફળ તારીખ : 27-07-2024 આજનું રાશિફળ તારીખ : 27-07-2024](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/cropped-WEB-STORY-THUMBNAIL-1-15.jpg?w=670&ar=16:9)
![રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/cropped-railways-5-new-vande-bharat-trains-route-8.jpg?w=670&ar=16:9)
![પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/pakistani-woman-divorce-celebration-danced-video-6.jpg?w=670&ar=16:9)
![સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/stock-market-bse-nse-seek-clarification-on-mtnl-share-return-6.jpg?w=670&ar=16:9)
![સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/ghee-with-hot-water-health-benefits-2.jpg?w=670&ar=16:9)
![શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/cropped-home-remedies-will-cure-spine-pain-1721978586-1.jpeg?w=670&ar=16:9)