તો અમદાવાદમાં શાકભાજીની સર્જાશે અછત, મોંઘાભાવે વેચાશે શાકભાજી

કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતુ અટકાવવા માટે સરકારે જાહેર કરેલ વિવિધ જોગવાઈ, નિતી અને નિયમોની આટીઘુંટીમાં અમદાવાદના જમાલપુરનું શાકમાર્કેટ પણ અટવાયુ છે. શહેર પોલીસ કમિશનરે જમાલપુર શાકમાર્કેટના નોંધાયેલા 158 વેપારીઓમાંથી માત્ર 53 જ વેપારીઓને, નિયત કરેલ દિવસે શાકભાજીની હોલસેલ ખરીદી અને વેચાણ કરવા  દેવાનું નક્કી કર્યું છે. પોલીસ કમિશનરના આ આદેશથી અમદાવાદ શહેરના નાગરીકો માટે, રોજ […]

તો અમદાવાદમાં શાકભાજીની સર્જાશે અછત, મોંઘાભાવે વેચાશે શાકભાજી
Follow Us:
| Updated on: Jun 28, 2020 | 7:31 AM

કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતુ અટકાવવા માટે સરકારે જાહેર કરેલ વિવિધ જોગવાઈ, નિતી અને નિયમોની આટીઘુંટીમાં અમદાવાદના જમાલપુરનું શાકમાર્કેટ પણ અટવાયુ છે. શહેર પોલીસ કમિશનરે જમાલપુર શાકમાર્કેટના નોંધાયેલા 158 વેપારીઓમાંથી માત્ર 53 જ વેપારીઓને, નિયત કરેલ દિવસે શાકભાજીની હોલસેલ ખરીદી અને વેચાણ કરવા  દેવાનું નક્કી કર્યું છે. પોલીસ કમિશનરના આ આદેશથી અમદાવાદ શહેરના નાગરીકો માટે, રોજ જમાલપુરની શાકમાર્કેટ ખાતે વિવિધ શાકભાજીની આવતી કુલ 300થી વધુ ટ્રકને બદલે માત્ર 100 જ ટ્રક શાકભાજીની આવક થશે. જેના કારણે અમદાવાદની જરૂરીયાત સામે ઓછુ શાક આવતા ભાવ વધશે અને શાકભાજીની તંગી સર્જાવાની ભીતિ જમાલપુર શાકમાર્કેટના વેપારીઓ સેવી રહ્યાં છે.

કોરોનાનું સંક્રમણ ના ફેલાય તે માટે સરકારે અમદાવાદના જમાલપુર શાકમાર્કેટને શહેરની નજીક આવેલ જેતલસર એપીએમસીમાં સ્થળાતર કર્યું હતું. જ્યા એપીએમસી જમાલપુરમાં દુકાન ધરાવતા હોય તેવા નોંધાયેલા 158 અને એપીએમસીમાં દુકાન ના ધરાવતા હોય પરંતુ નોંધાયેલા 95 વેપારીઓ જેતલસર એપીએમસી ખાતે ખેડૂતો પાસેથી શાકભાજીની લે વેચ કરતા હતા. પરંતુ અનલોક 1ને ધ્યાને લઈને,  જમાલપુર ખાતેના એપીએમસીને રાત્રીના 9થી સવારના 6 વાગ્યા સુધી ( મોટાભાગે એ સમયે શહેરમાં કરફ્યુ હોય છે) શાકભાજીની લે વેચ કરવાની પરવાનગી આપવામાં આવી છે. પરંતુ  માત્ર 53 વેપારીઓને જ તેમના નક્કી કરેલા દિવસે શાકભાજીની વે વેચ કરવાની પરવાનગી અપાતા, વેપારી આલમમાં નારાજગી છે. પોલીસ કમિશનરના આ નિર્ણય સામે શુ કરવુ તે વેપારીઓ એકઠા થઈને નક્કી કરશે. વેપારીઓનું કહેવુ છે કે, પોલીસ કમિશનરના આ આદેશને પગલે, અમદાવાદમાં શાક વેચવા આવતા ખેડૂતો, શાકભાજીનો વેપાર કરનારા વેપારીઓ અને અમદાવાદના નાગરિકોને પારાવાર તકલીફ પડશે. જુઓ વિડીયો

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">