AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News બુલેટ ટ્રેનની ખરીદી લેજો ટિકિટ, આ તારીખે દોડશે ભારતની પ્રથમ Bullet Train

દેશવાસીઓને ન્યુયર પર એક ગુડ ન્યુઝ મળ્યા છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત કરી છે, 15 ઓગસ્ટ 2027ના રોજ દેશમાં પ્રથમ બુલેટ ટ્રેન દોડશે,મુંબઈ-અમદાવાદ હાઇ-સ્પીડ રેલ કોરિડોરમાં કુલ 12 સ્ટેશન હશે,

Breaking News  બુલેટ ટ્રેનની ખરીદી લેજો ટિકિટ, આ તારીખે દોડશે ભારતની પ્રથમ Bullet Train
| Updated on: Jan 01, 2026 | 3:44 PM
Share

દેશવાસીઓને ન્યુયર પર એક ગુડ ન્યુઝ મળ્યા છે.કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત કરી છે. જ્યારે તેને પ્રશ્ન કરવામાં આવ્યો કે, બુલેટ ટ્રેન ક્યારે શરુ થશે. તો તેમણે કહ્યું બુલેટ ટ્રેનની ટિકિટ ખરીદી લો, પ્રથમ રુટ સુરતથી બીલીમોરાનો રહેશે. ત્યારબાદ વાપી થી સુરત ત્રીજો ફેઝ વાપી થી અમદાવાદ, ચોથો ફેઝ થાણેથી અમદાવાદ અને અંતે મુંબઈથી અમદાવાદ વચ્ચેનો ફેઝ શરુ થશે.ગુજરાતના હીરાનગરી સુરતના સ્ટેશનને શહેરની ઓળખ અનુસાર ડિઝાઇન કરવામાં આવી રહ્યું છે. અહીં હીરાની ઝલક જોવા મળશે.

15 ઓગસ્ટ 2027ના રોજ દેશમાં પ્રથમ બુલેટ ટ્રેન દોડશે.મુંબઈ-અમદાવાદ હાઇ-સ્પીડ રેલ કોરિડોરમાં કુલ 12 સ્ટેશન હશે, જેમાં થાણે, વિરાર, બોઇસર, વાપી, સુરત અને વડોદરાનો સમાવેશ થાય છે. આ કોરિડોર મુસાફરીનો સમય ઘટાડીને માત્ર 2 કલાક અને 7 મિનિટ કરશે, જે હાલમાં લગભગ 7 કલાક છે.

જલ્દી પહોંચી જશો મુંબઈ

આ પ્રોજેક્ટ ફક્ત ઝડપી મુસાફરી જ નહીં, પણ દેશમાં રોજગારીની તકો, ટેકનિકલ કૌશલ્ય, પર્યટન અને વેપારને પણ વેગ આપશે. પૂર્ણ થયા પછી, તે ભારતમાં ઝડપી, સલામત અને વિશ્વસનીય જાહેર પરિવહનના નવા યુગની શરૂઆત કરશે તેવી આશા છે.મુંબઈ અને અમદાવાદ વચ્ચે ઓગસ્ટ 2027 માં બુલેટ ટ્રેન દોડવાનું શરૂ થશે. મુંબઈથી અમદાવાદના આ રૂટ પરના બધા સ્ટેશનો પર છ પ્લેટફોર્મ હશે. દરેક પ્લેટફોર્મ આશરે 415 મીટર લાંબુ હશે. સ્ટેશન મેટ્રો લાઇન અને રોડવે સાથે જોડાયેલ હશે.

ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધીની છે. અહી ક્લિક કરો

 

મનપા સંચાલિત શાળામાં કેટલા કોર્પોરેટર્સના બાળકો અભ્યાસ કરે છે?
મનપા સંચાલિત શાળામાં કેટલા કોર્પોરેટર્સના બાળકો અભ્યાસ કરે છે?
ભાવેણાવાસીઓને ક્યારે મળશે 'વંદે ભારત'?, વિપક્ષે સત્તાધિશોને કર્યો સવાલ
ભાવેણાવાસીઓને ક્યારે મળશે 'વંદે ભારત'?, વિપક્ષે સત્તાધિશોને કર્યો સવાલ
સાબરકાંઠાના હરસોઈમાં ખોદકામ દરમિયાન જમીનમાં ધરબાયેલી કલાત્મક વાવ મળી
સાબરકાંઠાના હરસોઈમાં ખોદકામ દરમિયાન જમીનમાં ધરબાયેલી કલાત્મક વાવ મળી
કડીમાં યોજાયેલ વિરાટ હિંદુ સંમેલનમાં અપૂર્વ મુનિએ કર્યુ સૂચક નિવેદન
કડીમાં યોજાયેલ વિરાટ હિંદુ સંમેલનમાં અપૂર્વ મુનિએ કર્યુ સૂચક નિવેદન
આનંદીબહેને કહ્યું-હું પણ પટેલ છુ પરંતુ પટેલવાદમાં નથી માનતી-જુઓ વીડિયો
આનંદીબહેને કહ્યું-હું પણ પટેલ છુ પરંતુ પટેલવાદમાં નથી માનતી-જુઓ વીડિયો
જામનગર મનપામાં સ્ટેન્ડિગ નહીં સેટીગ કમિટી છે-કોંગ્રેસ
જામનગર મનપામાં સ્ટેન્ડિગ નહીં સેટીગ કમિટી છે-કોંગ્રેસ
Breaking News: અમદાવાદમાં ફરી બોગસ કોલ સેન્ટર પકડાયું!
Breaking News: અમદાવાદમાં ફરી બોગસ કોલ સેન્ટર પકડાયું!
સરથાણા પોલીસે ચિરાગ ગોટીને ઘટનાસ્થળે લઈ જઈ કર્યું રિકન્સ્ક્રશન
સરથાણા પોલીસે ચિરાગ ગોટીને ઘટનાસ્થળે લઈ જઈ કર્યું રિકન્સ્ક્રશન
ધીરેન્દ્ર શાસ્ત્રીએ છોકરીઓને સંબોધતા કહ્યું- ક્યારેય બુરખાવાળી ના બનતા
ધીરેન્દ્ર શાસ્ત્રીએ છોકરીઓને સંબોધતા કહ્યું- ક્યારેય બુરખાવાળી ના બનતા
અંબાજીમાં જય અંબે તિથિ ભોજન માટે અનંત અંબાણીનું 27 કરોડનું દાન
અંબાજીમાં જય અંબે તિથિ ભોજન માટે અનંત અંબાણીનું 27 કરોડનું દાન
g clip-path="url(#clip0_868_265)">