AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સાળંગપુરમાં કષ્ટભંજન દેવને 8 કિલો શુદ્ધ સોનામાંથી તૈયાર કરેલા કલાત્મક વાઘાથી કરાયો દિવ્ય શણગાર, 151 કિલોની કેકનો ધરાવાયો પ્રસાદ

હનુમાન જયંતી નિમીત્તે સાળંગપુરમાં કષ્ટભંજન દેવને 8 કિલો શુદ્ધ સોનામાંથી તૈયાર કરવામાં આવેલા અત્યંત કલાત્મક 'નૂતન સુવર્ણ વાઘા' અર્પણ કરવામાં આવ્યા છે. સોનાના આભૂષણોના વસ્ત્રોમાં સજ્જ દાદા દીપી ઉઠ્યા છે અને ભાવિ ભક્તો પણ તેમના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. મારૂતિનંદનનો આજે જન્મદિવસ હોવાથી સવારથી સાળંગપુરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યુ છે અને દાદાના દિવ્ય દર્શનનો લ્હાવો લઈ રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 02, 2026 | 4:42 PM
Share

દાદાને આજે સોના જડિત વઆઘાનો શણગાર કરાયો છે. આ વાઘાને 22 ડિઝાઈનર દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. એક વર્ષમાં 1050 કલાકની મહેનત બાદ દાદાના આ વિશેષ વાઘા તૈયાર થયા છે. પ્રાચીન અને અર્વાચીન શૈલીવાળા વઆઘામાં હીરા અને રત્નોનો સમાવેશ કરાયો છે. રૂબી, એમરલ્ડ સ્ટોન અને સોરોસ્કી હીરા જડીને ખાસ વાઘા બનાવવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં ભક્તો કષ્ટભંજન દેવના દર્શનાર્થે પહોંચ્યા છે. ભક્તોએ ચોકલેટ અને કેક અર્પણ કરીને દાદાના જન્મદિવસ ઉજવી રહ્યા છે.

આ તરફ સાળંગપુર મંદિરને પણ 1001 કિલો ફુલોથી સજાવવામાં આવ્યુ છે. આ જન્મોત્સવની ઉજવણીમાં આધુનિક્તા અને ભક્તિનો સંગમ જોવા મળ્યો હતો. આકાશમાંથી 1 લાખથી વધુ બલૂન ઉડાડીને દાદાના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી. દાદાને 151 કિલોની કેક પણ ધરાવવામાં આવી છે. જે દાદાના દર્શને આવતા ભક્તોને પ્રસાદ તરીકે આપવામાં આવી રહી છે. આ દરમિયાન સમગ્ર મંદિર પરિસર ડીજેના તાલે અને હનુમાન ચાલીસાના પાઠથી ગૂંજી ઉઠ્યુ છે.

1 લાખ બલૂન અને 151 કિલોની કેક કાપી

જન્મોત્સવની ઉજવણીમાં આધુનિકતા અને ભક્તિનો સંગમ જોવા મળ્યો હતો. આકાશમાંથી 1 લાખથી વધુ બલૂન નીચે પાડીને દાદાના જન્મોત્સવને વધાવવામાં આવ્યો હતો. હનુમાન જયંતી જન્મોત્સવ નિમિત્તે 151 કિલોની વિશાળ કેક કાપીને ભક્તોમાં પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સમગ્ર પરિસર ડી.જે.ના તાલે અને હનુમાન ચાલીસાના પાઠથી ગુંજી ઉઠ્યું હતું.

આજે દાદાને વિવિધ વાનગીઓ અને મિષ્ઠાનનો અન્નકુટનો ભોગ ધરાવવામાં આવ્યો છે. આજે સાંજે વિશેષ મહા સંધ્યા આરતીનું પણ આયોજન કરાયુ છે. જેમા ભવ્ય આતશબાજી અને ઢોલ તાસાની સામૂહિક આરતી કરવામાં આવશે.

Input Credit- Jignesh Patel- Ahmedabad

અમરેલીમાં વૃદ્ધે જીવતા સમાધિ લેવાની જાહેરાત કરતા લોકોના ટોળેટોળા ઉમટ્યા, પોલીસને જોતા જ વૃદ્ધે ફેરવી તોળ્યુ- Video

Follow Us
8 કિલો સોનાના વાઘાથી કરાયો દિવ્ય શણગાર, દીપી ઉઠ્યા મારૂતિ નંદન
8 કિલો સોનાના વાઘાથી કરાયો દિવ્ય શણગાર, દીપી ઉઠ્યા મારૂતિ નંદન
અમરેલીમાં વૃદ્ધે જીવતા સમાધિ લેવાની જાહેરાત કરતા ઉમટ્યા લોકોના ટોળા
અમરેલીમાં વૃદ્ધે જીવતા સમાધિ લેવાની જાહેરાત કરતા ઉમટ્યા લોકોના ટોળા
ભર ઉનાળે દેવભૂમિ દ્વારકામાં ગાજવીજ સાથે વરસ્યો વરસાદ
ભર ઉનાળે દેવભૂમિ દ્વારકામાં ગાજવીજ સાથે વરસ્યો વરસાદ
ઉમેદવારી નોંધાવવા ફોજદારી કેસ અને સોશિયલ મીડિયા અંગે આપવી પડશે માહિતી
ઉમેદવારી નોંધાવવા ફોજદારી કેસ અને સોશિયલ મીડિયા અંગે આપવી પડશે માહિતી
સુરત ટેક્સટાઇલ ઉદ્યોગને મોટી રાહત, 1002 કરોડની સબસિડી રિલીઝ
સુરત ટેક્સટાઇલ ઉદ્યોગને મોટી રાહત, 1002 કરોડની સબસિડી રિલીઝ
ઉત્તરાયણ પહેલા લીધેલા ઊંધિયાનો રિપોર્ટ હોળી પછી મળ્યો
ઉત્તરાયણ પહેલા લીધેલા ઊંધિયાનો રિપોર્ટ હોળી પછી મળ્યો
હાઇવોલ્ટેજ ડ્રામા બાદ અડધી રાતે AAP નેતાઓનો જામીન પર છુટકારો
હાઇવોલ્ટેજ ડ્રામા બાદ અડધી રાતે AAP નેતાઓનો જામીન પર છુટકારો
દક્ષિણ ગુજરાતની ધરા ધ્રુજી! નવસારીના વાંસદા નજીક 3.4 તીવ્રતાનો ભૂકંપ
દક્ષિણ ગુજરાતની ધરા ધ્રુજી! નવસારીના વાંસદા નજીક 3.4 તીવ્રતાનો ભૂકંપ
ભાવનગર: પ્રસાદમાં પાઉંભાજી ખાતા 100થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગ
ભાવનગર: પ્રસાદમાં પાઉંભાજી ખાતા 100થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગ
ત્રણ સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં માવઠાની સંભાવના
ત્રણ સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં માવઠાની સંભાવના
g clip-path="url(#clip0_868_265)">