સારા સમાચાર: સુરતમાં કોરોનાનો કહેર ઘટ્યો, તમામ ઝોનમાં કેસોની સંખ્યા સિંગલ આંકડામાં

સુરત શહેરમાં કોરોનાના કેસોમાં આંશિક ઘટાડા સાથે 16 નવા કેસ નોંધાયા હતા. ઘણા સમય બાદ કેસ ઘટતા સામાન્ય જનતાએ રાહતના શ્વાસ લીધા છે.

સારા સમાચાર: સુરતમાં કોરોનાનો કહેર ઘટ્યો, તમામ ઝોનમાં કેસોની સંખ્યા સિંગલ આંકડામાં
પ્રતીકાત્મક તસ્વીર
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jun 22, 2021 | 3:20 PM

સુરત શહેર અને ગ્રામ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. સોમવારે સુરત શહેરમાં નવા 16 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેની સામે એક દિવસના વિરામ બાદ એક દર્દીનું નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે જિલ્લામાં પણ નવા 10 કેસ નોંધાયા હતા. જે પૈકી ત્રણ તાલુકાઓમાં પણ એક પણ પોઝિટિવ કેસ મળી આવ્યા નથી.

સુરત શહેરમાં કોરોનાના કેસોમાં આંશિક ઘટાડા સાથે 16 નવા કેસ નોંધાયા હતા. શહેરના તમામ જિલ્લામાં દસથી ઓછા કેસ નોંધાયા છે. રાંદેર ઝોનમાં 5, અઠવા ઝોનમાં બે, કતારગામ ઝોનમાં 2, વરાછા ઝોન એમાં એક ,વરાછા બી માં એક, લિંબાયત ઝોનમાં બે, સેન્ટ્રલ ઝોનમાં બે અને ઉધના ઝોનમાં એક નવા કેસ નોંધાયા હતા. શહેરમાં કોરોનાની જંગ જીતીને 81 દર્દીઓ ઘરે પરત ફર્યા હતા.

તે જ રીતે સુરતમાં મ્યુકરમાઇકોસીસના દર્દીઓની સ્થિતિ પણ સુધરી રહી છે. સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસીસના નવા બે દર્દી દાખલ થયા છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં પણ બે દર્દી નોંધાયા છે. સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા એક દર્દીનું મોત નીપજ્યું છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

બંને સરકારી હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસીસના 3 દર્દીઓની સર્જરી કરવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલમાં નવા 2 દર્દી દાખલ થવાની સાથે કુલ 98 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

કોરોનાના ઘટતા કેસ જોઇને સોએ રાહતના શ્વાસ લીધા છે. બીજી લહેરના હાહાકાર બાદ કોરોનાને લઈને ઘટી રહેલી સંખ્યા જોઇને સ્વાસ્થ્ય કર્મચારીઓ અને સામાન્ય લોકોના જીવમાં જીવ આવ્યા જેવી ઘટના બની રહી છે.

આ પણ વાંચો: નોંધણી છતાં 10,973 વિદ્યાર્થીઓને નમો ટેબ્લેટ ફાળવવાના બાકી, પૈસા પરત મેળવવા યુનિવર્સિટીમાં કમિટી રચાઈ

આ પણ વાંચો: Surat : કોલસાનો ભાવ બમણો થતા, 325 પ્રોસેસિંગ મિલો મુશ્કેલીમાં

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">